android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: લખતરમાં સદાદના સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવ મંદિરે યોજાયો રક્તદાન કેમ્પ, 67 બોટલ બ્લડ એકત્રિત
calendar_today August 30, 2026

Surendranagar News: લખતરમાં સદાદના સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવ મંદિરે યોજાયો રક્તદાન કેમ્પ, 67 બોટલ બ્લડ એકત્રિત

લખતર તાલુકાના સદાદ અને લખતર ગામની સીમાડે આવેલ સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવજીના પવિત્ર મંદિર પરિસરમાં શ્રાવણ માસ નિમિત્તે એક વિશેષ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદાદ ઉટેશ્વર સમિતિ તેમજ લાઈફ લાઈન બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે મહા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કેમ્પમાં ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભાઈઓ સાથે બહેનોએ પણ કર્યું ઉત્સાહપૂર્વક રક્તદાનઆ રક્તદાન કેમ્પની વિશેષતા એ રહી કે તેમાં સ્થાનિક યુવાનો અને ભાઈઓની સાથે મોટી સંખ્યામાં બહેનોએ પણ આગળ આવીને રક્તદાન કર્યું હતું. માનવતાના આ ઉમદા કાર્યમાં લાઈફ લાઈન બ્લડ સેન્ટરના ડો. પ્રવીણભાઈ વ્યાસ, રવિભાઈ રાઠોડ અને પરવેઝભાઈ ચૌહાણ સહિતની તબીબી ટીમે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી હતી.રક્તદાતાઓ વધતાં લોહીની બોટલો ખૂટી પડીરક્તદાન કેમ્પમાં શ્રદ્ધાળુઓ અને સેવકોનો રક્તદાન કરવા માટે એટલો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કે, બ્લડ સેન્ટરની ટીમને બોટલોની અછત વર્તાઈ હતી. લાઈફ લાઈન બ્લડ સેન્ટરની ટીમ પોતાની સાથે કુલ 67 બોટલ લઈને આવી હતી, જે તમામ 67 બોટલ રક્તથી ભરાઈ ગઈ હતી. રક્તદાતાઓની સંખ્યા વધતાં અંતે બોટલો ખૂટી પડી હતી, જે સ્થાનિકોના અદ્ભુત પ્રતિસાદ દર્શાવે છે.કેમ્પ બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજનઉટેશ્વર મહાદેવજીના મંદિરના પ્રાંગણમાં સફળતાપૂર્વક યોજાયેલા આ રક્તદાન કેમ્પના સમાપન બાદ સદાદ ઉટેશ્વર સમિતિના સેવકો દ્વારા તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ અને દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ રક્તદાન જેવા મહાદાનના કાર્યમાં સહભાગી બની શ્રાવણ માસની ઉજવણીને અર્થપૂર્ણ બનાવી હતી.આ પણ વાંચો - Surendranagar News: લખતરના વડેખણ ખાતે 1.18 કરોડના ખર્ચે શાળાનું ખાતમૂહૂર્ત અને આંગણવાડીનું લોકાર્પણ

Read Full Story arrow_forward
Halvad: પોલીસે સરા રોડ પરથી 500 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપી; 3 તસ્કરો અરેસ્ટ
calendar_today August 30, 2026

Halvad: પોલીસે સરા રોડ પરથી 500 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપી; 3 તસ્કરો અરેસ્ટ

મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની બંદી નાબૂદ કરવા હાથ ધરવામાં આવેલા વિશેષ ચેકિંગ અભિયાન અંતર્ગત હળવદ પોલીસ ટીમે મોટી સફળતા મેળવી છે. હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સરા રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દેશી દારૂનો કન્ટેનર જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.હળવદ પોલીસે દેશી દારૂ ભરેલી કાર ઝડપી આ બાતમીના આધારે હળવદ પોલીસે સરા રોડ પર ઘનશ્યામપુર ગામ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને ઘેરીને અટકાવી હતી.પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 1 લાખ આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા ત્રણ આરોપીઓ - ફિરોઝ મકરાણી, આસિફ મીર અને અફઝલ મકરાણીની અટકાયત કરી લીધી હતી.ઘનશ્યામપુર નજીકથી 3 બુટલેગરોની ધરપકડપોલીસે રૂ. 1 લાખનો દેશી દારૂ અને રૂ. 3 લાખની કાર મળીને કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂના કૌભાંડમાં શિવરાજ કાળિયા નામના શખ્સની સંડોવણી સામે આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સઘન તપાસ શરુ કરી છે.આ પણ વાંચો: Meghraj: સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપનો દબદબો; જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત 7 બિનહરીફ

Read Full Story arrow_forward
Gandhinagar News: સવર્ણ એકતા મંચના નેજા હેઠળ બિન-અનામત વર્ગના આગેવાનો એકત્ર થશે
calendar_today August 30, 2026

Gandhinagar News: સવર્ણ એકતા મંચના નેજા હેઠળ બિન-અનામત વર્ગના આગેવાનો એકત્ર થશે

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાવો વધી રહ્યો છે.બિન અનામત વર્ગના આગેવાનો ફરી એકવાર પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને એક મંચ પર આવ્યા છે.ગાંધીનગર ખાતે સવર્ણ એકતા મંચના નેજા હેઠળ સવર્ણ સમાજના તમામ અગ્રણી આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળશે.જેમાં આગામી સમયની રણનીતિ નક્કી કરવા માટે ગહન મંથન કરવામાં આવશે.આ બેઠકમાં અનામતના કાયદા, અનામત આંદોલન અને UGC સહિતના રાજ્ય તથા કેન્દ્ર સ્તરના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરાશે.સરકાર સામે માગણીઓ અને મુદ્દાઓ રજૂ કરશેઆ ઉપરાંત, દેશભરમાં અનામત સુધારા અંગે ચાલી રહેલા આંદોલનને સવર્ણ એકતા મંચ દ્વારા પૂર્ણ સમર્થન અને ટેકો જાહેર કરવામાં આવશે.પાટીદાર અને બિન-અનામત વર્ગના આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે,સવર્ણ સમાજના તમામ આગેવાનોએ એકઠા થઈને અનામત અને UGC કાયદા જેવા મહત્ત્વના મુદ્દાઓની સમીક્ષા કરશે.આ બેઠકમાં સર્વસંમતિથી જે પણ નિર્ણય લેવાશે તે મુજબ જ આગામી કાર્યક્રમો આપીને કામગીરી કરવામાં આવશે.બેઠક દરમિયાન આગેવાનોએ સરકાર સામે માગણીઓ અને મુદ્દાઓ રજૂ કરશે.10 દિવસમાં બિન-અનામત આયોગમાં નિમણૂક માટે અલ્ટિમેટમજેમ આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા આર્થિક અનામત આપવામાં આવે છે તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ 10 ટકા અનામત આપવાની માગ છે.બિન અનામત વર્ગ આયોગમાં લાંબા સમયથી ચેરમેન અને સભ્યોની જગ્યાઓ ખાલી પડી છે જે તાત્કાલિક ભરવામાં આવે તેવી પણ માગ કરાશે. સવર્ણ સમાજના આગેવાનોની થનારી આ બેઠક પરથી રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવતા 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આવનારા 10 દિવસમાં બિન-અનામત આયોગમાં ચેરમેન અને સભ્યોની નિમણૂક અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને બિન-અનામત આયોગની કચેરીને તાળાં મારવામાં આવશે. આ પણ વાંચોઃ Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો

Read Full Story arrow_forward