android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
4 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર
calendar_today September 4, 2026

4 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો 1. Janmashtami 2026 Live : દ્વારકા, ડાકોર, મથુરા-વૃંદાવનમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, કાન્હાના જન્મની આતુરતાથી રાહ 2. BRICS Summit 2026: ડોલરનું વર્ચસ્વ ઘટાડવાની તૈયારીઓ, ભારતના UPI મોડેલથી ખુલશે ગ્લોબલ પેમેન્ટનો નવો રસ્તો!  3. Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત  4. Ahmedabad News : બાવળાના મેમર પાસે અર્ધસળગેલી લાશ મળતાં ચકચાર, 23 વર્ષીય યુવક 2 દિવસથી હતો ગુમ  5. Delhi : વિદ્યાર્થીના પિતા પર હુમલાનો વીડિયો વાયરલ થતાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ, 72 કલાકમાં પોલીસની કાર્યવાહી  6. RSS પ્રમુખ Mohan Bhagwatનું લંડનમાં સ્વાગત, બ્રિટિશ સાંસદ Bob Blackmanએ કર્યા વખાણ, જાણો શું કહ્યુ?  7. Banaskantha : શિક્ષકે જ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો, દુષ્કર્મ કેસની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી, કથિત પત્રકારની પણ સંડોવણી  8. Air India : ફૂકેટ-દિલ્હી ફ્લાઇટમાં ભયાનક ટર્બ્યુલન્સ મામલે પાયલટ બરતરફ, નશીલા પદાર્થોના સેવનની પુષ્ટિનો દાવો  9. Mumbai Bus Fire: ગોરેગાંવ આરે મેટ્રો સ્ટેશન નીચે બસમાં ભીષણ આગ, મેટ્રો ટ્રેન રોકવી પડી!  10. Jabalpur Boat Accident: નર્મદા નદીમાં 15 લોકોને લઇ જતી પેટ્રોલ બોટનું એન્જિન બંધ થતા હડકંપ, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

Read Full Story arrow_forward
5 September Top News: દેશભરના 82 શિક્ષકોને એવોર્ડ, અમદાવાદમાં પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ
calendar_today September 4, 2026

5 September Top News: દેશભરના 82 શિક્ષકોને એવોર્ડ, અમદાવાદમાં પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ

આવતીકાલે, દેશભરના 82 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સવારે 11:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં તેમનું સન્માન કરશે. 48 શાળા શિક્ષકો અને 21 ઉચ્ચ શિક્ષણના શિક્ષકો છે. ગુજરાતના ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. શાળા શિક્ષકોમાં, ગુજરાતના નીતિન કુમાર મહેન્દ્રકુમાર પાઠક, દમણ અને દીવના પટેલ પૂર્ણિમા મોહનલાલ, IIT ગાંધીનગરના ડૉ. મિથુન રાધાકૃષ્ણ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રો. સરવૈયા જયરાજસિંહ ઇન્દ્રજીતસિંહનો સમાવેશ થાય છે.દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી સમારોહવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 7 વાગ્યે દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.ગૃહમંત્રી અમિત શાહનો ગોવા પ્રવાસગૃહમંત્રી અમિત શાહ શનિવારથી શરૂ થતા ગોવાના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. તેઓ શનિવારે સાંજે રાજ્યમાં પહોંચશે અને રવિવારે સાંજે 6 વાગ્યે ચિંબેલમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે તેઓ ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને કોર કમિટીના સભ્યો સાથે મુલાકાત કરશે. સોમવારે તેઓ સત્તાવાર બેઠકો સાથે તેમની મુલાકાત પૂર્ણ કરશે.સુપ્રીમ કોર્ટ ખાતે BRICS ન્યાયિક ફોરમ શરૂબ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ ખાતે યોજાશે. આવતીકાલે બેઠકનો બીજો દિવસ છે. આ ફોરમ 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના ન્યાયિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. 18મું બ્રિક્સ સમિટ 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહ્યું છે.અમદાવાદમાં ઐતિહાસિક ખેલ આયોજનપ્રથમ વખત, ભારત 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન કરશે. 20 દેશોના 100 થી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે.કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો પ્રવાસકેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદ ડૉ. મનસુખ માંડવિયા 5 સપ્ટેમ્બર, 2026 (શનિવાર) ના રોજ શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાત લેશે. તેમના કાર્યક્રમમાં સવારે 9 વાગ્યે પાલિતાણામાં કસ્તુરબા ઉત્તર બુનિયાદી સંસ્થા ખાતે શિક્ષક દિવસ ભવનનું ઉદ્ઘાટન કરવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ અનિડા ડેમ ખાતે નવનિર્મિત ઇમારતનું ઉદ્ઘાટન, ભૂતિયા ગામમાં પુલનું ઉદ્ઘાટન અને કદમગીરીમાં શ્રીમદ્ ભાગવત કથામાં હાજરી આપશે. બપોરે બાદમાં, વાશિયાવાડીમાં કાલિકા હજાર મંદિરમાં દર્શન અને સાંજે 4 વાગ્યે પાલિતાણાના નાની રાજસ્થાનીમાં આંબેડકર ભવનનું ઉદ્ઘાટન થશે.આ પણ વાંચો: Extra Judicial Confession Law: પોડકાસ્ટમાં સ્વતંત્ર ભારદ્વાજની ગુનાની કબૂલાત શું કોર્ટમાં પુરાવો બની શકે? જાણો ભારતીય પુરાવા કાયદાના નિયમો!

Read Full Story arrow_forward
Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ
calendar_today September 4, 2026

Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ આબોહવા પરિવર્તન અને ઐતિહાસિક જવાબદારીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. નેપાળ તરફથી આબોહવા સંકટથી પ્રભાવિત નબળા દેશોને વૈશ્વિક સહયોગ મળવો જોઈએ તેવી માંગ ઉઠ્યા બાદ હવે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.ક્લાઈમેટ ચેન્જ એક સહિયારો પડકારભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આબોહવા પરિવર્તન સમગ્ર વિશ્વ સામેનો એક સહિયારો પડકાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મુદ્દે કોઈપણ પગલું ‘સહિયારી પરંતુ અલગ-અલગ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ’ના સિદ્ધાંત પર આધારિત હોવું જોઈએ.ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે વિકસિત દેશો જવાબદારભારતે સ્પષ્ટ કર્યું કે જે વિકસિત દેશો ઐતિહાસિક રીતે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે વધુ જવાબદાર રહ્યા છે અને જેમણે આબોહવા સંકટ વધારવામાં મોટો ફાળો આપ્યો છે, તેમણે જ અસરગ્રસ્ત વિકાસશીલ દેશોની મદદ માટે આગળ આવવું જોઈએ.આબોહવા સંકટ સામે લડવામાં મદદ કરવી જોઈએભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિકસિત દેશોએ ઉત્સર્જનમાં ઘટાડો કરવા સાથે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા આબોહવા સંકટ સામે લડવામાં મદદ કરવી જોઈએ.નેપાળના નિવેદન બાદ સ્પષ્ટતાનેપાળના વિદેશ મંત્રી દ્વારા અગાઉ કરવામાં આવેલા નિવેદનમાં વિશ્વના મોટા ઉત્સર્જક દેશો પાસેથી ઐતિહાસિક જવાબદારી સ્વીકારવાની વાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં નેપાળ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે નેપાળ સરકાર કે મંત્રીએ ભારત, અમેરિકા અથવા ચીન પાસેથી ખાસ કરીને કોઈ વળતરની સત્તાવાર માંગ કરી નથી. નેપાળની અપીલ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે હતી કે આબોહવા પરિવર્તનની ગંભીર અસરોને સમજવામાં આવે અને નબળા દેશોને લાંબા ગાળાનો સહયોગ આપવામાં આવે.ફ્લેશ ફ્લડમાં 1200થી વધુના મોતનો દાવોનેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે, જ્યારે હજારો લોકો લાપતા હોવાનું પણ સામે આવ્યું છે. આ દુર્ઘટનાએ નેપાળમાં ભારે તબાહી મચાવી છે.ભારતે સહયોગ અને સમર્થનની ખાતરી આપીભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ દુઃખદ ઘટનાના સમયમાં ભારતે નેપાળ સરકાર અને ત્યાંના લોકો પ્રત્યે એકતા અને સમર્થન વ્યક્ત કર્યું છે. નજીકના મિત્ર અને ભાગીદાર તરીકે ભારતે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હોવાનું જણાવાયું છે. ભારતે નેપાળમાં રાહત, પુનઃનિર્માણ અને રિકવરીના પ્રયાસોમાં આગળ પણ સહયોગ ચાલુ રાખવાની ખાતરી આપી છે. આ પણ વાંચો  :  Janmashtami 2026 Live : દ્વારકા, ડાકોર, મથુરા-વૃંદાવનમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, કાન્હાના જન્મની આતુરતાથી રાહ

Read Full Story arrow_forward