Vadodara : તરસાલીમાં ઘરકામ માટે રાખેલી યુવતીએ દાગીના અને રોકડની ચોરી કરતા ફરિયાદ
વડોદરાના તરસાલી વિસ્તારમાં સોમા તળાવ રોડ પર આવેલ મારૂતિધામમાં રહેતા નિમિતાબેન ચેતનભાઈ ગુજ્જરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરચોરીની ફરિયાદ નોંધાવી છે.ઘરમાં કામ કરવા યુવતીને રાખી હતી નિમિતાબેન ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે, જ્યારે તેમના પતિ ખાનગી કંપનીમાં કાર્યરત છે. તેમના સાસુ-સસરા ઉંમરલાયક હોવાથી ઘરકામ માટે છાયાબેન મનોજભાઈ બારીયા (રહે. ઘાઘરેટિયા ગામ)ને કામે રાખવામાં આવી હતી. દાગીના ગાયબ ફરિયાદ મુજબ, લગ્નમાં જવાનું હોવાથી દાગીનાની તપાસ કરતા તિજોરીમાંથી 17 તોલા વજનના સોનાના દાગીના, ચાંદીના દાગીના તેમજ રૂ. 28,000 રોકડ રકમ ગાયબ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત, પતિએ પ્રથમ લગ્ન વર્ષગાંઠે આપેલી સોનાની વીંટી પણ મળી ન હતી. નિમિતાબેનને શંકા ગઈ ગઈકાલે છાયાબેન તે જ સોનાની વીંટી પહેરીને આવતા નિમિતાબેનને શંકા ગઈ હતી. આ બાબતે પૂછપરછ કરતા છાયાબેન કોઈ જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા. આરોપીની શોધખોળ મકરપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો---- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward