android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા
calendar_today February 5, 2026

Gandhinagar News : ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા

પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા અને સ્થાપિત ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ અવશેષો સાથે હતું. વરિષ્ઠ બૌદ્ધ સાધુઓ, સરકારી અધિકારીઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની પણ જાહેરાત કરી હતી આ પ્રદર્શન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ 2025માં શ્રીલંકાની તેમની રાજ્ય મુલાકાત દરમિયાન કરવામાં આવેલી ઘોષણાને અનુસરે છે, જેમાં તેમણે શ્રીલંકા સાથે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ બૌદ્ધ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે 2020માં જાહેર કરાયેલ 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ ઉપરાંત અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની પણ જાહેરાત કરી હતી. પ્રાંતીય પરિષદો અને સ્થાનિક સરકાર મંત્રીનો સમાવેશ થાય છે પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન 4 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોના આદરણીય ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અનુરા કુમારા દિસાનાયકે દ્વારા શ્રીલંકા તરફથી ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ પૂજનીય ડૉ. કિરીંડે અસાજી થેરો અને ભારતીય તરફથી ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીલંકા સરકારના અનેક વરિષ્ઠ મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં (ડૉ.) હિનિડુમા સુનિલ સેનેવી, બુદ્ધશાસન, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી; (ડૉ.) નલિન્દા જયતિસ્સા, આરોગ્ય અને જનસંચાર મંત્રી; અને (પ્રો.) A.H.M.H અભયરત્ના, જાહેર વહીવટ, પ્રાંતીય પરિષદો અને સ્થાનિક સરકાર મંત્રીનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે પ્રદર્શનના ભાગરૂપે ગંગારામાયા મંદિર ખાતે "પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ" અને "પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી" નામના બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવશેષોનું પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગંગારામાયા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 5 ફેબ્રુઆરી, 2026થી જાહેર દર્શન માટે ખુલ્લું રહેશે, જેનાથી શ્રીલંકા અને વિશ્વભરના ભક્તો શ્રદ્ધાંજલિ આપી શકશે. પવિત્ર અવશેષોનું આગમન શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસ સાથે થયું, જેનાથી આ કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું. આ પ્રદર્શન ભારતની બહાર દેવનીમોરી અવશેષોની પ્રથમ જાહેર પૂજાનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ, ભારતે 2012માં કપિલવસ્તુ અવશેષો અને 2018માં શ્રીલંકામાં સારનાથ અવશેષોનું પ્રદર્શન યોજ્યું હતું. પવિત્ર દેવનીમોરી અવશેષોનું પ્રદર્શન ભગવાન બુદ્ધના શાશ્વત ઉપદેશો - કરુણા, શાંતિ અને અહિંસાનું જીવંત પુરાવો છે તેમજ ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. આ પણ વાંચો : Extra Comment : અમેરિકા-ઇરાન તણાવ : આજની બેઠકમાં શું થશે ?

Read Full Story arrow_forward
Surendranagar News: પ્રેમને સમાજના બંધનો નડ્યા, પ્રેમી-પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today February 5, 2026

Surendranagar News: પ્રેમને સમાજના બંધનો નડ્યા, પ્રેમી-પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બામણવા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમમાં નિષ્ફળતા અને સામાજિક મર્યાદાઓના કારણે એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કુટુંબી સગા હોવાના કારણે લગ્ન ગ્રંથિથી જોડાઈ ન શકવાના દુઃખમાં આ પ્રેમી-પંખીડાએ મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.શું છે સમગ્ર ઘટના? બામણવા ગામમાં રહેતા 21 વર્ષીય કુણાલ ઠાકોર અને 19 વર્ષીય જાનકી ઠાકોર છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંને લગ્ન કરીને સાથે જીવન વિતાવવા માંગતા હતા, પરંતુ તેઓ કુટુંબી સગા થતા હોવાથી સામાજિક અને પારિવારિક અવરોધો ઉભા થયા હતા. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, બંને એક થઈ શકે તેમ ન હોવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. શોકનું મોજું અને પોલીસ તપાસ બંનેએ એકસાથે ગળેફાંસો ખાઈ લેતા નાના એવા બામણવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યા છે. કુણાલ અને જાનકીના આ કરૂણ અંતથી ઠાકોર સમાજ સહિત સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે

Read Full Story arrow_forward
Rajkot: જંગલેશ્વર દબાણ વિવાદમાં કલેક્ટરની સ્પષ્ટતા, સરકારી જમીન પચાવનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી
calendar_today February 5, 2026

Rajkot: જંગલેશ્વર દબાણ વિવાદમાં કલેક્ટરની સ્પષ્ટતા, સરકારી જમીન પચાવનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વ્યાપક દબાણો અને તેને હટાવવા માટે અપાયેલી નોટિસ બાદ સર્જાયેલા વિવાદ પર જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે વહીવટી તંત્રનું વલણ સ્પષ્ટ કર્યું છે. કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કાયદામાં કોઈ જ જોગવાઈ નથી અને દરેક વ્યક્તિને ઘરની સામે ઘર આપવું શક્ય નથી.હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવશેજંગલેશ્વર વિસ્તારમાં આશરે 1358 જેટલા આસામીઓને ડિમોલિશન માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો હાઈકોર્ટ પહોંચતા કોર્ટે અસરગ્રસ્તોને રાહત આપતા GRT (ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ) માં અપીલ કરવા માટે મુદ્દત આપી છે.કલેક્ટરે જણાવ્યું કે, "હાઈકોર્ટે વહીવટી તંત્રને કોઈ નવી સૂચના આપી નથી, પરંતુ અસરગ્રસ્તોને અપીલ કરવાની તક આપી છે, જેનું અમે સન્માન કરીશું."ગુજરાત હાઈકોર્ટે GRTને આ અપીલોનો ફેંસલો 90 દિવસમાં કરવા આદેશ આપ્યો છે.વૈકલ્પિક વ્યવસ્થા કેમ શક્ય નથી?કલેક્ટર ઓમ પ્રકાશે આ મામલે કાયદાકીય ગૂંચવણ અને પેર પેચીદા પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરી છે, કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ ગુજરાત સરકારના નિયમોમાં નથી. મ્યુનિસિપલ કમિશનર હસ્તકની જમીન પરના દબાણદારોને જી.આર. (G.R.) મુજબ વૈકલ્પિક વ્યવસ્થા મળી શકે છે, પરંતુ કલેક્ટર હસ્તકની જમીન માટે આવા કોઈ નિયમો નથી.  સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણો હોય છે. દરેક દબાણકર્તાને અન્ય જગ્યાએ જમીન કે મકાન ફાળવવું વહીવટી રીતે શક્ય નથી.શું છે સમગ્ર વિવાદ?ડિસેમ્બર મહિનાથી કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વરના ચાર ખંડ પૈકીના બે ખંડમાં રહેતા દબાણદારોને તબક્કાવાર નોટિસો આપવામાં આવી રહી છે. આ જમીન પર ગેરકાયદેસર મકાનો બનાવી લેવામાં આવ્યા છે. જોકે, તંત્રએ આસામીઓને પોતાના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતો સમય પણ આપ્યો હતો.હવે, જ્યારે મામલો ટ્રિબ્યુનલમાં છે, ત્યારે 90 દિવસ સુધી વહીવટી તંત્ર આદેશની રાહ જોશે. કલેક્ટરના આ કડક વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી સમયમાં જંગલેશ્વરમાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે છે.આ પણ વાંચો: Ahmedabad: રખિયાલમાં પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિનો પિત્તો ગયો, પ્રેમીના બનેવી પર તલવારના ઘા ઝીંક્યા

Read Full Story arrow_forward