android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવ પૂર્વે વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું
calendar_today January 1, 2026

Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવ પૂર્વે વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

કલા અને સંસ્કૃતિથી ભારત દેશ વિશ્વભરમાં ઓળખાય છે. પ્રાચીન ભારતીય કલા-સંસ્કૃતિને જીવંત રાખવા અનેક સંસ્થાઓ કાર્યરત છે.જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શિક્ષણ, લોકસેવા અને સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા અગ્રેસર રહેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમદાવાદના કાલુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવની ઉજવણી અંતર્ગત વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા આશરે 200 વર્ષ પહેલાં લખાયેલા પવિત્ર શિક્ષાપત્રીના લેખનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ ભવ્ય 'સમૈયો' ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશગાદીના સાતમા આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને ભાવિ આચાર્યશ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં, કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2026 દરમિયાન આ ઉત્સવ ભવ્ય રીતે ઊજવાશે. દેશ-વિદેશથી હજારો હરિભક્તો અને સંતો આ ઉત્સવમાં હાજરી આપશે. આ 'સમૈયો' ઉત્સવના ઉપક્રમે તાજેતરમાં કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચિત્રકલાના વિદ્યાર્થીઓ તથા કલાકારો માટે હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની જવાબદારી જાણીતા ચિત્રકાર વિનય પંડયા અને પ્રફુલ ખરસાનીને સોંપવામાં આવી હતી. વિજેતા કલાકારોને 'સમૈયો' ઉત્સવ દરમિયાન સન્માન સાથે નવાજવામાં આવશે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોવાથી સ્પર્ધાનો વિષય 'અમદાવાદ હેરિટેજમાં કાલુપુર મંદિર'રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં આશરે 200 જેટલા કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલાકારોએ પોતાની અનોખી કલાત્મક શૈલી દ્વારા મંદિરના હેરિટેજ સૌંદર્યને કેન્વાસ પર ઉતાર્યું હતું. મંદિરની સુંદર કોતરણી, ઝરૂખા, કલાત્મક પિલ્લરો, પિલ્લરોને જોડતી કમાન, આકર્ષક પ્રવેશદ્વાર તથા ભવ્ય આર્કિટેક્ચરલ ડિઝાઇન ચિત્રોમાં જીવંત રીતે ઉપસી આવી હતી. વર્ષો પહેલાં નિર્માણ થયેલા આ ઐતિહાસિક મંદિરની વિશિષ્ટ સ્થાપત્ય કળા આજે પણ દર્શકોના હૃદયને સ્પર્શે છે, જે વાત કલાકારોએ પોતાના ચિત્રોમાં અસરકારક રીતે રજૂ કરી હતી. આ અંગે વાત કરતા વિનય પંડયાએ કહ્યું કે, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારોને પ્રોત્સાહન રૂપે 'શ્રી સ્વામિનારાયણ ચિત્ર કલા' અને 'શ્રી સ્વામિનારાયણ શિલ્પ સ્થાપત્ય' નામના બે મૂલ્યવાન ગ્રંથો ભેટ આપવામાં આવ્યા હતા. જ્યારે વિજેતા કલાકારોને 'સમૈયો' ઉત્સવ દરમિયાન સન્માન સાથે યોગ્ય ઇનામોથી નવાજવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: પૂર્વ વિસ્તારમાં ગંદકી અને પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ, 12 એકમો સીલ કરાયાં
calendar_today January 1, 2026

Ahmedabad: પૂર્વ વિસ્તારમાં ગંદકી અને પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ, 12 એકમો સીલ કરાયાં

શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ ઝોનમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે મ્યુનિસિપલ ટીમોએ સપાટો બોલાવ્યો છેપૂર્વ ઝોન સહિત શહેરના તમામ 48 વોર્ડમાં દૈનિક ધોરણે સફાઈ અને કચરાના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આજ રોજ સવારથી જ સફાઈ કામદારો દ્વારા મુખ્ય રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી બપોર બાદ ખાસ કરીને ફૂટપાથ અને ઇલેક્ટ્રિક ડી.પી. જેવી જગ્યાઓ પાછળ જમા થયેલા કચરાને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે.પૂર્વ વિસ્તારના રહેણાક અને વાણિજ્યક એકમોમાંથી ડોર-ટુ-ડોર વાહનો દ્વારા કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા પૂર્વ ઝોનમાં કુલ 190 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ 40 એકમોને નોટિસ આપી 54,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 20 એકમોને નોટિસ ફ્ટકારી 10,000 રૂપિયાનો દંડ વસૂલાયો અને 3.2 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. નિયમોના ભંગ બદલ પૂર્વ ઝોનમાં કુલ 12 જેટલા એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જશોદાનગર, ભાઈપુરા, ઓઢવ અને વટવા જેવા વિસ્તારોમાં કરવામાં આવેલ સીલિંગની કાર્યવાહીથી અન્ય બેદરકાર વેપારીઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ સર્પ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ પણ એકમ ન્યુસન્સ ફેલાવતા અથવા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા ઝડપાશે, તો તેની સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી અને યુનિટ સીલ કરવાની પ્રક્રિયા સઘન બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક ઝૂંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર આરોગ્યની જાળવણી અને શહેરને 'પ્લાસ્ટિક મુક્ત' બનાવવાનો છે. પૂર્વ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક વેપારી એકમો હજુ પણ 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ એકમોને સીલ કરવાની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:જેઠાભાઈ આહિર વિકસિત ભારત નિર્માણ રત્નથી સન્માનિત કરાયા
calendar_today January 1, 2026

Godhra:જેઠાભાઈ આહિર વિકસિત ભારત નિર્માણ રત્નથી સન્માનિત કરાયા

પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન જેઠાભાઈ આહિરને ઓલ ઈન્ડીઆ બિઝનેશ ડેવલપમેન્ટ એસોસિએશન ન્યુ દિલ્હી દ્વારા વિકસીત ભારત નિર્માણ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે. જેને લઈ પંચમહાલ, મહિસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.ઓલ ઈન્ડીઆ બિઝનેશ ડેવલપમેન્ટ એસોસિયેશન, ન્યુ દિલ્હી દ્વારા વિકસીત ભારતના નિર્માણ માટે સમગ્ર ભારતનાં ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતાં નાગરિકોના મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને અન્ય તમામ વેપાર ધંધાઓની નાણાંકીય જરૂરીયાતો પુરી પાડી અને ગ્રામીણ વિસ્તારના રહીશોની આવક વધારી તેઓનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે બેકીંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી બેંકોનો સર્વે કરાયો હતો. જેમાં પંચમહાલ, મહીસાગર તથા દાહોદ જિલ્લાનાં ખેડૂતો, પશુપાલકો અને વેપાર ધંધા કરતા લોકોને વિવિધ ખેતી અને બીન ખેતી ધિરાણો, કે.સી.સી પાક ધિરાણ, કે.સી.સી એનિમલ હસબન્ડરી, પશુઓ ખરીદવા, પશુઓનો તબેલો બનાવવા, નાના વેપાર ધંધા કરતા વ્યકિતઓને માઈક્રો ફાયનાન્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહન ખરીદવા, ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણનું મકાન બનાવવા, સિંચાઈ અને ખેતીમાં આધુનિકરણ લાવવા માટેનાં સંશાધનો ખરીદવા વિગેરે માટે સસ્તા અને વ્યાજબી વ્યાજનાં દરે પંચમહાલ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક ની 60 શાખાઓની 300 ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ મારફ્તે અંદાજે 1.50 લાખ ખેડૂતો, પશુપાલકો તથા અન્ય ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ, વ્યવસાયીકો અને નોકરીયાતોને ધિરાણો પુરા પાડી વિકસીત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપવા બદલ પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન જેઠાભાઈ આહિરને વિકસીત ભારત નિર્માણ રત્ન એવોર્ડ એનાયત કરાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward