android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Lucknow : રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું 'આજે દુનિયા ભારતની વાત ધ્યાનથી સાંભળે છે'
calendar_today August 30, 2026

Lucknow : રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું 'આજે દુનિયા ભારતની વાત ધ્યાનથી સાંભળે છે'

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. લખનઉમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારતની પ્રગતિ અને તેની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાને સ્વીકારી રહ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે લગભગ 10થી 12 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત પોતાની વાત રજૂ કરતું ત્યારે તેને હંમેશા અપેક્ષિત ગંભીરતા મળતી નહોતી. જોકે, આજે જ્યારે ભારત વૈશ્વિક મંચ પર પોતાની વાત રજૂ કરે છે ત્યારે સમગ્ર વિશ્વ તેને ધ્યાનપૂર્વક સાંભળે છે. તેમના મતે, આ ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાનું પરિણામ છે.યુવાનોને આગળ વધવા માટે પૂરતી તકો મળેરક્ષા મંત્રીએ 'વિકસિત ભારત'ના અર્થ અંગે પણ વિસ્તૃત વાત કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો અર્થ માત્ર મોટા પ્રોજેક્ટ્સ, આધુનિક ઈમારતો કે શહેરોના વિકાસ સુધી મર્યાદિત નથી. સાચો વિકાસ ત્યારે કહેવાય જ્યારે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચે અને યુવાનોને આગળ વધવા માટે પૂરતી તકો મળે. તેમણે વધુમાં કહ્યું કે દિવ્યાંગ બાળકોને પણ સમાજથી પાછળ રહી ગયાની લાગણી ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમના મતે, આ જ વાસ્તવિક વિકાસની ઓળખ છે.વિકાસનો લાભ દરેક વિસ્તાર સુધી પહોંચવો જોઈએરાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે વિકસિત ભારત બનાવવાની યાત્રા માત્ર મોટા શહેરો સુધી સીમિત ન રહેવી જોઈએ. વિકાસનો લાભ દરેક વિસ્તાર, દરેક મહોલ્લા અને દરેક પરિવાર સુધી પહોંચવો જોઈએ. તેમણે ઉત્તર પ્રદેશ અને લખનઉમાં મુખ્યમંત્રી દ્વારા આ દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી અને તેમના કાર્યને સમર્પણ તથા નિષ્ઠા સાથે આગળ વધારવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું.આ પણ વાંચો : West Bengal: અભિષેક બેનર્જીની મુશ્કેલી વધી, મંગળવારે હાજર થવા આદેશ

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE: ખરાબ હવામાનના કારણે નવી મુંબઈ-દીવ ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ
calendar_today August 30, 2026

Gujarat Latest News LIVE: ખરાબ હવામાનના કારણે નવી મુંબઈ-દીવ ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Borsad: કુખ્યાત ચીખલીગર ગેંગના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા, મહાવીરનગરની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
calendar_today August 30, 2026

Borsad: કુખ્યાત ચીખલીગર ગેંગના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા, મહાવીરનગરની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

આણંદ જિલ્લાના બોરસદ ટાઉન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને નિશાન બનાવી ચોરી આચરતી ગેંગને ડામી દેવા બોરસદ ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ મારુતિ એસ્ટાર કારને આંતરીને તપાસ હાથ ધરી હતી.કારમાં રેકી કરી બંધ મકાનોમાં ચોરી આચરતી ગેંગકારમાં સવાર ચાર શખ્સોની તલાશી લેતાં તેમની પાસેથી ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા તાળા તોડવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આ ચારેય શખ્સો કુખ્યાત ચીખલીગર ગેંગના સાગરીતો હોવાનું અને વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરી ચોરી કરવાની યોજના બનાવી રહ્યા હોવાની કબૂલાત કરી હતી. મહાવીરનગરની 3 ચોરીનો ઉકેલાયો ભેદઝડપાયેલા આરોપીઓ બલબીરસિંગ ઉર્ફે બલ્લી અને કરણસિંગ ઉર્ફે કાના સહિતના ચારેય સાગરીતોએ બોરસદના મહાવીરનગરમાં આવેલા ત્રણ બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મારુતિ એસ્ટાર કાર મળી કુલ રૂપિયા 98,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.98 હજારનો મુદ્દામાલ કબ્જેચીખલીગર ગેંગના આરોપીઓ વિરુદ્ધ અગાઉ કયા કયા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે તે અંગે પોલીસે હિસ્ટ્રી શsheet ખોલી તપાસ શરૂ કરી છે. આ ચોરીના કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. બોરસદ ટાઉન પોલીસે ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: હીરાબાગ નજીક બ્રિજ નીચે ભીષણ આગ, એક્ટિવા બળીને ખાખ, કાપોદ્રા ફાયરે આગ પર મેળવ્યો કાબૂ

Read Full Story arrow_forward