android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કોંગ્રેસ MLAએ કર્યું રાષ્ટ્રગીતનું અપમાન, વંદેમાતરમ્ શરૂ થતા જ બેસી ગયા ઇમરાન ખેડાવાળા
calendar_today September 9, 2026

કોંગ્રેસ MLAએ કર્યું રાષ્ટ્રગીતનું અપમાન, વંદેમાતરમ્ શરૂ થતા જ બેસી ગયા ઇમરાન ખેડાવાળા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ભારતીય સંસદીય પ્રણાલી અને વિધાયક પરંપરા અનુસાર વિધાનસભા સત્રની શરૂઆત હંમેશા 'વંદે માતરમ્'ના સમૂહગાન સાથે કરવાની અવિરત પરંપરા રહી છે. તમામ સભ્યો રાષ્ટ્રગીત/રાષ્ટ્રગાનના સન્માનમાં પોતાની જગ્યા પર ઊભા રહીને આ ગાનમાં ભાગ લેતા હોય છે, પરંતુ આજના સત્રની શરૂઆતમાં જ એક અભૂતપૂર્વ વિવાદ સર્જાયો હતો.રાષ્ટ્રગીત દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય બેસી જતાં સભાગૃહમાં ગરમાવોરાષ્ટ્રગીત વંદે માતરમ્ શરૂ થતાંની સાથે જ ગૃહના તમામ સભ્યો સન્માનમાં ઊભા થયા હતા, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ગાન શરૂ થયા બાદ થોડી જ ક્ષણોમાં પોતાની સીટ પર બેસી ગયા હતા. જ્યાં એક તરફ કોંગ્રેસના બાકીના તમામ ધારાસભ્યો અને સમગ્ર ગૃહ ગાન પૂર્ણ થાય ત્યાં સુધી અડગ ઊભા રહ્યા હતા, ત્યાં ઇમરાન ખેડાવાળાનું આ પ્રકારનું વર્તન જોઈને સભાગૃહમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી જન્મી હતી.કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને માફી માંગે: ભાજપની માગઆ ઘટનાને પગલે શાસક પક્ષ ભાજપે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટપણે સવાલ ઉઠાવ્યો છે કે, રાષ્ટ્રગાન દરમિયાન બેસી જવું એ ઇમરાન ખેડાવાળાનું વ્યક્તિગત કૃત્ય છે કે, પછી આ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર સ્ટેન્ડ છે? ભાજપ તરફથી માગ કરવામાં આવી છે કે, કોંગ્રેસ પક્ષ ત્વરિત આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરે. સાથે જ, જો આ કૃત્ય જાણીજોઈને દેશના રાષ્ટ્રગીતનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય, તો તેમણે જાહેર માફી માંગવી જોઈએ.અધ્યક્ષને રજૂઆત અને સરકારની ગંભીર નોંધરાજ્ય સરકારે આ સમગ્ર બનાવને અત્યંત ગંભીરતાથી લીધો છે. સંસદીય બાબતો અને લોકશાહી પ્રણાલીઓની પૂરી જાણકારી હોવા છતાં કોંગ્રેસના વિધાયક દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું તે બાબત ચલાવી લેવાય તેમ નથી. આ પહેલાં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં વંદે માતરમ્ ગાન દરમિયાન આવી ઘટના ક્યારેય બની નથી. આ મામલે સરકારે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.આ પણ વાંચો: LIVEGujarat Assembly session Live : ઇમરાન ખેડાવાલા વંદેમાતરમ્ શરૂ થયું ને બેસી ગયા, કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે : વન રાજ્યમંત્રી પ્રવીણ માળી

Read Full Story arrow_forward
Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી
calendar_today September 9, 2026

Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના દરોડા બાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત ૩ ઓગસ્ટના રોજ SMC ની ટીમે દરોડો પાડીને મનપસંદ જીમખાનામાંથી ચાલતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ મામલે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ સહિત કુલ 6 આરોપીઓ સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.અલગ-અલગ ટીમો બનાવી 6 આરોપીઓની ધરપકડPCB ની અલગ-અલગ ટીમો દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને છ આરોપીઓને જુદી-જુદી જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ન ઉઠાવી શકે તે હેતુથી આકરી કાનૂની જોગવાઈઓ સાથે પાસા (PASA) ના હુકમની બજવણી કરવામાં આવી છે. પાસા (PASA) હેઠળ ઝડપાયેલા મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામો પટેલ અને વિપુલ ચન્દ્રકાંતભાઈ શાહને રાજકોટ જેલ ખાતે, કિશોર દેવીલાલ પઢીયાર અને નિકુંજ ઉર્ફે કાલુ મહેશભાઈ ખત્રીને વડોદરા જેલ ખાતે, નારાયણ કમલનાથ પદમનાથ રાવલને ભુજ જેલ ખાતે તેમજ આનંદ મંગાજી મોહનભાઈ ઠાકોરને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહીઅમદાવાદ પોલીસ દ્વારા ગુનાહિત ભૂતકાળ ધરાવતા અને ગેરકાયદે જુગારધામ ચલાવતા તત્વો સામે આ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવતી અથવા ગેરકાયદે ધાક જમાવતી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. SMC અને PCB ની આ સંયુક્ત અને આકરી કાનૂની કાર્યવાહીથી શહેરના અન્ય ગેરકાયદે અડ્ડાઓ ચલાવતા અસામાજિક તત્વોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.આ પણ વાંચો : Vadodaraમાં ગણેશ પંડાલ પર હુમલો! 3 ઈસમો CCTV માં કેદ થતાં બાપોદ પોલીસે શરૂ કરી તપાસ

Read Full Story arrow_forward
Ahmedabad News : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારીના પતિને હાઇકોર્ટમાંથી મોટી રાહત, અપહરણનો અસ્વીકાર કરતાં ધરપકડ પર સ્ટે
calendar_today September 9, 2026

Ahmedabad News : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારીના પતિને હાઇકોર્ટમાંથી મોટી રાહત, અપહરણનો અસ્વીકાર કરતાં ધરપકડ પર સ્ટે

લોકપ્રિય સિંગર કિંજલ રબારી અને તેના પતિ અશોક ચૌધરી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તે પહેલાં જ તેમણે ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે હાજરી આપી હતી. કોર્ટ સમક્ષ કિંજલ રબારીએ ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી. આ મામલે અશોક ચૌધરી સામે દર્જ થયેલી અપહરણની પોલીસ ફરિયાદ શંકાસ્પદ હોવાનું સામે આવતાં ગુજરાત હાઇકોર્ટે તેમને મોટી રાહત આપી છે અને અશોક ચૌધરીની ધરપકડ પર રોક (સ્ટે) લગાવી દીધી છે, જેથી હાલ પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહીં.આ પણ વાંચો : Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી

Read Full Story arrow_forward