android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા
calendar_today September 9, 2026

Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી યોજનાના લાભાર્થી પાસેથી લાંચ માગનાર ચીલરવાંટના ગ્રામસેવક સામે લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. પ્રાપ્ય વિગતો અનુસાર, ચીલરવાંટ ગ્રામ પંચાયતમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા માધવભાઈ મનુશંકર ધાંધલિયાએ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મંજૂર થયેલી ટ્રેક્ટર યોજનાની રૂ. 1 લાખની સબસિડીનો ચેક અરજદારને આપવાના બદલામાં રૂ. 7 હજારની લાંચની કાયદેસરની માગણી કરી હતી.ગ્રામસેવક લાંચ લેતા ઝડપાયોઅરજદાર લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તુરંત જ લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કરી ગ્રામસેવક સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે છોટાઉદેપુર ACB ની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. યોજના મુજબ, બરોજ ગામ ખાતેથી ગ્રામસેવક માધવભાઈ ધાંધલિયા અરજદાર પાસેથી રૂ. 7,000 ની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, બરાબર તે જ સમયે વોચમાં રહેલી એસીબીની ટીમે દરોડો પાડીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટACB ની ટીમે સ્થળ પરથી લાંચની રકમ કબ્જે કરી ગ્રામસેવક માધવભાઈ ધાંધલિયા સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. સરકારી કર્મચારી એસીબીના હાથ ઝડપાઈ જતાં સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ પણ વાંચો: Surendranagar: લીંબડી હાઇવે પરથી કન્ટેનરમાંથી 1.26 કરોડનો દારૂ જપ્ત, રાજસ્થાનના ડ્રાઇવરની અટકાયત

Read Full Story arrow_forward
Gujarat ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર, સેલથી સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારી,
calendar_today September 9, 2026

Gujarat ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર, સેલથી સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારી,

ગુજરાત ભાજપે સંગઠનના વિવિધ સેલ અને વિભાગમાં પ્રભારીઓની નિમણૂક કરી છે. સંગઠનના કામકાજને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવેલી આ નિમણૂકોમાં પક્ષના અનુભવી આગેવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.વિવિધ સેલની જવાબદારી ભરતસિંહ પરમારનેભાજપના વિવિધ સેલના પ્રભારી પદે પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનમાં અગાઉ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા ભરતસિંહ પરમારને હવે વિવિધ સેલના સંકલન અને કામગીરીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.સોશિયલ મીડિયાની કમાન ભરત ડાંગરનેસોશિયલ મીડિયા પ્રભારી તરીકે પૂર્વ સહ પ્રવક્તા ભરત ડાંગરને જવાબદારી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા આજના રાજકારણમાં મહત્વનું માધ્યમ બની રહ્યું છે ત્યારે ભાજપે આ વિભાગ માટે ભરત ડાંગર પર પસંદગી ઉતારી છે.મનોગતની જવાબદારી ફરી નિમેષ જોશીનેભાજપના પ્રકાશન ‘મનોગત’ની જવાબદારી વધુ એક વખત નિમેષ જોશીને સોંપવામાં આવી છે. અગાઉની કામગીરી બાદ ફરી તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે.કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકો સાથે સંગઠનના વિવિધ વિભાગોમાં કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ
calendar_today September 9, 2026

Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ

ગુજરાતના ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, રાજ્યમાં ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે.ગાંધીનગરથી ખેડૂતો માટે મોટા સમાચારઆ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતોને 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ સરકાર નક્કી કરેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે ચાર ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી આવરી લેવામાં આવી છે.ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા VCE નો સંપર્ક કરવાનો રહેશે.ખેડૂતોને નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાગળો જેવા કે 7/12, 8-અ ના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગતો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે.આ પણ વાંચો: Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા

Read Full Story arrow_forward