android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
8 September Top News: PM મોદીનો ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ, 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અને મુખ્ય સમાચાર
calendar_today September 7, 2026

8 September Top News: PM મોદીનો ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ, 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અને મુખ્ય સમાચાર

8 સપ્ટેમ્બરનો દિવસ દેશ અને વિદેશની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે રહેશે, જ્યાં તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. દેશમાં હવામાન વિભાગે 20 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં મહત્વના રાજકીય અને વહીવટી કાર્યક્રમો યોજાશે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાક્ષરતા અને ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવશે.PM મોદીનો ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસવડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાતે રહેશે. બપોરે 12:00 વાગ્યે તેઓ વડોદરા ખાતે 35,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તથા જનસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે 5:45 વાગ્યે મુંબઈ ખાતે 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026'નું ઉદ્ઘાટન કરશે.અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કાર્યભાર સંભાળશેશ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યાના નવનિયુક્ત CEO એર માર્શલ (રિટાયર્ડ) જીતેન્દ્ર મિશ્ર 8 સપ્ટેમ્બરના રોજ વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કરશે. આ પહેલા વૈદેહી ભવનમાં ટ્રસ્ટીઓ સાથેની બેઠકમાં CEOની કાર્યપ્રણાલી અને જવાબદારીઓની SOP આખરી કરવામાં આવી હતી.રાહુલ ગાંધીનો બે દિવસીય રાયબરેલી પ્રવાસરાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરના રોજ તેમના સંસદીય ક્ષેત્રના બે દિવસીય પ્રવાસે પહોંચશે. પ્રથમ દિવસે તેઓ સ્થાનિક બિઝનેસ કમ્યુનિટી સાથે સંવાદ કરશે અને 9 સપ્ટેમ્બરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠકમાં ભાગ લેશે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8 થી 10 સપ્ટેમ્બર સુધી શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ શ્રીલંકાના ઉચ્ચ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને કોલંબોમાં ભારતીય સમુદાય સાથે સંવાદ સાધશે.ઇજિપ્ત એર શોમાં ભારતીય વાયુસેનાની 'સારંગ' ટીમભારતીય વાયુસેનાની પ્રખ્યાત 'સારંગ' હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અલ-અલામીન આંતરરાષ્ટ્રીય એર શોમાં ભાગ લેવા માટે ઇજિપ્ત પહોંચી છે. આ એર શો 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાર્યક્રમઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 8 સપ્ટેમ્બરના રોજ અયોધ્યાની મુલાકાતે રહેશે. તેઓ સવારે 11:00 વાગ્યે યોજાનારા આંગણવાડી સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.ઝારખંડમાં ભરતી પરીક્ષા ધાંધલી સામે ભાજપનું આંદોલનJPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગડબડીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી 8 સપ્ટેમ્બરથી ઝારખંડમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરી રહી છે. ભાજપની માગ છે કે, વિદ્યાર્થીઓ પરના કેસો પાછા ખેંચવામાં આવે અને સમગ્ર મામલાની CBI તપાસ થાય.દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટહવામાન વિભાગે 8 સપ્ટેમ્બરના રોજ 13 કલાકની અંદર દેશના 20 રાજ્યોમાં મુસળધાર વરસાદ અને 70 થી 80 km/h ની ઝડપે વાવાઝોડાની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ અને પૂર્વ ભારતમાં વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સાવચેત રહેવા જણાવાયું છે.આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસUNESCO દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ માનવ અધિકાર તરીકે સાક્ષરતાનું મહત્વ દર્શાવે છે અને સમાજમાં શિક્ષણના વ્યાપને પ્રોત્સાહન આપે છે.વિશ્વ ફિઝિયોથેરાપી દિવસવૈશ્વિક આરોગ્ય અને શારીરિક ક્ષમતા સુધારવામાં ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકાને બિરદાવવા માટે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે. 1951માં આ જ દિવસે ફિઝિયોથેરાપીના વૈશ્વિક સંગઠનની સ્થાપના થઈ હતી.8 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ1320 - જિયાસુદ્દીન તુઘલક: દિલ્હી સલ્તનત પર વિજય મેળવીને તુઘલુક વંશની સ્થાપના કરી.1840 - ભાવનગર રાજ્ય ચલણ: ઠાકોર વજેસિંગ અને બ્રિટિશ સત્તા વચ્ચેના કરાર મુજબ ભાવનગરનું સત્તાવાર નાણું 'ઇમ્પિરિયલ રૂપિયો' બન્યું.1504 - માઇકલએન્જલોની શિલ્પકૃતિ: ઈટાલીના ફ્લોરેન્સમાં વિશ્વવિખ્યાત આરસપહાણની મૂર્તિ 'ડેવિડ'નું અનાવરણ કરવામાં આવ્યું.1941 - લેનિનગ્રાડની ઘેરાબંધી: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝી સેનાએ રશિયાના લેનિનગ્રાડ શહેરને 28 મહિના માટે ઘેરી લીધું.1951 - સેન ફ્રાન્સિસ્કો સંધિ: બીજા વિશ્વયુદ્ધને સત્તાવાર રીતે સમાપ્ત કરવા જાપાને 48 દેશો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.1960 - ફિરોઝ ગાંધી એક્ટ: ભારતીય સંસદે ભ્રષ્ટાચાર રોકવા અને પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે આ મહત્વપૂર્ણ એક્ટ પસાર કર્યો.1962 - ચીન-ભારત સરહદ વિવાદ: ચીનની સેનાએ ભારતની પૂર્વીય સરહદ ઓળંગીને આક્રમણ શરુ કર્યું.1966 - સ્ટાર ટ્રેક સિરીઝ: પ્રખ્યાત સાયન્સ-ફિક્શન શો 'સ્ટાર ટ્રેક'નો પ્રથમ એપિસોડ અમેરિકાના NBC પર પ્રસારિત થયો.1988 - વિજયપત સિંઘાનિયાની સાહસિક ઉડાન: ભારતીય ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયા લંડનથી નાના માઇક્રો લાઇટ એરક્રાફ્ટમાં ઉડીને સફળતાપૂર્વક અમદાવાદ પહોંચ્યા.2008 - નાણાવટી-મેહતા કમિશન: 2002ના ગોધરા ટ્રેન દુર્ઘટના અહેવાલનો પ્રથમ ભાગ ગુજરાત સરકારને સોંપવામાં આવ્યો.2022 - ક્વીન એલિઝાબેથ II: બ્રિટન પર 70 વર્ષ શાસન કરનારા મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં અવસાન થયું.8 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1887 - સ્વામી શિવાનંદ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને 'ડિવાઇન લાઇફ સોસાયટી'ના સ્થાપક.1926 - ભૂપેન હજારિકા: ભારતના સુપ્રસિદ્ધ ગાયક, સંગીતકાર, કવિ અને 'ભારત રત્ન'થી સન્માનિત કલાકાર.1933 - આશા ભોંસલે: હિન્દી સિનેમાના દંતકથા સમાન અને સદાબહાર પાર્શ્વ ગાયિકા.1989 - અવની ચતુર્વેદી: ભારતની પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટ્સમાંના એક.8 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1960 - ફિરોઝ ગાંધી: ભારતના સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પતિ.1982 - શેખ અબ્દુલ્લા: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી, જેઓ 'શેર-એ-કાશ્મીર' તરીકે જાણીતા હતા.2019 - રામ જેઠમલાણી: ભારતના ટોચના ફોજદારી વકીલ અને પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી.આ પણ વાંચો: Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર

Read Full Story arrow_forward
Morbi News: બુટલેગર શેર તો પોલીસ સવા શેર, દારૂની હેરાફેરી કરવા કરી આવી કારીગરી
calendar_today September 7, 2026

Morbi News: બુટલેગર શેર તો પોલીસ સવા શેર, દારૂની હેરાફેરી કરવા કરી આવી કારીગરી

મોરબી-રાજકોટ હાઇવે પરથી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ટંકારા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર શંકાસ્પદ કારને અટકાવીને તપાસ હાથ ધરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બૂટલેગરો પોલીસથી બચવા માટે વાહનમાં ખાસ પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરી હતી, પરંતુ પોલીસે તેમની ચાલાકી નિષ્ફળ બનાવી દીધી હતી.કારમાં ખાસ ચોરખાનું બનાવી ચાલી રહી હતી હેરાફેરીપોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, બૂટલેગરોએ કારમાં ગુપ્ત ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને બોર્ડર પારથી હેરાફેરી કરવામાં આવી રહી હતી. ટંકારા પોલીસે વાહનની કાળજીપૂર્વક તલાશી લેતા ચોરખાનામાંથી કુલ 1248 નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક ધોરણે જપ્ત કરી લીધા છે.બે આરોપીઓની સ્થળ પરથી અટકાયત, રાજસ્થાન કનેક્શન ખુલ્યુંઆ ગેરકાયદે હેરાફેરીના મામલે પોલીસે સ્થળ પરથી જ દશરથ રબારી અને બાબુ રબારી નામના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂના જથ્થા પાછળ રાજસ્થાનના મહેન્દ્ર રબારીનું નામ ખૂલવા પામ્યું છે. ટંકારા પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર રબારીને ઝડપી પાડવા માટે આગળની કાનૂની તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ

Read Full Story arrow_forward
Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ
calendar_today September 7, 2026

Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ

સુરતમાં ખંડણી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ગુનેગાર સાકિબ જરીવાલા આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી વિદેશ ભાગી છૂટ્યો હતો, પરંતુ સુરતની લાલગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લૂકઆઉટ નોટિસના આધારે તેને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.લાલગેટ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ખંડણીના ગુનાપોલીસ રેકોર્ડ મુજબ આરોપી સાકિબ જરીવાલા વિરુદ્ધ સુરતના લાલગેટ અને રાંદેર વિસ્તારમાં ખંડણી વસૂલવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુના આચર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે નાસી છૂટ્યો હતો અને ગુપ્ત રીતે દુબઈ પહોંચી ગયો હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી અને તેની સામે કાનૂની શિકંજો કસવામાં આવી રહ્યો હતો.લિવરની બીમારી સારવાર બાદ પરત ફરતા ઇમિગ્રેશને દિલ્હી ખાતે ડિટેઈન કર્યોદુબઈમાં રોકાણ દરમિયાન સાકિબ જરીવાલાને લિવરની ગંભીર બીમારી થતાં તેને ત્યાં 5 મહિના સુધી રોકાવું પડ્યું હતું. 5 મહિનાની સારવાર બાદ જેવો તે ભારતમાં પરત ફર્યો કે તરત જ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે તેને ડિટેઈન કરી લીધો હતો. ઇમિગ્રેશન વિભાગે આ અંગે લાલગેટ પોલીસને જાણ કરતા, લાલગેટ પોલીસની ટીમે દિલ્હી પહોંચી આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી

Read Full Story arrow_forward