android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: PM મોદીના વડોદરા આગમન પૂર્વે જામ્યો શિવભક્તિનો રંગ, કૈલાશ ખેરના સુરોથી પરિસર ગુંજી ઊઠ્યું
calendar_today September 7, 2026

Gujarat Latest News Live: PM મોદીના વડોદરા આગમન પૂર્વે જામ્યો શિવભક્તિનો રંગ, કૈલાશ ખેરના સુરોથી પરિસર ગુંજી ઊઠ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા
calendar_today September 7, 2026

Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા

ચર્ચસ્પદ ભાવનગર અને બોટાદ લઠ્ઠાકાંડ કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને તપાસ દરમિયાન એક મહત્વનો કડીરૂપ સફળતા મળી છે. લઠ્ઠાકાંડમાં વપરાયેલા ઝેરી મિથેનોલ કેમિકલનો મુખ્ય જથ્થો પૂરો પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર દિલ્હીના ટ્રેડર મનજીતસિંઘની SMC એ ધરપકડ કરી છે.ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC નો મોટો ધડાકોમનજીતસિંઘ દિલ્હી ખાતે 'જીત કેમિકલ' ના નામે કંપની ચલાવતો હતો અને તેણે આઉટ ઓફ ઇન્ડિયા (વિદેશ)થી થિનર કેમિકલ મંગાવીને ગુજરાતમાં સપ્લાય કર્યું હોવાની કબૂલાત SMC એ કોર્ટ સમક્ષ કરી હતી. SMC દ્વારા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટે તમામ દલીલો સાંભળીને આરોપી મનજીતસિંઘના 10 સપ્ટેમ્બર સુધીના ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, આ કેસમાં અગાઉ પકડાયેલા અને પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા વધુ 9 આરોપીઓના રિમાન્ડની મુદત પૂરી થતાં SMC એ તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તપાસ એજન્સી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતાં કોર્ટના આદેશથી તમામ 9 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે.કુલ 38 આરોપીઓ જેલના સળિયા પાછળ!ઉલ્લેખનીય છે કે આ અગાઉ 29 આરોપીઓને જેલહવાલે કરાયા હતા. હવે વધુ 9 આરોપીઓ જેલ ભેગા થતાં આ કાંડમાં જેલહવાલે થયેલા આરોપીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કાયદાનો સિકંજો કસાતાં બેદરકાર પોલીસ કર્મચારીઓ સહિત કુલ 40 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.દિલ્હીના ટ્રેડરની પૂછપરછમાં કેમિકલ નેટવર્ક અને વિદેશથી મંગાવવામાં આવતા કેમિકલના ગેરકાયદે વેપારના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.આ પણ વાંચો: Junagadh: વણઝારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ મામલે DEO દોડ્યા, આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી

Read Full Story arrow_forward
Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું
calendar_today September 7, 2026

Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા નવાગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર રોડની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ચગદાજી ગયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માતઅથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે કારનું ટાયર ધડાકા સાથે નીકળીને રસ્તા પર દૂર સુધી ફેંકાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ આવતાં આસપાસના સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. સામાન્ય રીતે આવી ભયાનક અથડામણમાં ગંભીર જાનહાની થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ આ અકસ્માતમાં સમયસર કારની સેફ્ટી એરબેગ્સ ખુલી ગઈ હતી. એરબેગ્સ ખુલવાના કારણે કારચાલક અને તેમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ થતાં બચી ગઈ હતી.એરબેગ્સ સમયસર ખુલી જતાં ચમત્કારિક બચાવસદનસીબે કોઈ જાનહાની ન થતાં સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા

Read Full Story arrow_forward