રામોલ તળાવડીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવાતું હોવાની આશંકાથી ભારે દુર્ગંધ
રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલી ઐતિહાસિક રામોલ ગામની તળાવડી હાલ તંત્રની ઘોર ઉપેક્ષા અને પ્રદૂષણનો ભોગ બની છે. રામોલ ગામ તરફ જતાં માર્ગ પર આવેલી આ તળાવડી છેલ્લા પખવાડિયાથી લીલના લીલા પડથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. તળાવમાં ચારે તરફ્ સપાટી પર માત્ર લીલનું જ સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.ચોમાસાની ઋતુ હોવાથી એક તરફ વરસાદી પાણીની આવક થઈ રહી છે, તો બીજી તરફ તળાવના દૂષિત પાણીમાંથી આવતી દુર્ગંધે સ્થાનિક રહીશોનું જીવવું હરામ કરી દીધું છે. સ્થાનિક લોકોના ગંભીર આક્ષેપ મુજબ, તળાવની આસપાસ આવેલા કેટલાક ઔદ્યોગિક એકમો અને કારખાનાઓ દ્વારા કોઈ પણ પ્રકારના પ્રોસેસ વગરનું ઝેરી અને દુર્ગંધયુક્ત કેમિકલવાળું પાણી સીધું જ આ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. ચોમાસામાં આ દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિકોની માંગ છે કે તળાવની સપાટી પર જામી ગયેલી જાડી લીલ અને એકઠો થયેલો કચરો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. તેમજ તળાવમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ગંદુ પાણી છોડતા કારખાનાઓની તપાસ કરી જવાબદારો સામે સખત કાનૂની પગલા ભરવામાં આવે. સાથે જ તળાવડીનું બ્યુટીફ્કિેશન કરી તેને પ્રદૂષણમુક્ત રાખવા માટે યોગ્ય વિઝિલન્સ ગોઠવવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward