android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: હેરિટેજ વોકમાં સમાવિષ્ટ કેલિકો ડેમની કામગીરી પૂર્ણ, AMCની મંજૂરી બાદ લોકો માટે ખુલ્લો મુકાશે
calendar_today August 31, 2026

Ahmedabad News: હેરિટેજ વોકમાં સમાવિષ્ટ કેલિકો ડેમની કામગીરી પૂર્ણ, AMCની મંજૂરી બાદ લોકો માટે ખુલ્લો મુકાશે

અમદાવાદ શહેરને હવે વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખાણ મળી છે.શહેરમાં હેરિટેજ વારસામાં કેલિકો ડેમ સ્થાન પામ્યો છે.તેનું રિનોવેશન આખરે પાંચ વર્ષ બાદ પૂર્ણ કરવામાં આવ્યું છે.ડોમની કામગીરી પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતા વધુ વિલંબ થયો છે પરંતુ હવે કામગીરી પૂર્ણ થતા તેને ખુલ્લો મુકવામાં આવશે.ડોમમાં પેનલો લગાવી દેવામાં આવી છે.હવે ડોમ અંગે બાબત કમિટી સમક્ષ મૂકવામાં આવશે.કમિટી દ્વારા કોઈ ફેરફાર નહીં સૂચવવામાં આવે તો તે મુલાકાતીઓ માટે ઓપન કરી દેવામાં આવશે.કેલિકો ડોમને નુકસાન થતાં કોર્પોરેશન દ્વારા તેને 2020માં રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હેરિટેજ વોકમાં આ મોન્યુમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.કામગીરીમાં વિલંબ અંગે તંત્રનું કહેવું છે કે મૂળ જેવો જ ડોમ તૈયાર કરવાનો હોવાથી સમયગાળો વધુ થયો છે. શું છે કેલિકો ડેમની વિશેષતાઆ ડોમ તેની અનોખી સ્થાપત્યશૈલી અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતો છે.તે સંપૂર્ણપણે જીઓડેસિક સિદ્ધાંત પર આધારિત છે અને જીઓડેસિક પદ્ધતિથી બનેલો ભારતનો સૌપ્રથમ ડોમ હોવાનું ગૌરવ ધરાવે છે.તેના નિર્માણમાં અંદાજે 300 જેટલી પ્લાયવુડ પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેની ખાસિયત એ છે કે તમામ પેનલ્સના માપ એકબીજાથી તદ્દન અલગ છે.આ પ્લાયવુડ પેનલ્સ પર કોપરનું મજબૂત આવરણ ચડાવવામાં આવ્યું છે.જે તેને સુંદરતાની સાથે મજબૂતી પણ બક્ષે છે.આ આકર્ષક અને ઐતિહાસિક ડોમ હેઠળ ભારતનો પહેલો ફેશન શો યોજાયો હતો જે તેને ફેશન અને આર્કિટેક્ચર બંને ક્ષેત્રે ખાસ ઓળખ અપાવે છે.કેવી રીતે બન્યો હતો કેલિકો ડોમ?ઈ.સ. 1963માં બકમીન્સ્ટર કુલર જીયોડેસિક ગુંબજોથી પ્રેસિત થઈને ગૌતમ સારાભાઈ અને ગીરા સારાભાઈએ કેલિકો ડોમ તૈયાર કર્યો હતો. જેમાં કેલિકો મિલ માટે દુકાનો હતી. અમદાવાદમાં પ્રથમ ફેશન શો પણ આ ડોમમાં યોજાયો હતો. બોલિવૂડની જાણિતી અભિનેત્રી પરવીન બાબીએ 1970માં કેલિકો ડોમમાં યોજાયેલા ફેશન શોમાં ભાગ લીધો હતો. 1990માં આ ડોમમાં રહેલી મીલ અને દુકાનો બંધ થઈ હતી. જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે આ ડોમનો મધ્યભાગ તૂટી પડ્યો હતો. 2003માં ભારે વરસાદને કારણે ડોમની અંદરના ભાગે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ આ ડોમ સંપૂર્ણ પણે તૂટ્યો હતો. 2020માં તેનું રિનોવેશન કામ હાથ ધરાયું હતું. જે હવે પૂર્ણ થતાં શહેરના હેરિટેજ વારસામાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.  આ પણ વાંચોઃ Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

Read Full Story arrow_forward
Surat: કોસંબાની ગીતાંજલિ સ્વીટ સીલ, ડી-માર્ટ અને મેરિયટમાં ગેરરીતિ છતાં કડક પગલાં ન લેવાતાં મનપા સામે સવાલો
calendar_today August 31, 2026

Surat: કોસંબાની ગીતાંજલિ સ્વીટ સીલ, ડી-માર્ટ અને મેરિયટમાં ગેરરીતિ છતાં કડક પગલાં ન લેવાતાં મનપા સામે સવાલો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા તરસાડી વિસ્તારમાં આવેલી પ્રખ્યાત 'ગીતાંજલિ સ્વીટ એન્ડ ડેરી' માં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અચાનક આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આઉટલેટમાંથી મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ, વાસી અને માનવ ઉપયોગ માટે અત્યંત અયોગ્ય વાનગીઓ મળી આવી હતી.માંગરોળના કોસંબામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યુંઅધિકારીઓએ સ્થળ પરથી મિક્સ ફ્રુટ મીઠાઈ, એક્સપાયર થયેલા કલર અને ફ્લેવર, એસેન્સ, માવા મીઠાઈ તથા સોન પાપડી સહિત 26 કિલોથી વધુ જથ્થો જપ્ત કર્યો હતો. આરોગ્ય માટે હાનિકારક આશરે રૂ. 24,000 થી વધુ કિંમતની સામગ્રીનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સિલ્વર કોટેડ કાજુકતરી અને મેંગો બરફીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દુકાન સંપૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કરાયો છે.લાકડાના અણીદાર ટુકડા નીકળતાં ગ્રાહકો ચોંકી ઉઠ્યાબીજી તરફ, સુરતના ગોદાદરા ખાતે આવેલા 'ડી માર્ટ'માંથી ખરીદેલા બદામના પેકેટમાંથી જીવાત નીકળતા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મનપાની ટીમે સમગ્ર મોલમાં ચેકિંગ કર્યું હતું, પરંતુ માત્ર નોટિસ આપીને રૂ. 5,000નો મામુલી દંડ ફટકારી સંતોષ માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સફાઈના અભાવ અને એક્સપાયરી માલ વેચવા બદલ આ ડી-માર્ટને રૂ. 75,000 નો દંડ કરાયો હતો. આ ઉપરાંત, 29 ઓગસ્ટની મોડી રાત્રે સુરતની ફાઇવ સ્ટાર મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝ (Cookies) માંથી લાકડાના અણીદાર ટુકડા નીકળતાં ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા.સુરત મનપાની બેધારી નીતિ સામે જનરોષઆ તમામ બનાવો બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે મનપા આરોગ્ય વિભાગ બેધારી નીતિ અપનાવી રહ્યું છે. નાના વેપારીઓની અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરી તેમની દુકાનો સીલ કરી દેવાય છે, પરંતુ ડી-માર્ટ જેવા મોટા મોલ કે મેરિયટ જેવી ફાઇવ સ્ટાર હોટેલો સામે માત્ર મામુલી દંડ કરીને સંતોષ માનવામાં આવે છે. જો નાના વેપારીઓ સામે સીલિંગ અને માલ નષ્ટ કરવાની આકરી કાર્યવાહી થતી હોય તો મોટા મોલ કે હોટેલ માલિકો સામે તેવા આકરા પગલાં કેમ ભરવામાં આવતા નથી?આ પણ વાંચો: Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ 

Read Full Story arrow_forward
Bhavnagar News: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત
calendar_today August 31, 2026

Bhavnagar News: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત

રેઢિયાર પશુઓથી પાકને બચાવવા માટે ખેતરોમાં મુકવામાં આવતા ઝટકા મશીનો હવે માનવજીવ માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામમાં ઝટકા સિસ્ટમના કારણે વધુ એક નિર્દોષ પરપ્રાંતીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાડીમાં કામ કરતી વખતે ઝટકા મશીનનો જોરદાર કરંટ લાગતાં 35 વર્ષીય મહિલાનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં બની ઘટનામળતી વિગતો મુજબ, ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામના વાડી વિસ્તારમાં આવેલી ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં નાનીનકીબેન સમીરભાઈ સાપણિયા નામના પરપ્રાંતીય મહિલા પોતાના પરિવાર સાથે ભાગીયા તરીકે કામ કરતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ વાડીમાં ખેતમજૂરીનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક વાડીની ફરતે લગાવેલા ઝટકા મશીનના વાયરના સંપર્કમાં આવી ગયા હતા.સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યોવાયરને અડી જતાં જ નાનીનકીબેનને ઝટકા મશીનનો અત્યંત તીવ્ર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો આકરો હતો કે, મહિલા ગંભીર હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસથી પરિજનો અને લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમણે રસ્તામાં દમ તોડી દીધો હતો.ગેરકાયદે કે અયોગ્ય વપરાશ સામે ઉઠ્યા સવાલોઆ અકસ્માતની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વ્હાલસોયી મહિલાના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ઘેરા શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે. ખેતરોમાં વાજબી ક્ષમતા કરતા વધુ પાવર આપીને કે બેદરકારીપૂર્વક ઝટકા મશીનનો વપરાશ કરવાની ખોટી સિસ્ટમના કારણે વારંવાર લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ગણેશગઢની ઘટના બાદ આવા જોખમી મશીનોના ઉપયોગ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.આ પણ વાંચો - Bhavnagar : લઠ્ઠાકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા, SMCની તપાસ યથાવત

Read Full Story arrow_forward