android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajyasabha Today : સદન નિયમથી ચાલશે, રાજ્યસભામાં બોલ્યા કિરણ રિજિજૂ
calendar_today February 5, 2026

Rajyasabha Today : સદન નિયમથી ચાલશે, રાજ્યસભામાં બોલ્યા કિરણ રિજિજૂ

સંસદના બજેટ સત્રનો આજે સાતમો દિવસ છે. પીએમ મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. લોકસભાને સ્થગિત કરવામાં આવી છે પરંતુ રાજ્યસભામાં હોબાળો થઇ રહ્યો છે. રાજ્યસભામાં કિરણ રિજિજૂએ રાહુલ ગાંધીના નિવેદનોને લઇને મુદ્દો ઉઠાવ્યો હતો. કિરણ રિજિજૂએ કહ્યુ કે, નિયમ વિરુદ્ધ વારંવાર બોલતા રહ્યા રાહુલ ગાંધી, સદન નિયમોથી ચાલશે.રાહુલને સ્પીકરે 40 મિનિટનો સમય આપ્યો.વિપક્ષ લોકતંત્રનું ગળું દબાવી રહ્યો છેઃજેપી નડ્ડારાજ્ય સભામાં બીજેપીએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. સદનમાં જેપી નડ્ડાએ પણ રાહુલ ગાંધીને લઇને કહ્યુ કે, વિપક્ષ લોકતંત્રનું ગળું દબાવી રહ્યો છે. દેશનો વિકાસ કરવો વિપક્ષનો એજન્ડા છે. અમે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. દેશ કોઇ પણ પરિવારવાદનો બંધક નહી બને. ‘તમારી પાર્ટીને એક અબોધ બાળકનો બંદી ન બનાવો’, નડ્ડાની ખડગેને નસીહતરાજ્યસભામાં નેતા સદન જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને નસીહત આપી કે તમે તમારી પાર્ટીને એક અબોધ બાળકનો બંદી ન બનાવો. તેમણે કહ્યું કે તમે સ્વતંત્ર રીતે તમારી પાર્ટી ચલાવો. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીજી જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર બેઠા હતા. ત્યાં જે પણ ઘટનાઓ બની, તેનો જવાબ આપવા માટે. પરંતુ તમે સભા ચલાવવા જ નથી દીધી.રાજ્યસભામાં રાહુલ ગાંધીને બોલવા ન દેવાના મુદ્દે ચર્ચા ઉઠીલોકસભામાં રાહુલ ગાંધીને બોલવાથી રોકવાનો મુદ્દો ગુરુવારે રાજ્યસભામાં ઉઠ્યો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બીજા ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નથી. તેમણે એટલું કહ્યું હતું કે નેતા સદન જે.પી. નડ્ડાએ વાંધો ઉઠાવ્યો. જે.પી. નડ્ડાએ કહ્યું કે તમે અહીં બીજા ગૃહની વાત કરી શકતા નથી. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીને બોલવાની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. તેમને અનેક વખત તક આપવામાં આવી હતી. સદન નિયમો મુજબ ચાલશે. પરંતુ તેઓ નિયમો માનતા જ નથી. આ પણ વાંચોઃ AI ક્ષેત્રે ભારતનો દબદબો, નવી દિલ્હીમાં યોજાશે વૈશ્વિક AI-ઇમ્પેક્ટ સમિટ, UN ચીફ ગુટેરેસે કર્યા ભારતના વખાણ

Read Full Story arrow_forward
UPSC New Rule: IAS અને IPS માટેના નિયમોમાં ધરખમ ફેરફાર, ફરી પરીક્ષા આપનારાઓ માટે નિયમો કડક!
calendar_today February 5, 2026

UPSC New Rule: IAS અને IPS માટેના નિયમોમાં ધરખમ ફેરફાર, ફરી પરીક્ષા આપનારાઓ માટે નિયમો કડક!

સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2026 માટેની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે આયોગે માત્ર ખાલી જગ્યાઓની વિગત જ નહીં, પરંતુ પાત્રતા અને એટેમ્પ્ટ (પ્રયાસો) ને લઈને અત્યંત કડક અને નવા નિયમો પણ જાહેર કર્યા છે. ખાસ કરીને જે ઉમેદવારો અગાઉ પસંદગી પામી ચૂક્યા છે અથવા સેવામાં કાર્યરત છે, તેમના માટે હવે ફરી પરીક્ષા આપવી પડકારજનક બનશે.IAS અને IFS અધિકારીઓ પર પ્રતિબંધનવા નિયમો અનુસાર, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાઓના આધારે ભારતીય વહીવટી સેવા (IAS) અથવા ભારતીય વિદેશ સેવા (IFS) માં નિમણૂક પામ્યા છે અને હાલ સેવામાં છે, તેઓ UPSC 2026 ની પરીક્ષામાં બેસી શકશે નહીં. જો કોઈ ઉમેદવાર પ્રિલિમ્સ પાસ કર્યા પછી પણ જો આ સેવામાં જોડાય છે, તો તેને મુખ્ય પરીક્ષા (Mains) આપવા દેવામાં આવશે નહીં.IPS માટે 'નો રિપીટ' પોલિસી ભારતીય પોલીસ સેવા (IPS) ના ઉમેદવારો માટે પણ નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જેઓ પહેલેથી જ IPS તરીકે ફરજ બજાવે છે, તેમને નવી પરીક્ષાના આધારે ફરીથી IPS કેડર ફાળવવામાં આવશે નહીં. એટલે કે, તેઓ રેન્ક સુધારીને અન્ય સેવામાં જઈ શકે છે, પરંતુ ફરીથી પોલીસ સેવાનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં. રાજીનામું અને ટ્રેનિંગના નિયમો વર્ષ 2025 કે તે પહેલા પસંદ થયેલા ઉમેદવારોને એક વિશેષ તક આપવામાં આવી છે કે, તેઓ રાજીનામું આપ્યા વિના 2026 કે 2027 ની પરીક્ષા આપી શકશે, પરંતુ 2028 થી પરીક્ષા આપવા માટે સેવામાંથી રાજીનામું આપવું ફરજિયાત રહેશે. આ સાથે જ, જે ઉમેદવારો ટ્રેનિંગ દરમિયાન ફરી પરીક્ષા આપવા માંગતા હોય તેમણે સંબંધિત વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે. કુલ 933 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે ઉમેદવારો 24 ફેબ્રુઆરી સુધી સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકશે. આ પણ વાંચો - Career guidance: તમે UPSC-EPF પરીક્ષા આપી? હવે આગળ શું?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના સોલા સિવિલ પાસે અકસ્માત, BRTS બસ ધડાકાભેર બ્રિજના થાંભલે અથડાઇ
calendar_today February 5, 2026

Gujarat Latest News Live : અમદાવાદના સોલા સિવિલ પાસે અકસ્માત, BRTS બસ ધડાકાભેર બ્રિજના થાંભલે અથડાઇ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward