android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે જાહેર કરેલ વિરોધ પ્રદર્શનનું આહ્વાન પરત ખેંચ્યું
calendar_today September 1, 2026

Gujarat Latest News Live : કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે જાહેર કરેલ વિરોધ પ્રદર્શનનું આહ્વાન પરત ખેંચ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Bharuch News : શિક્ષક બન્યો રાક્ષસ! આમોદની શાળામાં 2જા ધોરણના હસનૈનને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક સસ્પેન્ડ...
calendar_today September 1, 2026

Bharuch News : શિક્ષક બન્યો રાક્ષસ! આમોદની શાળામાં 2જા ધોરણના હસનૈનને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક સસ્પેન્ડ...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકની બર્બરતા સામે આવી હતી. સંદેશ ન્યૂઝ દ્વારા આ ગંભીર ઘટના અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ શિક્ષણ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ધોરણ 2ના માસૂમ વિદ્યાર્થીને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) સામે કડક પગલાં ભરતાં શિક્ષણ વિભાગ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.આમોદ TPOની સંયુક્ત તપાસમાં શિક્ષક પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જાહેરઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળામાં પહોંચીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક વિગતો અને સાક્ષીઓની પૂછપરછમાં શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થીને માર મારવાના મામલે સંપૂર્ણ દોષિત હોવાનું બહાર આવ્યું હતું. તપાસ રિપોર્ટના આધારે શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષક સામે સસ્પેન્શનનું આકરું પગલું ભરવામાં આવ્યું છે.બીજા ધોરણના માસૂમ હસનૈન પર પાઇપ વડે આચર્યો હતો અત્યાચારઇખર આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા અને માત્ર બીજા ધોરણમાં ભણતા માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શિક્ષક મુબારક ભડે કોઈપણ દયા વગર પાઇપ વડે નિર્દયતાથી માર માર્યો હતો. શિક્ષકની આ હેવાનીયતને કારણે માસૂમ બાળક શારીરિક અને માનસિક રીતે ભયભીત થઈ ગયો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલના કારણે તંત્ર જાગ્યું અને શિક્ષક સામે કડક કાર્યવાહી થતાં વાલીઓ અને ગ્રામજનોએ રાહત અનુભવી છે.આ પણ વાંચો : Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ

Read Full Story arrow_forward
Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ
calendar_today September 1, 2026

Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ

રાજકોટ શહેરમાં ઉપવાસ અને ફરાળ કરતા નાગરિકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પવિત્ર દિવસોમાં લોકો શ્રદ્ધાપૂર્વક જે ફરાળી પેટીસ આરોગે છે, તેમાં ફરાળી સામગ્રીને બદલે મકાઈનો લોટ વાપરવામાં આવતો હોવાનું ખુલ્લું પડ્યું છે. રાજકોટના જાણીતા 'જૈન સ્વિટ્સ'માંથી મકાઈના લોટવાળી ફરાળી પેટીસ મળી આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે ખીલવાડ કરતી આ ગંભીર બાબત સામે આવતાં મનપાના આરોગ્ય વિભાગે સ્થળ પર જ 32 કિલો જેટલી બનાવટી ફરાળી પેટીસનો નાશ કર્યો હતો.મનપાના 44 ધંધાર્થીઓને ત્યાં દરોડારાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી 44 જેટલી પેઢીઓ અને ધંધાર્થીઓને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અલગ-અલગ દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાંથી કુલ 52 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાણીતી 'કૃષ્ણમ કાઠિયાવાડી' હોટલમાંથી પણ 20 કિલો જેટલું વાસી શાક અને કણક (લોટ) મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમે તેનો પણ સ્થળ પર જ નાશ કરાવી દીધો હતો.ભેળસેળિયા વેપારીઓ સામે તંત્ર લાલઘૂમઆરોગ્ય વિભાગની ટીમે માત્ર જપ્ત કરાયેલા ખોરાકનો નાશ કરીને અટકી નથી, પરંતુ શંકાસ્પદ જણાતી 17 જેટલી પેઢીઓમાંથી ખાદ્યસામગ્રીના નમૂના (સેમ્પલ) લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તહેવારો અને ઉપવાસના દિવસોમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને આસ્થા સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મનપા તંત્રએ લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.આ પણ વાંચો : Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું!

Read Full Story arrow_forward