android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather : રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ રહેશે, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થશે
calendar_today February 5, 2026

Gujarat Weather : રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ રહેશે, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થશે

રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાના પવન ફૂંકાતા રહેશે, જેના કારણે ખાસ કરીને સવારે ઠંડીનો અહેસાસ અનુભવાશે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે આગામી દિવસોમાં પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની વધઘટ રાત્રિના સમયે લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની વધઘટ નોંધાઈ શકે છે, જ્યારે બપોરે મહત્તમ તાપમાન આશરે 30 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું રાજ્યના કચ્છ વિસ્તારમાં આવેલા નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિવસ દરમિયાન હળવી ગરમીનો અહેસાસ રહેશે, જ્યારે સવાર-સાંજ ઠંડક અનુભવાશે.આ પણ વાંચો-----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward
Ahmedabad News : આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર, 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી
calendar_today February 5, 2026

Ahmedabad News : આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર, 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી

આશ્રમની 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની લીલીઝંડી અને આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે, કોમનવેલ્થ પહેલા અધ્યતન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનશે અને સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવા સરકાર જમીન લેશે ઉપયોગમાં અને 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. આસારામ પાસેથી 45,000 ચોરસ મીટર જગ્યા લેવા હાઇકોર્ટની લીલીઝંડી આ મામલે તંત્ર દ્વારા છ મહિના અગાઉ જ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં આશ્રમ દ્વારા ચાર મહિના પહેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવામાં આવી હતી, જેને સત્તાધિશોએ રિજેક્ટ કરી દીધી છે. હાલમાં આશ્રમ દ્વારા આ મામલે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA)માં અરજી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, એકવાર ગુડા (GUDA) તરફથી અંતિમ નિર્ણય આવી જાય, ત્યારબાદ તમામ 32 ગેરકાયદે એકમોને તોડી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્પોર્ટ્સ સંકુલ માટે ખાલી થશે જમીન અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોને હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આશ્રમ દ્વારા સરકારી જમીન પર કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરાવ્યા વિના 32 જેટલા વિવિધ એકમો ખડકી દેવામાં આવ્યા છે. આ તમામ બાંધકામો સંપૂર્ણપણે ગેરકાયદે હોવાનું સાબિત થતા તંત્રએ તેને ડિમોલિશ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વની વાત એ છે કે, આ જમીનને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના પ્રોજેક્ટમાં સમાવવામાં આવનાર છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવાનું આયોજન છે. આ પણ વાંચો : Ahmedabad News : પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળામાં માત્ર 7 દિવસમાં આદિવાસી ભાઈઓ-બહેનોએ કરી રૂ.15 લાખની કમાણી

Read Full Story arrow_forward
Gandhinagar : વિધાનસભા બજેટ સત્રને લઈ તૈયારીઓ, નાણાંમંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ
calendar_today February 5, 2026

Gandhinagar : વિધાનસભા બજેટ સત્રને લઈ તૈયારીઓ, નાણાંમંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે અને કામચલાઉ ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થશે  સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થશે, ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવસાન પામેલા પૂર્વ સભ્યોને લઇ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરશે. નાણાં મંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું બજેટ રજૂ કરશે. મુખ્યમંત્રીના શોકદર્શક ઉલ્લેખ અને પ્રસ્તાવ રજૂ કર્યા બાદ નાણાં મંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું બજેટ રજૂ કરશે.વિસ્તૃત સભાની તારીખો જાહેર રાજ્યપાલ ના સંબોધન પર ચર્ચા, માંગણીઓ પર ચર્ચા સહિત રજાઓ અને બેઠકો બાબતે વિસ્તૃત સભાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પણ વાંચો----   Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward