android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Santrampur : પિતાનો ખૌફનાક ખેલ,  3 માસના માસૂમને કૂવામાં ફેંક્યો, કૌટુંબિક ઝઘડાનો કરુણ અંત
calendar_today September 9, 2026

Santrampur : પિતાનો ખૌફનાક ખેલ, 3 માસના માસૂમને કૂવામાં ફેંક્યો, કૌટુંબિક ઝઘડાનો કરુણ અંત

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કૌટુંબિક ઝઘડાએ હૃદયદ્રાવક વળાંક લીધો છે. ઝાલડા ગામમાં પતિ-પત્ની વચ્ચે થયેલા પારિવારિક વિવાદ બાદ પિતાએ પોતાના જ 3 માસના માસૂમ પુત્રને પાણી ભરેલા કૂવામાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ છે. ઘટનામાં બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ છવાયો છે.પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ અચાનક કયો વળાંક લીધો?મળતી વિગતો મુજબ ઝાલડા ગામના આશિષભાઈ બારીયાને તેમની પત્ની સાથે કોઈ પારિવારિક મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો વધુ વણસ્યો હતો. આક્ષેપ મુજબ ગુસ્સામાં આવેલા આશિષભાઈએ પોતાના 3 માસના પુત્રને પાણી ભરેલા કૂવામાં ફેંકી દીધો હતો.માસૂમના મોત બાદ માતાએ જ પતિ સામે ફરિયાદ કરીઘટના બાદ માસૂમ પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોતાના બાળક માટે ન્યાયની માંગ સાથે માતાએ સંતરામપુર પોલીસ મથકે પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.હવે પોલીસની તપાસમાં કયા સવાલોના જવાબ મળશે?પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. કૌટુંબિક ઝઘડાની શરૂઆત કયા મુદ્દે થઈ હતી, ઘટના કઈ પરિસ્થિતિમાં બની અને સમગ્ર ઘટનાની ચોક્કસ હકીકત શું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ઘટનાએ સંતરામપુર પંથકને હચમચાવી નાખ્યો ત્રણ મહિનાના માસૂમના મોતની આ ઘટનાએ સંતરામપુર પંથકને હચમચાવી નાખ્યો છે. પરિવારના આંતરિક વિવાદે નિર્દોષ બાળકનો જીવ લઈ લેતાં ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો  :    Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ

Read Full Story arrow_forward
Swine Flu: લક્ષણો સ્વાઇન ફ્લૂના, પણ રિપોર્ટ નેગેટીવ આવે, તો શું  આ બીમારી હોય ખરા ?
calendar_today September 9, 2026

Swine Flu: લક્ષણો સ્વાઇન ફ્લૂના, પણ રિપોર્ટ નેગેટીવ આવે, તો શું આ બીમારી હોય ખરા ?

દિલ્હીમાં સ્વાઇન ફ્લુના કેસ વધ્યા છે. ત્યારે ઘણીવાર એવુ જોવા મળે છે કે સ્વાઇન ફ્લુનો ટેસ્ટ કરાવો તો રિપોર્ટ નેગેટીવ આવે પરંતુ લક્ષણો તો સ્વાઇન ફ્લુના જ જોવા મળે, ત્યારે આવી સ્થિતિમાં શું સમજવુ. આવો જાણીએ નિષ્ણાંતો શું કહે છે. લક્ષણો સ્વાઇન ફ્લૂના અને રિપોર્ટ નેગેટીવ કેવી રીતે ? દિલ્હીની નામચીન હોસ્પિટલના એક નિષ્ણાંત ડોક્ટર  જણાવે છે કે સ્વાઇન ફ્લૂ (H1N1) ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો પણ દર્દી ફ્લૂ જેવા લક્ષણો બતાવી શકે છે. આના ઘણા કારણો છે. ઘણા કિસ્સાઓમાં, વાયરલ લોડ ખૂબ ઓછો હોય છે લક્ષણો દેખાય છે, પરંતુ ટેસ્ટ સ્વાઇન ફ્લૂ વાયરસ શોધી શકતું નથી. વધુમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો મોસમી વાયરલ ચેપ જેવા જ હોય ​​છે. પરિણામે, જ્યારે તે સ્વાઇન ફ્લૂ લાગે છે, તે વાસ્તવમાં એક સામાન્ય વાયરલ ચેપ હોઈ શકે છે. જો ખોટા સમયે અથવા ખોટી પદ્ધતિનો ઉપયોગ કરીને નમૂના લેવામાં આવે તો પણ નકારાત્મક રિપોર્ટ આવી શકે છે. જેમ કે જો ચેપના ખૂબ જ પ્રારંભિક તબક્કા દરમિયાન ગળા અથવા નાકમાંથી સ્વેબનો નમૂનો લેવામાં આવે છે અથવા ખોટી રીતે લેવામાં આવે છે, તો પરિણામ ખોટું નકારાત્મક હોઈ શકે છે.અન્ય વાયરલ ચેપ પણ હોઇ શકે અન્ય નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યાનુસાર રોગના લક્ષણો હોવા છતાં પણ સ્વાઇન ફ્લૂ પરીક્ષણ નકારાત્મક પરિણામ આપી શકે છે. આના વિવિધ કારણો છે. જોકે લક્ષણો સ્વાઇન ફ્લૂ જેવા હોઈ શકે છે, વ્યક્તિ ખરેખર રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ (RSV) થી સંક્રમિત થઈ શકે છે જે તાવ, ગળામાં દુખાવો અને શરદી જેવા લક્ષણોનું કારણ પણ બની શકે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જો ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે, તો વ્યક્તિએ આપમેળે એવું ન માનવું જોઈએ કે તે સ્વાઇન ફ્લૂ છે.  તે કોઇ બીજો વાયરલ ચેપ હોઈ શકે છે. ડૉ. ચંદ્રકાંત નોંધે છે કે આ સમયે સામાન્ય ફ્લૂ, RSV ચેપ, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ પણ પ્રચલિત છે. ઘણા લક્ષણો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેથી, જો કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ રોગોથી પોતાને કેવી રીતે બચાવવુંજો કે ડોક્ટર્સ હાથની સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂકે છે. જમતા પહેલા તમારા હાથ ધોવા અને ભીડવાળા વિસ્તારોની મુલાકાત લેતી વખતે માસ્ક પહેરો. ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળો. સ્વ-દવા ન કરો; તેના બદલે, ડૉક્ટરની સલાહ લો.

Read Full Story arrow_forward
Neem Karoli Baba: રાંચરડામાં સંકટમોચન હનુમાન મંદિરમાં ઉજવાશે નીમ કરોલી બાબાનો મહાસમાધિ દિવસ, જાણો તારીખ અને કાર્યક્રમ
calendar_today September 9, 2026

Neem Karoli Baba: રાંચરડામાં સંકટમોચન હનુમાન મંદિરમાં ઉજવાશે નીમ કરોલી બાબાનો મહાસમાધિ દિવસ, જાણો તારીખ અને કાર્યક્રમ

ઉત્તરાખંડના પ્રસિદ્ધ અને શ્રદ્ધાળુઓમાં હનુમાનજીનો અવતાર ગણાતા પૂજ્ય સંત નીમ કરોલી બાબાનો ‘મહાસમાધિ દિવસ’ શુક્રવાર, તા. 11 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી ઉજવાશે. રાંચરડા ખાતે આવેલ શ્રી સંકટમોચન હનુમાન નીમ કરોલી બાબા મંદિર ખાતે આ નિમિત્તે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.દિવસભરના ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું આયોજનમંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉજવણીનો પ્રારંભ સવારે 8:00 વાગ્યે નીમ કરોલી બાબાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવશે. સાંજે 8:30 વાગ્યે 11 હનુમાન ચાલીસાના સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.વિશ્રામ અવસ્થામાં બિરાજમાન હનુમાનજીનું ભારતનું ચોથું દિવ્ય મંદિરઆ ધામની વિશેષતા એ છે કે, સમગ્ર ભારતમાં આ ચોથું એવું દિવ્ય મંદિર છે, જ્યાં હનુમાનજી મહારાજ વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે. શ્રદ્ધાળુઓની આસ્થાના આ કેન્દ્ર ખાતે દર રવિવારે સાંજે 5:30 વાગ્યે સુંદરકાંડના પાઠનું પણ નિયમિત આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે."Love All, Serve All, Feed All"ના સૂત્ર સાથે માનવ સેવાસંત નીમ કરોલી બાબાની અમૂલ્ય શિક્ષા 'સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો, સૌને ભોજન કરાવો'ને સાર્થક કરતા મંદિર મારફતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવાય છે. મંદિરના 3 'રામ રોટી સેવા રથ' મારફતે દરરોજ નિયમિતપણે આશરે 500 જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજન પ્રસાદ પહોંચાડવામાં આવે છે. બાબાના આશીર્વાદથી આ ધામ સતત શ્રદ્ધા, આસ્થા અને માનવ સેવાનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે.આ પણ વાંચો: Hanuman Ansh Team Meets CM Yogi: ‘હનુમાન અંશ’ની ટીમ પહોંચી CM યોગીના દરબારમાં!

Read Full Story arrow_forward