android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થાને બ્રિટિશ મેડિકલ જર્નલ સાઉથ એશિયા ઍવૉર્ડ
calendar_today September 7, 2026

ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થાને બ્રિટિશ મેડિકલ જર્નલ સાઉથ એશિયા ઍવૉર્ડ

ઝઘડિયા : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ આપતી ઝઘડિયાની સેવા રૂરલ સંસ્થાને બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) સાઉથ એશિયા એવોર્ડ-2026 મળ્યો છે. આએવોર્ડને મેડિકલ જગતમાં મેડિસિનનો ઓસ્કાર કહેવાય છે. જેની દિલ્હીમાં જાહેરાત કરાઈ હતી. સેવા રૂરલને સિકલ સેલ રોગમાં સગર્ભા મહિલાઓની ઉત્કૃષ્ટ સંભાળ માટે આ સન્માન મળ્યું છે. દક્ષિણપૂર્વ એશિયામાંથી 700 થી વધુ સંસ્થાઓ આ સ્પર્ધામાં હતી. તેમાંથી સેવા રૂરલની પસંદગી કરાઈ છે. સંસ્થાએ છેલ્લા 10 વર્ષમાં આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલને કારણે થતા માતા મૃત્યુદરમાં 50 % ઘટાડો કર્યો છે. આ ઉપરાંત, મૃતજન્મ ની ઘટનાઓમાં પણ 67% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે.આ સફ્ળતા બદલ સેવા રૂરલની ટીમને અભિનંદન પાઠવ્યા છે. આનાથી સેવા રૂરલના મોડેલનો લાભ અન્ય જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પણ પહોંચાડી શકાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ માટે બિલ્વપૂજા
calendar_today September 8, 2026

ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ માટે બિલ્વપૂજા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દેવોના દેવ મહાદેવજીને બિલ્વાર્પણ કરી વૈશ્વિક કલ્યાણની ભાવના વ્યકત કરવામાં આવી હતી. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયાબજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે મહાદેવજીને બિલ્વાર્પણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાનું માનવામાં આવે છે.શ્રધ્ધાળુઓ દ્વારા શ્રાવણ માસ દરમ્યાન મહાદેવજીને બિલ્વપત્ર અર્પણ કરી સુખ-શાંતિ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રસંગે મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં શાસ્ત્રી હિતેશભાઈ વ્યાસ મહારાજે વદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીની પૂજા-અર્ચના કરાવી હતી. શ્રદ્ધાભેર બિલ્વાર્પણ કરી વિશ્વના કલ્યાણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુકલ, શ્રી પરશુરામ સંગઠન ભરૂ જિલ્લાના સ્થાપક હરેશ પુરોહિત, હેમલ દવે, ધર્મેશ ભટ્ટ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્દીયા, પિયુષભાઈ વીણ સહિત સંગઠન તથા ટ્રસ્ટના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવપુર્વક મહાદેવજીની બિલ્વપૂજાનો લાભ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા
calendar_today September 8, 2026

સગાઈ રેન્જમાં ગેરકાયદે લઇ જવાતાં રૂા. 1.32 લાખના લાકડા ઝડપાયા

સગાઇ રેન્જમાં વનવિભાગના પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે સાગી લાકડા કાપીને બોલેરો પીકઅપમાં લઇ જવાતો રૂા.1,32,697ના જથ્થા સાથે બે ઇસમની પોલીસે વનવિભાગે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.સગાઈ રેન્જના RFO જે.એ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વનવિભાગના સ્ટાફ્ દ્વારા તા. 2-9-26ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંગત બાતમીને આધારે બંટાવાડી ગામની સીમ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતી બોલેરો પીકઅપ ગાડી નં.GJ-19-Y-0318નો પીછો કરી તેને રોકી હતી. જેમાં તપાસ કરતાં તેમાં સાગી લાકડાના ચોરસ નંગ-28, કુલ 2.170 ઘનમીટર જથ્થો મળી આવ્યો હતો.જપ્ત કરાયેલા સાગી લાકડાંની અંદાજિત કિં. રૂા.1,32,697 હોવાનું જાણવા મળ્યું છે. વનવિભાગના સ્ટાફ્ દ્વારા લાકડાના જથ્થા સાથે બોલેરો પીકઅપ વાહન પણ જપ્ત કરાયું હતું. આ મામલે વાહનચાલક સોમા સોનજી વસાવા, (રહે. કનબુડી, તા. દેડિયાપાડા) તેમજ તપાસ દરમિયાન મળેલ ખાનસીંગ નગરીયા વસાવા, (રહે. નાની સીંગલોટી, તા. દેડિયાપાડા) સામે કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. જપ્ત કરાયેલા સાગી લાકડાની કિં. રૂ.1,32,697 તથા બોલેરો પીકઅપ વાહનની કિં. રૂ. 4,50,000 મળી કુલ રૂ. 5,82,697નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જંગલ સંપત્તિની હેરાફેરી ઝડપાતા હવે સમગ્ર મામલે વધુ તપાસ જરૂરી બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward