android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ
calendar_today August 31, 2026

Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ

રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના 40 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનું મોત દારૂ પીવાના કારણે નીપજ્યું છે. ગેરકાયદેસર રીતે કેનાલ પર વેચાતા ઝેરી દારૂના કારણે જ આ બે યુવકનો જીવ ગયો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. નાની વયે પરિવારના મુખ્ય કમાનાર મોભીનું છત્ર છીનવાઈ જતાં પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ચાણસ્માના ભાટસર અને ઈટોદા ગામના 2 યુવાનોએ જીવ ગુમાવ્યોમળતી વિગતો મુજબ, પ્રથમ ઘટના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામમાં બની હતી, જ્યાં 40 વર્ષીય યુવકનું દારૂ પીવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતા વચ્ચે ઈટોદા ગામના અન્ય એક 35 વર્ષીય યુવકનું પણ દારૂ પીવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. મૃતક યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેણે પહેલીવાર જ દારૂ પીધો હતો અને કેનાલ પર ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે તેનો જીવ ગયો છે. નાની વયે જ પરિવારના મોભી અને 2 નાના બાળકોના પિતાનું અવસાન થતાં બંને પરિવારો વેરવિખેર થઈ ગયા છે.કેનાલ પર 150 થી 200 યુવાનોની લાઈન, ધારાસભ્યનો સ્ફોટક પર્દાફાશઘટનાની જાણ થતાં જ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેમણે તંત્ર સામે અત્યંત ગંભીર આરોપો લગાવતા પર્દાફાશ કર્યો હતો કે, ચાણસ્માના ભાટસર પાસે આવેલી કેનાલ પર રોજ 150 થી 200 જેટલા યુવાનો દારૂ ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. ગામડે-ગામડે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.LCB અને પોલીસ અધિકારીઓ પર હપ્તા વસૂલીના આક્ષેપધારાસભ્ય દિનેશ ઠાકોરે પાટણ LCB અને સ્થાનિક પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, LCB PI આર. જી. ઉનાગર અને કન્સ્ટેબલ કેતન પટેલની રહેમનજર અને હપ્તાખોરી હેઠળ જ દારૂ અને જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, PI આર. જી. ઉનાગરની ભાવનગર ખાતે બદલી થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ પણ પાટણ LCBનો ચાર્જ સંભાળી રહ્યા છે.DYCM હર્ષ સંઘવી સામે સવાલ અને આરપારની લડાઈની ચેતવણીપોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને બદલે હપ્તાના દર વધારી દીધા છે, જેના કારણે બુટલેગરોએ દારૂના ભાવ વધારી દીધા હોવાનો સ્ફોટક દાવો પણ ધારાસભ્યએ કર્યો છે. આ મુદ્દે DGP અને SPને રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવી નથી. ધારાસભ્યએ DYCM હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકારના કડક આદેશો છતાં પોલીસ કેમ દારૂ બંધ નથી કરાવતી? તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો તંત્ર પગલાં નહીં લે તો તેઓ પોતે ગામડે-ગામડે જઈને બુટલેગરો સામે જનતા રેડ અને વ્યાપક ઝુંબેશ ચલાવશે.આ પણ વાંચો - Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ

Read Full Story arrow_forward
Ahmedabad : ગોતામાં વિશાખા ગ્રુપની દાદાગીરી, AMCનો ફૂટપાથ દબાવી ગાર્ડન બનાવ્યાનો આક્ષેપ
calendar_today August 31, 2026

Ahmedabad : ગોતામાં વિશાખા ગ્રુપની દાદાગીરી, AMCનો ફૂટપાથ દબાવી ગાર્ડન બનાવ્યાનો આક્ષેપ

અમદાવાદના ગોતા વિસ્તારમાં બિલ્ડર દ્વારા ફૂટપાથની જગ્યા પર દબાણ કરી નવી સ્કીમ માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા દાવા મુજબ AMCની જગ્યાનો ઉપયોગ કરી સ્કીમના એલિવેશન માટે ફૂટપાથ પર બાંધકામ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.ફૂટપાથ પર જ ગાર્ડન બનાવાયું હોવાનો આરોપગોતામાં નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે ત્યારે ફૂટપાથની જગ્યા પર જ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. બિલ્ડિંગ સ્કીમના એલિવેશનને વધુ આકર્ષક બનાવવા માટે જાહેર ઉપયોગની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ચોમાસાની પાણીની લાઈન પણ દબાવી?આ મામલે વધુ ગંભીર આક્ષેપ એ છે કે ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટેની લાઈન પણ નીચે દબાઈ ગઈ હોવાનું કહેવાય છે. જો પાણીના નિકાલની લાઈન ખરેખર બાંધકામ નીચે દબાઈ હોય તો ભારે વરસાદ દરમિયાન આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.રજૂઆત બાદ માત્ર પાણીની લાઈન ખોલાઈસ્થાનિકો દ્વારા અગાઉ AMC સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર પાણીની લાઈન ખોલી નાખવામાં આવી હોવાનો દાવો છે. જોકે, ફૂટપાથ પર થયેલા કથિત દબાણ અંગે સંપૂર્ણ કાર્યવાહી થઈ કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે.વિશાખા ગ્રુપની સ્કીમ સામે સવાલગોતા વિસ્તારમાં વિશાખા ગ્રુપ દ્વારા નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે. આ સ્કીમના કામ દરમિયાન ફૂટપાથ અને AMCની જગ્યા પર દબાણ થયું હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર સ્થળ તપાસ કરીને હકીકત શું છે તે સ્પષ્ટ કરે તેવી માંગ ઉઠી રહી છે.જાહેર જગ્યા કોની મંજૂરીથી વપરાઈ?સૌથી મોટો સવાલ એ છે કે જો ફૂટપાથ AMCની જાહેર જગ્યા છે તો તેના પર ગાર્ડન અને એલિવેશન માટે બાંધકામ કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી? પાણીની નિકાલની લાઈન પણ બાંધકામ હેઠળ આવી હોય તો તેની જવાબદારી કોની? હવે AMC દ્વારા સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.  આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો
calendar_today August 31, 2026

Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો

રાજકોટ પોલીસ પર લાગેલા જમીન દલાલીના ગંભીર આક્ષેપોના મામલે હવે વધુ એક પીડિત પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે. વિવાદિત PSI ગળચર વિરુદ્ધ અત્યાર સુધીમાં જમીન દલાલીના આક્ષેપો સાથે કુલ 4 પરિવારો સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગેસાણીયા પરિવારે PSI ગળચર પર ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.અરજીના બહાને બોલાવી ધાકધમકીનો આક્ષેપપીડિત પરિવારના જણાવ્યા મુજબ અરજીના બહાને તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ PSI ગળચર દ્વારા ધાકધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતોએ એવો પણ દાવો કર્યો છે કે ગળચરના મળતિયાઓ દ્વારા પણ તેમને વારંવાર ધમકાવવામાં આવતા હતા.8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો દાવોઅગેસાણીયા પરિવારે PSI ગળચર પર કુલ 6 એકર જમીનના મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતોના દાવા મુજબ 6 એકરમાંથી 4 એકર જમીન પરત આપવામાં આવી હતી, પરંતુ અંદાજે 8 કરોડની કિંમત ધરાવતી 2 એકર જમીનના રૂપિયા હજુ સુધી આપવામાં આવ્યા નથી.ટેબલ પરથી પૈસા લઈ જવાનું કહ્યું હતું : પીડિતપીડિત પરિવારે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે 2 એકર જમીનના પૈસા PSI ગળચરના ટેબલ પરથી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પીડિતોના જણાવ્યા મુજબ હજુ સુધી તેમને આ જમીનના એક પણ રૂપિયા મળ્યા નથી.18 વખત ફરિયાદ છતાં કાર્યવાહી નહીં?પીડિત પરિવારના દાવા મુજબ તેમણે રાજકોટ પોલીસમાં અત્યાર સુધી 18 વખત ફરિયાદ કરી છે. છતાં પોતાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. પીડિતોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.પતિના મૃત્યુ મામલે પણ ગંભીર શંકાપીડિત મહિલાએ પોતાના પતિના મૃત્યુ અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ પતિના મૃત્યુ બાબતે શંકા હોવાથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે પીડિત પરિવારે રાજકોટ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.સામાજિક આગેવાનોની પીડિતોને અપીલસામાજિક અગ્રણી દિનેશ બાંભણિયા અને પરસોતમ પીપળીયાએ પણ કથિત રીતે ભોગ બનનાર લોકોને ખુલ્લીને સામે આવવાની અપીલ કરી છે. ભ્રષ્ટાચાર અને જમીન દલાલીના આક્ષેપોમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.    આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward