android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : બિહારમાં પૂરથી 22 લાખ લોકો પ્રભાવિત, ગંગા નદીએ પટનામાં જૂનો રેકોર્ડ તોડ્યો
calendar_today September 7, 2026

Gujarat Latest News Live : બિહારમાં પૂરથી 22 લાખ લોકો પ્રભાવિત, ગંગા નદીએ પટનામાં જૂનો રેકોર્ડ તોડ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ
calendar_today September 7, 2026

Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યાના બનાવો અટકાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં સુધારો કરીને નવી જોગવાઈ વિનિયમ-16(ખ) દાખલ કરી છે.આ સુધારા અન્વયે શાળાઓમાં તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા અને આત્મહત્યા નિવારણ માટે ખાસ દિશાનિર્દેશો લાગુ કરવામાં આવ્યા છે.શિક્ષણ વિભાગનો નવો પરિપત્રશિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ઠરાવ અનુસાર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને કલ્યાણ ત્યારે જ શક્ય છે જ્યારે તેમનું માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી રહે. વિદ્યાર્થીઓ પરીક્ષા કે અભ્યાસના બોજ હેઠળ આવ્યા વિના તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે અર્થે શાળાઓમાં હવેથી નિયમિત કાઉન્સેલિંગ સેશન્સ, જાગૃતિ કાર્યક્રમો અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયત પ્રક્રિયાઓ હાથ ધરવાની રહેશે.આ ઉપરાંત પરિશિષ્ટ-8માં દર્શાવેલ જોગવાઈઓ મુજબ કામગીરી કરીને માનસિક તણાવમાં રહેતા અથવા આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે.શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સંભાળ અનિવાર્યઆ મહત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા તથા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમના સંદર્ભમાં લેવાયો છે.સુપ્રિમ કોર્ટે દેશની તમામ સરકારી,ખાનગી શાળાઓ, કોલેજો, તાલીમ કેન્દ્રો અને કોચિંગ સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત 15 બાધ્યકારી માર્ગદર્શિકાઓ અને 4 નિર્દેશો જારી કર્યા હતા.આ ઉપરાંત NCERT દ્વારા તૈયાર કરાયેલ UMMEED માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાને રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યપાલના હુકમથી શિક્ષણ વિભાગના ઉપ સચિવ એસ.આઈ.ગોહિલ દ્વારા મંજૂર કરાયેલા આ ઠરાવથી હવે ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સંભાળ લેવી કાનૂની રીતે અનિવાર્ય બનશે જેથી કોઈ પણ માસૂમ વિદ્યાર્થી તણાવને કારણે આત્મઘાતી પગલું ન ભરે.આ પણ વાંચોઃ Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

Read Full Story arrow_forward
Punjab:અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા મચી ચકચાર, 7 ફ્લાઇટ્સ કરાઇ ડાયવર્ટ
calendar_today September 7, 2026

Punjab:અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા મચી ચકચાર, 7 ફ્લાઇટ્સ કરાઇ ડાયવર્ટ

Punjab: અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર જવાની ફરજ પડી હતી. સાવચેતીના પગલા તરીકે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં બે થી ચાર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા.મળતી માહીતિ અનુસાર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ રનવે નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા તાત્કાલિક ચેતવણી જારી કરી હતી અને સુરક્ષા કારણોસર દિલ્હી અને ચંદીગઢ આવતી સાત ફ્લાઇટ્સને ડાયવર્ટ કરી હતી.સંવેદનશીલ વિસ્તાર પર ડ્રોન ફરતા હતાશંકાસ્પદ ડ્રોન અથવા તેમના જેવા ઉડતા પદાર્થો રાજાલા ગામની દિશામાંથી એરપોર્ટની નજીક આવતા જોવા મળ્યા હતા. ડ્રોન રનવે અને આસપાસના સંવેદનશીલ વિસ્તાર પર ઘણી મિનિટો સુધી ફરતા રહ્યા. રનવે નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા, ATC એ ચેતવણી જારી કરી હતી, અને કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર; સર્ચ ઓપરેશન શરૂઆ એક સરહદી જિલ્લો હોવાથી આ ઘટનાને ગંભીર સુરક્ષા ભંગ તરીકે ગણવામાં આવી હતી અને CISF, પંજાબ પોલીસ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક એલર્ટ પર રાખવામાં આવી હતી. આ ઘટના બાદ, સુરક્ષા દળોએ રાજાલા ગામ અને એરપોર્ટને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટેકનિકલ ટીમો ડ્રોન ઓપરેટરોને ઓળખવા અને તેમના ચોક્કસ ઉડાન માર્ગને શોધવા માટે રડાર અને CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. એરપોર્ટ અધિકારીઓ જણાવે છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં તપાસ ચાલી રહી છે.એર ટ્રાફિક કંટ્રોલ ચેતવણી જાહેર કરીઆ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. રનવે નજીક શંકાસ્પદ ગતિવિધિ જોયા પછી, એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક કાર્યવાહી કરીને ચેતવણી જારી કરી અને સુરક્ષા કારણોસર દિલ્હી અને ચંદીગઢ તરફ આવતી સાત ફ્લાઇટ્સને ડાયવર્ટ કરી. મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા, ATC એ વિમાનના ઉતરાણને અટકાવ્યું અને ઉડાન માર્ગો બદલી નાખ્યા.7 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવીમલેશિયા એરલાઇન્સ (MH-118): કુઆલાલંપુરથી અમૃતસર (દિલ્હી તરફ ડાયવર્ટ)ઇન્ડિગો (6E-5028): મુંબઈથી અમૃતસર (ચંદીગઢ તરફ ડાયવર્ટ)ઇન્ડિગો (6E-2045): દિલ્હીથી અમૃતસર (ચંદીગઢ તરફ ડાયવર્ટ)એર ઇન્ડિયા (AI-479): દિલ્હીથી અમૃતસર (દિલ્હી પરત)એર ઇન્ડિયા (AI-855): દિલ્હીથી અમૃતસર (દિલ્હી પરત)ઇન્ડિગો (6E-1428): શારજાહથી અમૃતસર (દિલ્હી તરફ ડાયવર્ટ)એર ઇન્ડિયા એક્સપ્રેસ (IX-138): શારજાહથી અમૃતસર (દિલ્હી તરફ ડાયવર્ટ)

Read Full Story arrow_forward