android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BJP Youth Meet: નિતિન નવીનની 45 યુવા નેતાઓ સાથે બેઠક, યુવાનો સાથે સંવાદ અને ભાગીદારી વધારવા પર ભાર
calendar_today August 30, 2026

BJP Youth Meet: નિતિન નવીનની 45 યુવા નેતાઓ સાથે બેઠક, યુવાનો સાથે સંવાદ અને ભાગીદારી વધારવા પર ભાર

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને શનિવારે દેશભરમાંથી બોલાવવામાં આવેલા પાર્ટીના પસંદગીના 45 યુવા નેતાઓ સાથે દેશના યુવાનોના મુદ્દા પર ચર્ચા કરી. બેઠકમાં દેશના યુવાનો સાથે સંવાદ અને ભાગીદારીને લઈને તમામ સહભાગીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો. આ અંગે તમામ નેતાઓએ પોતાના અભિપ્રાય અને સૂચનો આપ્યા. Gen-Z શબ્દના બદલે ‘યુવાનો’ કહેવા પર ભારસૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેટલાક નેતાઓએ કહ્યું કે તમામ યુવાનોને એક જ શ્રેણીમાં રાખવા યોગ્ય નથી. સાથે જ Gen-Z શબ્દની જગ્યાએ યુવા અને ખાસ વય જૂથના યુવાનો જેવા શબ્દોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો. બેઠકમાં સામેલ કેટલાક નેતાઓનું પણ કહેવું હતું કે દેશના યુવાનોને એક જ શ્રેણીમાં ન રાખવા જોઈએ, કારણ કે તેમની વચ્ચે અલગ-અલગ ગ્રુપના યુવાનો હોઈ શકે છે. તમામ પ્રકારના યુવાનો સાથે અલગ-અલગ રીતે વ્યવહાર અને સંવાદ પર ભાર મૂકવામાં આવ્યો.દેશના યુવાનો સાથે સંવાદબેઠકમાં સામેલ એક કેન્દ્રીય મંત્રીએ પણ કહ્યું કે આ માત્ર સમયની વાત છે, ધીમે-ધીમે બધું ઠીક થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દેશના યુવાનો સાથે સંવાદ વધારવાની વાત કરી અને તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યારે પણ આપણે તેમની વચ્ચે જઈએ ત્યારે માત્ર પોતાની વાત કહીને ત્યાંથી નીકળી ન જવું જોઈએ. પરંતુ આપણે યુવાનોની વાતો પણ સાંભળવી જોઈએ અને તેમની ભાગીદારી પણ વધારવી જોઈએ.કાર્યકરોનો નેતૃત્વમાં વિશ્વાસ વધુ વધે તે માટે પણ પ્રયાસઆ બેઠકમાં સામેલ એક નેતાએ કહ્યું કે યુવાનો સાથે સંવાદ જરૂરી છે, પરંતુ તેમની સાથે સંવાદ વધારતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તુલનાત્મક રીતે ઉંમરમાં મોટા પાર્ટીના જૂના સમર્થકો નારાજ ન થાય અથવા તેઓ ઉપેક્ષિત અનુભવ ન કરે. આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. અન્ય એક નેતાએ સૂચન કર્યું કે યુવાનો સાથે સંવાદ વધારવો યોગ્ય પગલું છે, પરંતુ પાર્ટીના વર્ષો જૂના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવો પણ એટલો જ જરૂરી છે. પાર્ટીના કેડર અને કાર્યકરોનો નેતૃત્વમાં વિશ્વાસ વધુ વધે તે માટે પણ પ્રયાસ થવો જોઈએ.ટીમ લીડર તરીકે આ નેતાઓને મળી જવાબદારીસૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં સામેલ તમામ નેતાઓ સાથે આગળ પણ બેઠક કરવામાં આવશે. આ નેતાઓ સાથે ટૂંક સમયમાં ફિઝિકલ અથવા વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવશે. માહિતી અનુસાર નિતિન નવીનની બેઠકમાં સામેલ નેતાઓના અલગ-અલગ 5/6 ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ગ્રુપના ટીમ લીડર તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢ સરકારમાં મંત્રી ઓપી ચૌધરી જેવા નેતાઓને આગળ કરવામાં આવ્યા છે. ગ્રુપમાં સામેલ તમામ નેતાઓ યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પોતાના-પોતાના ટીમ લીડરને સૂચનો અને સલાહ મોકલશે, જેને બાદમાં એકત્રિત કરવામાં આવશે.ટીમ લીડરને મોકલશે સૂચનોબેઠકમાં સામેલ તમામ નેતાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવી છે કે આગામી સાત-આઠ દિવસમાં પોતાના-પોતાના સૂચનો પોતાના ટીમ લીડરને મોકલે. તમામને એવું પણ કહેવામાં આવ્યું છે કે 10 સપ્ટેમ્બર પહેલાં તેઓ પોતાના સૂચનો પોતાના ગ્રુપના નિયુક્ત વ્યક્તિને આપી દે, જેથી તેમને એક જગ્યાએ એકત્રિત કરી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર આ 45 નેતાઓ પાસેથી મળેલા સૂચનોને એકત્રિત કરીને તેમને પાર્ટીના કાર્યક્રમોમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી વડાપ્રધાનના જનસેવામાં 25 વર્ષ પૂર્ણ થવા પર ચલાવવામાં આવનારા કાર્યક્રમ ‘સેવા સંકલ્પ મહોત્સવ’ દરમિયાન યુવાનો વચ્ચે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવા અને તેમને જોડવાની તૈયારી છે.બેઠકમાં સામેલ થયા આ નેતાઓબેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજસ્થાનની નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ પણ ભાગ લીધો. આ ઉપરાંત છત્તીસગઢના નાણામંત્રી ઓપી ચૌધરી, ગુજરાત સરકારમાં મંત્રી રિવાબા જાડેજા, દિલ્હી સરકારમાં મંત્રી કપિલ મિશ્રા, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પંકજા મુંડે અને દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્મા જેવા મંત્રીઓએ પણ ભાગ લીધો.તમામ નેતાઓએ પોતાના-પોતાના સૂચનો આપ્યા આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ત્રણ પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુર, પૂનમ મહાજન અને તેજસ્વી સૂર્યાએ પણ ભાગ લીધો.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને સાંસદ રવિ કિશન ઉપરાંત અન્ય યુવા નેતાઓમાં બાંસુરી સ્વરાજ, સુધાંશુ ત્રિવેદી, સંદીપ પાઠક, રાજુ બિષ્ટા, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમંગ જોશી, ગુરુ પ્રકાશ પાસવાન જેવા નેતાઓ બેઠકમાં સામેલ થયા અને તમામ નેતાઓએ પોતાના-પોતાના સૂચનો આપ્યા.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ

Read Full Story arrow_forward
Surat : નાનપુરાની કૈલાશ સ્વીટ્સની કાજુકતરીમાંથી ફૂગ નીકળી, પાલિકાની કડક કાર્યવાહી
calendar_today August 30, 2026

Surat : નાનપુરાની કૈલાશ સ્વીટ્સની કાજુકતરીમાંથી ફૂગ નીકળી, પાલિકાની કડક કાર્યવાહી

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી કૈલાશ સ્વીટ્સની કાજુકતરીમાંથી ફૂગ મળી આવતા ચકચાર મચી છે. મહિલા કોર્પોરેટર હીનાબેને તાત્કાલિક ફરિયાદ કરતાં પાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. સ્થળ તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો મળી આવતા પાલિકાએ કાર્યવાહી કરી હતી.ફરિયાદ મળતા આરોગ્ય વિભાગ દોડતું થયુંકાજુકતરીમાંથી ફૂગ નીકળવાની ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. તહેવારના દિવસોમાં મીઠાઈની માંગ વધતી હોય છે ત્યારે આવી ફરિયાદ સામે આવતા ખાદ્ય ચીજોની ગુણવત્તા અને જાળવણી સામે પણ સવાલો ઊભા થયા છે.પાલિકાની સ્થળ તપાસપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોના ભંગ બદલ કૈલાશ સ્વીટ્સને 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ અખાદ્ય મીઠાઈનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.3 કિલો અખાદ્ય જથ્થાનો નાશતપાસ દરમિયાન મળી આવેલો અંદાજે 3 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂગ લાગેલી કાજુકતરી ગ્રાહકો સુધી પહોંચી હોત તો તેમના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શક્યું હોત.તહેવાર ટાણે ફૂડ સેફ્ટીના નિયમો સામે સવાલતહેવારના દિવસોમાં સુરતની અનેક જાણીતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવી રહી છે. ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવામાં બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.મીઠાઈ ખરીદતા ગ્રાહકોએ પણ સાવચેત રહેવું જરૂરીતહેવાર દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય સામગ્રીની ખરીદી કરતી વખતે ગ્રાહકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. મીઠાઈની ગુણવત્તા, તાજગી અને પેકિંગની તારીખ તપાસ્યા બાદ જ ખરીદી કરવી જોઈએ. બીજી તરફ આવા કિસ્સાઓ સામે સતત અને કડક તપાસ જરૂરી બની છે.  આ પણ વાંચો    :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Weather Update: ભારે વરસાદને પગલે ચિત્રકૂટમાં પૂરની સ્થિતિ, 16 રાજ્યોમાં અપાયું ભારે વરસાદનું એલર્ટ
calendar_today August 30, 2026

Weather Update: ભારે વરસાદને પગલે ચિત્રકૂટમાં પૂરની સ્થિતિ, 16 રાજ્યોમાં અપાયું ભારે વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, દિલ્હી-એનસીઆર સહિત દેશના ૧૬ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપને કારણે ચોમાસું ફરી એકવાર અત્યંત આક્રમક બન્યું છે, જેના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી આ સિલસિલો યથાવત રહેવાની સંભાવના છે.સતત વરસાદને કારણે ચિત્રકૂટમાં પૂરસૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં મધ્ય પ્રદેશના વિંધ્ય અને બુંદેલખંડ ક્ષેત્રનો સમાવેશ થાય છે. સતત 18કલાકના મુશળધાર વરસાદને કારણે સતના, છતરપુર, ટીકમગઢ અને પન્ના સહિત યુપી-એમપી સરહદે આવેલા ચિત્રકૂટમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અહીં પૌરાણિક મંદાકિની નદી ખતરાના નિશાનથી ઉપર એટલે કે આશરે ૩૦ ફૂટની ઊંચાઈએ વહી રહી છે, જેને પગલે કિનારાના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ગંગા અને ગંડક નદીઓનું જળસ્તર વધ્યુંબીજી તરફ, બિહારમાં પણ ગંગા અને ગંડક નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નેપાળમાં આવેલા પૂર અને સ્થાનિક વરસાદને કારણે પટના, ગયા, ભોજપુર, વૈશાલી, ભાગલપુર અને દરભંગા સહિત છ થી વધુ જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પટનામાં ગંગા નદી પર આવેલો દિઘા ઘાટ સંપૂર્ણપણે ડૂબી ગયો છે, અને તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા કડક સૂચના અપાઈ છે. લોકોને સાવચેત રહેવા કરાઇ અપીલઆ ઉપરાંત દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણામાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Nepal Flood: નેપાળમાં આવી રહી છે ફરી તબાહી? ભોટેકોશી નદીનું જળસ્તર વધતા અપાયું એલર્ટ

Read Full Story arrow_forward