android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા
calendar_today September 7, 2026

Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી દિવસોમાં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ દરમિયાન અંબાજી તથા રણુજા જતા દર્શનાર્થીઓને નિશાન બનાવતી એક ખતરનાક પથ્થરમારા લૂંટારૂ ગેંગ સક્રિય થઈ હતી. ગત 30 ઓગસ્ટના રોજ ગણાપીપળી ઢાળ પાસે નિલેશભાઈ ખોખરીયા નામના શખ્સની કાર પર આ ગેંગે પથ્થરમારો કરી, કાર રોકાવી છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.અંબાજી હાઇવે પર લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશઆ ઘટના અંગે હડાદ પોલીસ મથકે ગુનો નોંધાતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્વોને નાથવા ચક્રો ગતિમાન કર્યા હતા. હડાદ પોલીસની ટીમે બાતમીદારો, ટેકનિકલ સરવેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ માહિતી મેળવીને દરોડો પાડ્યો હતો. પોલીસે લૂંટની યોજના બનાવતી અને આચર્તી આ ગેંગના ૫ સ્થાનિક લૂંટારાઓને ઝડપી પાડ્યા છે.આંબા અને દાંતાના 5 શખ્સોને દબોચી લીધાઝડપાયેલા આરોપીઓમાં રાણપુર આંબા ગામના સતરા ધર્માભાઈ સોલંકી, તેજા ભગાભાઈ પરમાર, રાજુ રમેશભાઈ અંગારી, રમેશ કેશાભાઈ અંગારી તેમજ દાંતાના ચીખલા ગામના કાળા સકરાભાઈ ડુંગાઈસાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના બનાવોમાં ઉપયોગમાં લેવાતા ધાતક હથિયારો (છરી વગેરે) અને બાઇક જપ્ત કર્યા છે.આરોપીઓ સામે હડાદ પોલીસ સ્ટેશનમાં લૂંટ, લૂંટનો પ્રયાસ અને ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરાયા છે. મહામેળા પૂર્વે હડાદ પોલીસની આ કડક કાર્યવાહીથી અંબાજી હાઇવે પરથી પસાર થતાં માઇભક્તો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.આ પણ વાંચો:Gandhinagar: IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ

Read Full Story arrow_forward
7 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર
calendar_today September 7, 2026

7 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોPakistan Political News: વતન પરત ફરશે Asif Ali Zardari, Asim Munirની યોજનાથી પાકિસ્તાનમાં નવો ડ્રામા!CM Vijay vs Rahul Gandhi: PMની રેસમાં રાહુલ ગાંધીના સ્વપ્ન પર 'વિજય'નો બ્રેક, TVKના પગલાથી કોંગ્રેસ ચિંતામાંLPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડરViral Video: પાકિસ્તાનમાં વૃંદાવન...! કરાચીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, ભીડ જોઇ ચોંકી જશોJapan Heavy Rain News: જાપાનમાં Krovanh વાવાઝોડાનું તાંડવ, 1 કલાકમાં 110mm વરસાદ, આગામી 48 કલાક અત્યંત ભારેExplainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવારGalgalia Project: નેપાળ બોર્ડર પાસે ₹2077 કરોડમાં તૈયાર થશે 'સિલીગુડી કોરિડોર નંબર 2'Ahmedabad : અમદાવાદની કોર્ટમાં RDX બ્લાસ્ટની ધમકીમાં સનસનીખેજ ખુલાસોપાકિસ્તાનના ખેલાડીઓ ફરી વિવાદમાં, ગંભીર આરોપમાં આ ખેલાડીઓની થશે તપાસBhopal: લો બોલો... હવે MBBS ઇન્ટર્ન રસ્તા પર ઉતર્યા! જાણો કેમ? પોલીસ સાથે કરી ધક્કામુક્કી

Read Full Story arrow_forward
Ahmedabadમાં AMTSની શ્રાવણ બસ સેવા 3 દિવસ માટે મોકૂફ
calendar_today September 7, 2026

Ahmedabadમાં AMTSની શ્રાવણ બસ સેવા 3 દિવસ માટે મોકૂફ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શરૂ કરવામાં આવેલી વિશેષ "શ્રાવણ બસ સેવા" અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ લોકપ્રિય બસ સેવાને આવતીકાલથી આગામી 3 દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક આકસ્મિક કારણોસર આ સેવા હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું AMTS વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.પૂર્વ નિર્ધારિત ટૂર અંગે સ્પષ્ટતા શ્રાવણ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન અર્થે આ વિશેષ બસો ચલાવવામાં આવે છે, જેને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. જોકે, આકસ્મિક સંજોગોને કારણે બસ સેવા મોકૂફ રાખવાની ફરજ પડી છે. AMTS વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ 3 દિવસના ગાળા દરમિયાન જે ટૂર પહેલાથી જ રજિસ્ટર થઈ ચૂકી છે, તેને પૂર્ણ કરવામાં આવશે જેથી અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને કોઈ અગવડ ન પડે.આગામી નિર્ણય અંગે મુસાફરોમાં આતુરતા આ નિર્ણયના કારણે અચાનક મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા શ્રદ્ધાળુઓને થોડી હાલાકી વેઠવી પડશે. 3 દિવસ બાદ આ સેવા પૂર્વવત ક્યારથી શરૂ થશે તે અંગે AMTS દ્વારા ટૂંક સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને આગળની માહિતી આપવામાં આવશે. તંત્ર દ્વારા મુસાફરોને આકસ્મિક ફેરફાર બદલ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward