android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા પહોંચ્યા
calendar_today February 5, 2026

Ahmedabad News: ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા પહોંચ્યા

શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન અને પ્રદર્શન એ ઊંડી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી મહત્વની ક્ષણ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના તેમના સહિયારા બૌદ્ધ વારસામાં રહેલા સ્થાયી સંબંધોને વધુ મજબૂત બનાવે છે.પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા અને સ્થાપિત ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ અવશેષો સાથે હતું. બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રદર્શન વડાપ્રધાન મોદી દ્વારા એપ્રિલ 2025માં શ્રીલંકાની તેમની રાજ્ય મુલાકાત દરમિયાન કરવામાં આવેલી ઘોષણાને અનુસરે છે.જેમાં તેમણે શ્રીલંકા સાથે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી.આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ બૌદ્ધ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે 2020માં જાહેર કરાયેલ 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ ઉપરાંત અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની પણ જાહેરાત કરી હતી. પ્રદર્શનના ભાગરૂપે ગંગારામાયા મંદિર ખાતે "પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ અને પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી નામના બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Read Full Story arrow_forward
Suratના મોટા વરાછામાં કચરાના ઢગલામાં ભીષણ આગ, અજાણ્યા શખ્સની કરતૂતથી વાયુ પ્રદૂષણમાં વધારો
calendar_today February 5, 2026

Suratના મોટા વરાછામાં કચરાના ઢગલામાં ભીષણ આગ, અજાણ્યા શખ્સની કરતૂતથી વાયુ પ્રદૂષણમાં વધારો

ડાયમંડ સિટી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આજે જાહેરમાં કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કચરાના ગંજમાં આગ ચાંપવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.કોઇ અજાણ્યા વ્યક્તિએ જાહેરમાં આગચંપી કરીમોટા વરાછાના ખુલ્લા મેદાન કે જાહેર માર્ગ પાસે પડેલા કચરાના ઢગલાને કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા સળગાવી દેવામાં આવ્યો હતો. સૂકો કચરો અને પ્લાસ્ટિક હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને કારણે: કચરો સળગવાથી નીકળતા ઝેરી ધુમાડાને લીધે હવામાં પ્રદૂષણ ફેલાયું છે. આગ લગાડનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માગઆસપાસના રહેણાંક વિસ્તારોમાં શ્વાસ લેવામાં તકલીફ અને ગૂંગળામણ જેવી સમસ્યાઓ સર્જાઈ હતી. તંત્ર દ્વારા જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા અને પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી આગ લગાડનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી અટકે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: જેલમાં કેદીને સુવિધાઓ આપવા પાંચ હજારની લાંચ લેતા સુબેદાર હીરા સોલંકી ઝડપાયા
calendar_today February 5, 2026

Amreli News: જેલમાં કેદીને સુવિધાઓ આપવા પાંચ હજારની લાંચ લેતા સુબેદાર હીરા સોલંકી ઝડપાયા

છેલ્લા એકાદ મહિનાથી પોલીસ અધિકારીઓ સામે લાંચના કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરામાં એએસઆઈ લક્ષ્મી દેસાઈનો કિસ્સો ચર્ચામાં છે ત્યાં અમરેલીમાં જેલ અધિકારી સુબેદાર હીરા ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે. જેલમાં કેદીને સુવિધા આપવા માટે પાંચ હજારની લાંચ માંગવામાં આવી છે. લાઠી સર્કલ પાસે સુબેદારને લાંચ લેતા ઝડપી તેમની ધરપકડ કરવામાં આવી છે. અમરેલીમાં જેલ અધિકારી ઝડપાયા અમરેલીમાં જેલ અધિકારી સુબેદાર હીરા ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે. જેલમાં કેદીને સુવિધા આપવા માટે પાંચ હજારની લાંચ માંગી હતી. રાજકોટ એસીબીમાં ફરિયાદ થતાં જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. લાઠી સર્કલ પાસે સુબેદાર હીરા સોલંકી લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. એસીબીએ તેમની ધરપકડ કરી હતી. જેલ પ્રસાશન ભ્રષ્ટાચારી અધિકારી સામે કડક બન્યું છે. આ પણ વાંચોઃKachchh News: 400 કર્મચારીઓની સામૂહિક બદલીના નિર્ણય સામે ભારે અસંતોષ

Read Full Story arrow_forward