android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: પાંચ રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, 6 ઓક્ટોબરે થશે મતદાન
calendar_today September 7, 2026

Gujarat Latest News Live: પાંચ રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, 6 ઓક્ટોબરે થશે મતદાન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar : અછતની સ્થિતિ પર સરકારનું મંથન, કિસાન સંઘે દુષ્કાળ જાહેર કરવાની કરી માગ
calendar_today September 7, 2026

Gandhinagar : અછતની સ્થિતિ પર સરકારનું મંથન, કિસાન સંઘે દુષ્કાળ જાહેર કરવાની કરી માગ

ગુજરાતમાં અછતની સ્થિતિને લઈને સરકારની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી ખેડૂતોની રજૂઆતો અને હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, વન રાજ્યમંત્રી પ્રવીણ માળી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા સહિતના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.કિસાન સંઘે બેઠકમાં શું માંગ્યું?અછતની સ્થિતિને લઈને યોજાયેલી બેઠકમાં કિસાન સંઘના પ્રતિનિધિઓએ પણ પોતાની રજૂઆત કરી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ અને ખેડૂતો સામે ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે સરકાર સમક્ષ વિગતો રજૂ કરવામાં આવી હતી. કિસાન સંઘે માંગ કરી છે કે જ્યાં પૂરતો વરસાદ થયો નથી અને ખેતીને ગંભીર અસર થઈ રહી છે, તેવા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવે.સિંચાઈના પાણીથી વીજળી સુધી ચર્ચાબેઠકમાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા, પૂરતી વીજળી અને અન્ય જરૂરી સહાય સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ક્યાં વિસ્તારોમાં અછતની સ્થિતિ વધુ ગંભીર છે અને ખેડૂતોને તાત્કાલિક કઈ પ્રકારની મદદની જરૂર છે, તેની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.જિલ્લાઓની રજૂઆતોએ સરકાર સામે ઊભા કર્યા સવાલરાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો અને સ્થાનિક સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બેઠકમાં સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. ખેડૂતોને પાક બચાવવા માટે પાણી અને વીજળીની જરૂરિયાત સહિતના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વરસાદની અછત ધરાવતા વિસ્તારોમાં આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.દુષ્કાળ જાહેર થશે કે રાહત પેકેજ આવશે?કિસાન સંઘે સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં વરસાદની ગંભીર અછત છે ત્યાં દુષ્કાળ જાહેર કરવામાં આવે. સાથે જ જે ખેડૂતોને ખરેખર જરૂરિયાત છે તેમને સરકાર દ્વારા યોગ્ય અને તાત્કાલિક મદદ આપવામાં આવે.સરકાર સામે સૌની નજર બેઠક પૂર્ણ થયા બાદ હવે ખેડૂતોની નજર સરકાર આગામી દિવસોમાં અછતગ્રસ્ત વિસ્તારો અને દુષ્કાળ અંગે શું નિર્ણય લે છે તેના પર રહેશે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ? 

Read Full Story arrow_forward
Chhota Udepur : વરસાદ માટે મહાદેવને વિનંતી, શિવલિંગને જળમગ્ન કરી ભક્તોની અનોખી પ્રાર્થના
calendar_today September 7, 2026

Chhota Udepur : વરસાદ માટે મહાદેવને વિનંતી, શિવલિંગને જળમગ્ન કરી ભક્તોની અનોખી પ્રાર્થના

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ઓરસંગ નદી કિનારે આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વરસાદને રીઝવવા માટે શિવભક્તો દ્વારા ખાસ જળાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્ષો જૂની લોકમાન્યતા પાછળ ભેગા થયા ભક્તોવરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત ગ્રામજનો ચિંતામાં છે. ત્યારે શિવલિંગને જળમાં ડૂબાડવાથી મેઘરાજા મન મૂકીને વરસે છે તેવી વર્ષો જૂની લોકમાન્યતાને ધ્યાનમાં રાખીને આ ધાર્મિક અનુષ્ઠાન યોજવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં જળાભિષેક કરતા પહેલા શિવભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી મહાદેવની પૂજા-અર્ચના કરી હતી.માનવ સાંકળ બનાવી પહોંચાડ્યું પાણીપૂજાવિધિ પૂર્ણ થયા બાદ ભક્તોએ અનોખી રીતે માનવ સાંકળ બનાવી હતી. ભક્તો એક લાઈનમાં ઊભા રહ્યા હતા અને ઘડા, ડોલ તથા લોટી દ્વારા એકબીજાને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આસ્થાભેર યોજાયેલા આ અનુષ્ઠાન દરમિયાન ભક્તોએ મહાદેવની આરાધના કરી મેઘરાજાને ભરપૂર વરસવાની પ્રાર્થના કરી હતી.શિવલિંગને સંપૂર્ણપણે જળમગ્ન કરાયુંધાર્મિક અનુષ્ઠાન દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં આવેલા શિવલિંગને સંપૂર્ણપણે પાણીમાં ડૂબાડીને જળમગ્ન કરવામાં આવ્યું હતું. લોકમાન્યતા મુજબ શિવલિંગ જળમગ્ન થતાં મેઘરાજા પ્રસન્ન થાય છે અને વરસાદ વરસાવે છે. આ માન્યતાને આધારે ભક્તોએ એકમુખે મહાદેવને પ્રાર્થના કરી હતી.ધરતીપુત્રોની ચિંતા દૂર કરવાની પ્રાર્થનાવરસાદ ખેંચાતાં ખેતી અને ગ્રામ્ય જીવન પર અસરની ચિંતા વધી રહી છે. ત્યારે શિવભક્તોએ મહાદેવને પ્રાર્થના કરી હતી કે ખેડૂતો અને ગામલોકોની ચિંતા દૂર થાય અને રાજ્યમાં વહેલી તકે સારો વરસાદ વરસે. બહાદરપુર ગામમાં યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં આસ્થા અને વરસાદની આશા બંનેનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું.  આ પણ વાંચો :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward