Gandhinagar News: પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે અલગ યુનિવર્સિટી સ્થપાશે, વિધાનસભામાં રજૂ થશે વિધેયક
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી હતી. આગામી 8થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું સત્ર યોજાશે. ત્રણ દિવસના આ ટૂંકા સત્રમાં સરકારી કામગીરી, વિધેયક અને પ્રશ્નોત્તરી સહિતના મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થશે. 6 સપ્ટેમ્બરે સલાહકાર સમિતીની બેઠક મળશે જેમાં સત્રના એજન્ડા અને ગૃહમાં થનારી કામગીરી અંગે ચર્ચાઓ કરાશે. જીતુ વાઘાણી વિધાનસભામાં આ વિધેયક રજૂ કરશેઆગામી વિધાનસભાના સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિશેષ અભ્યાસ અર્થે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના અંગેનું વિધેયક લાવવામાં આવશે.રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વિધાનસભા ગૃહમાં આ વિધેયક રજૂ કરશે.આ યુનિવર્સિટીની સ્થાપના થવાથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંશોધન અને શિક્ષણને નવો આયામ મળશે.યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ ડિપ્લોમા, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી મુક્ત, ઝીરો બજેટ ખેતી અને દેશી પદ્ધતિઓ પર આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંશોધન થશે.સ્વરોજગારી અને કૃષિ ક્ષેત્રે નવી તકો પૂરી પાડવામાં આવશેઆ યુનિવર્સિટીની સ્થાપના થવાથી યુવાનોને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નિષ્ણાત બનાવી સ્વરોજગારી અને કૃષિ ક્ષેત્રે નવી તકો પૂરી પાડવામાં આવશે.આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળશે અને જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે લોકોના સ્વાસ્થ્ય સુરક્ષામાં પણ મોટો સુધારો થશે.ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશભરમાં મોડેલ રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોથી રાજ્યમાં અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ પણ વાંચોઃ Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
Read Full Story arrow_forward