android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...
calendar_today January 2, 2026

Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ગુજરાત હાઇકોર્ટ અને તેની આસપાસની સરકારી કચેરીઓ બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અનેક વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે દંડ ભરવાને બદલે વાહનચાલકોએ પોલીસ સાથે રકઝક કરી હતી અને અજીબોગરીબ તર્ક રજૂ કર્યા હતા. કેટલાક ચાલકોએ એવું કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ અહીં જ સરકારી સ્ટાફમાં ફરજ બજાવે છે, તેથી તેમની સામે કાર્યવાહી ન કરવી જોઈએ.હાઇકોર્ટના દરવાજે ડ્રાઇવ ડ્રાઇવ દરમિયાન વાહનચાલકોના ઉડાઉ જવાબોએ પોલીસને પણ મુંઝવણમાં મૂકી દીધી હતી. એક વાહનચાલકે દલીલ કરી હતી કે, "મારે બહુ નજીક જવાનું છે, તો હેલ્મેટ પહેરવાની શું જરૂર છે?" જ્યારે અન્ય એક ચાલકે કંટાળીને કહ્યું હતું કે, "વારંવાર હેલ્મેટ પહેરવું અને કાઢવું મજા નથી આવતી." જોકે, ટ્રાફિક પોલીસે આવા કોઈ પણ બહાનાને ગ્રાહ્ય રાખ્યા વગર નિયમ ભંગ કરનાર તમામ ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મેમો ફાડ્યા હતા. હાઇકોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે આ કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું પાલન દરેક નાગરિકે, પછી તે ગમે તે સ્ટાફમાં હોય, કરવું જ પડશે. આ પણ વાંચો : Rajkot News : RMC કોલ સેન્ટર ગુંજી ઉઠ્યું, 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે, રોજના સરેરાશ 1280 કોલ...

Read Full Story arrow_forward
Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે
calendar_today January 2, 2026

Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડી શકે છે અને કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે અને એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પાટણ, સમી, હારીજ, સાબરકાંઠામાં તીવ્ર ઠંડી પડી શકે છે.પંચમહાલ અને સાબરકાંઠામાં પણ તીવ્ર ઠંડી પડશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉ.ગુજરાતમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને રેલવે યાતાયાત પર ધુમ્મસની અસર રહશે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે. વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે. 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે

Read Full Story arrow_forward
Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા
calendar_today January 2, 2026

Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા

બગદાણામાં નવનીતને માર મારવાની ઘટનાએ હવે રાજકીય અને સામાજિક વળાંક લીધો છે. આ વિવાદમાં ભાજપ અને ઠાકોર સેનાના આગેવાનો સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયા પર 'ઠાકોર-કોળી ભાઈ-ભાઈ' ના સંદેશા વહેતા થયા છે, જે સામાજિક એકતા સાથે ન્યાયની માંગ મજબૂત કરી રહ્યા છે. ઠાકોર સેનાના આગેવાન ચેતન ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. કોઈ કલાકાર હોય એટલે તેને કાયદો હાથમાં લેવાનો અધિકાર મળી જતો નથી. તેમણે માંગ કરી છે કે જેમ અન્ય ગુનેગારોનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે છે, તેમ આ કેસના આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.ભાજપ પ્રદેશ પ્રવક્તાનું નિવેદન બીજી તરફ, આ મુદ્દે ગુજરાત ભાજપે પણ પોતાનું મૌન તોડ્યું છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકાર નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુનો કરનાર કોઈપણ હોય, તેને છોડવામાં આવશે નહીં. અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષ માત્ર આક્ષેપોની રાજનીતિ કરી રહ્યો છે. બગદાણાની આ ઘટનામાં બંને પક્ષે FIR નોંધાઈ ચૂકી છે અને પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે. સરકાર 'ઓન્લી પ્રોસિક્યુશન' ના મંત્ર સાથે આગળ વધી રહી છે અને જે કોઈ પણ દોષિત જણાશે તેને સખત સજા કરવામાં આવશે. આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહીની માગ હાલમાં આ કેસમાં સામાજિક ન્યાય અને કાયદાકીય સમાનતાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચેતન ઠાકોરે ભાર પૂર્વક કહ્યું છે કે ન્યાયતંત્રએ વ્યક્તિનું નામ, દમ કે તેની ઓળખ જોઈને નિર્ણય ન લેવો જોઈએ. 'કલાકાર' નું લેબલ લગાવીને કોઈને છૂટછાટ આપવી તે સામાન્ય જનતા સાથે અન્યાય છે. લોકોમાં એવી અપેક્ષા જાગી છે કે પોલીસ કોઈપણ દબાણ વગર તપાસ કરે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયામાં પણ આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી ઉગ્ર બની છે, જેથી ભવિષ્યમાં કોઈ સેલિબ્રિટી કે વગદાર વ્યક્તિ કાયદાનો ભંગ કરતા ડરે. આ પણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

Read Full Story arrow_forward