android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, મનપા અને વુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
calendar_today September 1, 2026

Vadodara News: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, મનપા અને વુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી વડોદરાની મુલાકાત દરમિયાન VMC અને વુડાના લગભગ 1 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરશે તેવું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.8 સપ્ટેમ્બરે વડોદરા આવી રહ્યાં છે.ટૂંકા નોટીસ પીરિયડમાં આ કાર્યક્રમ નક્કી કરાયો છે.વડાપ્રધાન એરપોર્ટથી બાયરોડ એમ.એસ.યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં જાય તેવી શક્યતાઓ છે.જેને લઈ પોલીસ અને વહિવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસ કામોવડાપ્રધાન કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરવાના હોવાથી VMC અને વુડાએ પણ પોતાના કોમાનું લીસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં રૂપિયા 25 કરોડ ઉપરાંતના કામો જ યાદીમાં લેવાયા છે. વુડા અને મ્યુનિ.કોર્પોરેશનના મળી લગભગ રૂપિયા ૧ હજાર કરોડના કામોનું વડાપ્રધાન લોકાર્પણ -ખાતમૂર્હત કરે તેવું આયોજન કરાઈ રહ્યું છે. VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામોરૂપિયા 30.48 કરોડના ખર્ચે ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી, કપુરાઈ ચોકડી, તરસાલી ચોકડી ખાતે RCC બોક્સ ડ્રેઈન અને મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથઈ નવી વરસાદી ગટર નાંખવાનું કામ, ભાયલી ટીપી 3 અને 4 વિસ્તારમાં ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપની રૂપિયા 32.61 કરોડની કામગીરી,આજવા સરોવર ખાતે 150 MLDના પોન્ટુનનું કામનું લોકાર્પણ તેમજ રૂપિયા 32.93 કરોડના ખર્ચે બનનાર VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વડાપ્રધાન બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબોધશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી એમ.એસ.યુનિવર્સિટીમાં બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબાધવાના છે તે દિવસે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે.દર વર્ષે તા.8 સપ્ટેમ્બરે ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ દુનિયામાં સાક્ષરતાનું મહત્વ સમજાવી નિરક્ષરતા દૂર કરવી, દરેક વ્યક્તિને વાંચવા-લખવા અને શિક્ષણની તક મળે તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે.યુનેસ્કો દ્વારા સને 1967થી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward
Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ
calendar_today September 1, 2026

Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષાઓની ઉત્તરવહી ચકાસણી દરમિયાન શિક્ષકોની મોટી બેદરકારી સામે આવી છે. મૂલ્યાંકન કામગીરી દરમિયાન થયેલા ગંભીર છબરડા બાદ બોર્ડ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ઉત્તરવહી તપાસમાં ભૂલો કરનારા કુલ 3,334 શિક્ષકો સામે બોર્ડે દંડાત્મક કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ગુણવત્તા સાથે થતા ચેડાંને અટકાવવા માટે બોર્ડે આ વખતે આકરા પગલાં લીધા છે.112 ગુણની ગંભીર ભૂલ અને શિક્ષકને ફટકારાયો ભારે દંડબોર્ડના નિયમો અનુસાર ઉત્તરવહી તપાસતી વખતે થતી ગણતરી કે મૂલ્યાંકનની ભૂલો બદલ શિક્ષકો સામે દંડાત્મક જોગવાઈ છે, જેમાં 1 ગુણની ભૂલ બદલ રૂ. 1,000 સુધીનો દંડ કરવામાં આવે છે. ધોરણ 12ની ઉત્તરવહી તપાસ દરમિયાન એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શિક્ષક દ્વારા કુલ 112 ગુણની ભૂલ કરવામાં આવી હતી. આ ગંભીર ક્ષતિ બદલ તે શિક્ષકને કુલ રૂ. 11,200નો દંડ ફટકારવામાં આવ્યો છે, જે પેપર ચેકિંગમાં રહેલી મોટી બેદરકારી દર્શાવે છે.ધોરણ 10માં 109 શિક્ષકો દંડાયા, બોર્ડની સજાગ રહેવા સૂચનાધોરણ 12ની સાથોસાથ ધોરણ 10ની ઉત્તરવહી ચકાસણીમાં પણ અનેક શિક્ષકોની ગંભીર ભૂલો પ્રકાશમાં આવી છે. ધોરણ 10ના પેપર ચેકિંગમાં ક્ષતિઓ કરવા બદલ 109 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. બોર્ડની આ કડક દંડાત્મક કાર્યવાહીથી ભવિષ્યમાં શિક્ષકો ઉત્તરવહી તપાસતી વખતે વધુ સજાગ, સચોટ અને જવાબદાર રહે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે, જેથી કોઈપણ નિર્દોષ વિદ્યાર્થીના માઠું પરિણામ ન આવે.આ પણ વાંચો : Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward
Suratમાં ગુનેગારો બેફામ! 48 વર્ષીય બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર, સારવાર દરમિયાન નીપજ્યું મોત
calendar_today September 1, 2026

Suratમાં ગુનેગારો બેફામ! 48 વર્ષીય બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર, સારવાર દરમિયાન નીપજ્યું મોત

સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જાનલેવા હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વચલા રસ્તે બિલ્ડર પર ઉપરા છાપરી ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા અને ઘટનાને અંજામ આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સરેઆમ હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ ફેલાઈ ગયો હતો.ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયાહુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં બિલ્ડર ફૈઝલ ફટ્ટાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, શરીર પર ઊંડા ઘા વાગ્યા હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બિલ્ડરના મોતની ખબર મળતા જ તેમના પરિવારજનો અને સ્નેહીજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાનબ્રિજ પર હત્યાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જૂની રંજિશ, અંગત અદાવત કે નાણાકીય લેવડદેવડના કારણે આ હત્યા થઈ છે કે કેમ તે તમામ દિશાઓમાં ચોક બજાર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ

Read Full Story arrow_forward