android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : મિશન વાયબ્રન્ટ રાજકોટ, 11 જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્ર ઝોન સમિટનો થશે પ્રારંભ
calendar_today January 1, 2026

Rajkot News : મિશન વાયબ્રન્ટ રાજકોટ, 11 જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્ર ઝોન સમિટનો થશે પ્રારંભ

રાજકોટમાં આગામી 11, 12 અને 13 જાન્યુઆરી દરમિયાન 'સૌરાષ્ટ્ર ઝોન વાયબ્રન્ટ સમિટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદો, રેન્જ આઈજી અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીએ બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે અને જૂના એરપોર્ટથી તેમનું ભવ્ય સ્વાગત કરી એક શાનદાર રોડ-શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મિશન વાયબ્રન્ટ રાજકોટ આ સમિટ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાશે, જે મહેસાણા સમિટ કરતાં પણ વિશાળ સ્તરે આયોજિત કરવામાં આવી રહી છે. અંદાજે 26,400 ચોરસ મીટરના વિસ્તારમાં ભવ્ય પ્રદર્શન (એક્ઝિબિશન) યોજાશે. આ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુક્રેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો 'પાર્ટનર કન્ટ્રી' તરીકે જોડાશે, જે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલશે. આ સમિટ માટે અત્યાર સુધીમાં 6000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને અગ્રણીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. વૈશ્વિક મંચ પર સૌરાષ્ટ્ર મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમિટમાં તમામ ક્ષેત્રના લોકોને સાંકળી લેવામાં આવશે જેથી સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને નવી ગતિ મળે. વડાપ્રધાનના રોડ-શો માટેના રૂટનું પ્લાનિંગ અત્યારે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમ દ્વારા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વાયબ્રન્ટ ગુજરાતનો એક મજબૂત માહોલ ઉભો કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને અત્યારથી જ ચુસ્ત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ભેટ, જિલ્લા શિક્ષણાધિકારીએ લોન્ચ કરી સ્પેશિયલ પ્રશ્નબેંક

Read Full Story arrow_forward
Surat News: પાંડેસરામાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ
calendar_today January 1, 2026

Surat News: પાંડેસરામાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ

સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં આજે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી આ મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સની બાજુમાં એક ખુલ્લું મેદાન આવેલું છે. આજે સવારે જ્યારે રાહદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર એક યુવકના મૃતદેહ પર પડી હતી. આ બનાવની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી અને તપાસ ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેબનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મૃત્યુનું રહસ્ય અકબંધ આ યુવકનું મૃત્યુ કુદરતી છે કે તેણે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે, તે બાબત હાલ એક રહસ્ય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને ગુમ થયેલા વ્યક્તિઓની યાદી સાથે મેળવવાની તજવીજ શરૂ કરી છે જેથી મૃતકની ઓળખ કરી શકાય. આ પણ વાંચો - Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ

Read Full Story arrow_forward
Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે
calendar_today January 1, 2026

Junagadh News : જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ‘મિની કુંભ’ તરીકે ઉજવાશે

ગુજરાત સરકાર અને સાધુ-સંતોના સંયુક્ત પ્રયાસોથી આ મેળાને સત્તાવાર રીતે ‘મિની કુંભ’ જાહેર કરવામાં આવ્યો છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા વિશ્વ કક્ષાની સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુએ તમામ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે. મેળામાં વિવિધ અખાડાઓ દ્વારા પરંપરાગત રાવટીઓ નાખવામાં આવશે જ્યાં સતત ભજન અને ભોજન (અન્નક્ષેત્ર) ની સરવાણી વહેશે. મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળશે, જેમાં અદ્રશ્ય શક્તિઓ અને સિદ્ધ પુરુષોની ઉપસ્થિતિ હોવાની માન્યતા છે, રવેડીના અંતે સાધુઓ અને નાગા સંન્યાસીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. એવી શ્રદ્ધા છે કે, સ્વયં મહાદેવ અને ગુપ્ત તપ કરતા સંતો આ કુંડમાં સ્નાન કરવા પધારે છે, આ મેળો સનાતન ધર્મનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે અને લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની ગોદમાં શિવમય બનશે જેનો લાભ લેવા આહવાન કર્યું છે. ​ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, ગિરનાર એ દત્ત મહારાજ અને માં અંબાનું બેસણું છે. અહીં વર્ષોથી ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર અને સંતોની ગાઈડલાઈન મુજબ આ વખતે વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે, ભકતોને પણ કોઈ તકલીફ પડશે નહી અને મેળાનો આનંદ માણી શકશે.  આ પણ વાંચો : Extra Comment : તાઇવાન ફરતે ચીનનો ઘેરો : નવા યુદ્ધના એંધાણ ? 

Read Full Story arrow_forward