android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: લિંબાયત ઝોનમાં ટેક્સ નહીં ભરનાર 107 દુકાનો સીલ, વેપારીઓમાં મચ્યો ફફડાટ!
calendar_today February 5, 2026

Surat News: લિંબાયત ઝોનમાં ટેક્સ નહીં ભરનાર 107 દુકાનો સીલ, વેપારીઓમાં મચ્યો ફફડાટ!

સુરત મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે અત્યારે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત લિંબાયત ઝોન દ્વારા આજે આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરતા મિલકતદારો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરીને 5 જેટલા માર્કેટની કુલ 107 દુકાનોને મનપા દ્વારા સીલ કરી દેવામાં આવી છે.સીલિંગની કાર્યવાહીથી ફફડાટ સુરત શહેરના લિંબાયત ઝોનની ટેક્સ વિભાગની ટીમે સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં તવાઈ બોલાવી હતી. જે વેપારીઓએ અનેક નોટિસો આપ્યા બાદ પણ વેરાની ભરપાઈ કરી ન હતી, તેમની દુકાનો પર સીલ મારવામાં આવ્યું હતું. આ જોરદાર કાર્યવાહીને પગલે આસપાસના અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની કડક કાર્યવાહીના પડઘા રૂપે અનેક વેપારીઓએ પોતાની મિલકતો સીલ થતી બચાવવા માટે સ્થળ પર જ ટેક્સ ચૂકવવાની તૈયારી બતાવી હતી. લાખોની વસૂલાત સુરત મનપાની આ ઝુંબેશ એટલી અસરકારક રહી કે, કેટલાય વેપારીઓએ સ્થળ પર જ બાકી વેરાની રકમની ભરપાઈ કરી દીધી હતી. પાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ, આજની આ આખી કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 43.74 લાખ જેવી મોટી રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. આગામી દિવસોમાં પણ સુરતના અન્ય ઝોનમાં આ પ્રકારે ટેક્સ વસૂલાતની કામગીરી વધુ તેજ કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પણ વાંચો - Surat: કતારગામનો AQI 300ને પાર પહોંચતા પાલિકા એક્શનમાં, 34 ચીમનીઓ પર રખાશે બાજ નજર

Read Full Story arrow_forward
Botad: રાણપુરમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ આપી જમીન વેચી મારી
calendar_today February 5, 2026

Botad: રાણપુરમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ આપી જમીન વેચી મારી

બોટાદના રાણપુર પંથકમાં જમીન પચાવી પાડવા માટે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડી સામે આવી છે. જેમાં જીવિત હોવાની ખોટી ઓળખ આપીને મૃતકના નામે જમીનનું વેચાણ કરી નાખવામાં આવ્યું હતું. આ ગંભીર ગેરરીતિ પકડાતા રાણપુરના સબ-રજીસ્ટ્રારે પોતે જાગૃતતા દાખવી ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જમીન વેચાણના એક સોદામાં ગંભીર ગેરરીતિઆ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાણપુરના સબ-રજીસ્ટ્રાર નીરવ પટેલના ધ્યાન પર આવ્યું કે જમીન વેચાણના એક સોદામાં ગંભીર ગેરરીતિ થઈ છે. આરોપીઓએ જે વ્યક્તિની જમીન હતી, તે વ્યક્તિ ખરેખર મરણ પામેલ હોવા છતાં તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને ઊભી રાખી ખોટી ઓળખ આપી હતી અને રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું.પોલીસ કાર્યવાહી અને તપાસસબ-રજીસ્ટ્રારે રાણપુર પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી માટે ફરિયાદ કરી છે. ભાવુબેન ભોપાભાઈ પરાળીયા,પ્રભુભાઈ લીંબાભાઈ બારૈયા, જગદીશભાઈ લીંબાભાઈ બારૈયા સબ-રજીસ્ટ્રારની અરજીના આધારે રાણપુર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Banaskantha: ટ્રક-ઇનોવા અકસ્માતની કરૂણતા, 12 દિવસની જીવન-મરણ વચ્ચેની જંગ બાદ 12 વર્ષના માસૂમ બાળકનું મોત

Read Full Story arrow_forward
Bharat Taxi Launch: સહકારી મોડલ પર ચાલશે ભારત ટેક્સી, અમિત શાહ કરશે ઉદ્ઘાટન
calendar_today February 5, 2026

Bharat Taxi Launch: સહકારી મોડલ પર ચાલશે ભારત ટેક્સી, અમિત શાહ કરશે ઉદ્ઘાટન

આજે કેબ સેવા ક્ષેત્રમાં એક નવી શરૂઆત છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા, "ભારત ટેક્સી" શરૂ કરશે. આ નવી સેવા ખાનગી કેબ સેવા પ્રદાતાઓના એકાધિકારને સીધી રીતે પડકારશે. સરકારનો દાવો છે કે ભારત ટેક્સી હેઠળ કેબ ડ્રાઇવરોને તેમના સંપૂર્ણ લેણાં મળશે. વપરાશકર્તાઓને વધારાની કિંમતો અને ખાનગી કેબ જેવી કંપનીઓની મનસ્વી કાર્યવાહીથી મુક્તિ મળશે.સહકારી મોડલ પર ચાલશે ભારત ટેક્સી- અમિત શાહ ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારત ટેક્સી વિશે પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત ટેક્સી આજે સત્તાવાર રીતે શરૂ થઈ રહી છે. ભારત ટેક્સી દેશભરમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. આ પહેલ ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ડ્રાઇવરોને ટેક્સી સવારીમાંથી સીધો નફો મળે, કોઈ વચેટિયાને નહીં. અત્યાર સુધીમાં, ભારતના નવ શહેરોમાં લગભગ 10 લાખ લોકો ભારત ટેક્સીનો ઉપયોગ કરી ચૂક્યા છે. કેબ સેવા ક્ષેત્રમાં આજે એક નવી શરૂઆત થવાની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા, "ભારત ટેક્સી" શરૂ કરશે. આ નવી સેવા ખાનગી કેબ સેવા પ્રદાતાઓના એકાધિકારને સીધી રીતે પડકારશે. સરકારનો દાવો છે કે કેબ ડ્રાઇવરોને ભારત ટેક્સી દ્વારા તેમનો સંપૂર્ણ પગાર મળશે. વપરાશકર્તાઓને વધારાની કિંમતો અને ખાનગી કેબ જેવી કંપનીઓના મનસ્વી કાર્યોથી પણ મુક્તિ મળશે.સર્જ પ્રાઇઝિંગથી છૂટકારો ભારત ટેક્સી પણ ભાવ વધારાથી રાહત આપશે. જ્યારે ખાનગી કેબ એગ્રીગેટર્સ ભારે ટ્રાફિક ભીડને કારણે પીક અવર્સ અથવા ખરાબ હવામાન દરમિયાન અતિશય ભાડા વસૂલ કરે છે, ત્યારે ભારત ટેક્સી પણ આ સમસ્યાનું નિરાકરણ લાવશે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. 1 જુલાઈથી, મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા (MVAG) 2025 અનુસાર, કેબ એગ્રીગેટર્સને હવે પીક ટ્રાફિક અવર્સ દરમિયાન બેઝ ભાડાથી બમણું ભાડું વસૂલવાની મંજૂરી છે. આનાથી પીક અવર્સ દરમિયાન બેફામ ગેરવસૂલી વધુ વધી ગઈ છે. કેબ, ઓટો અને બાઇક સર્વિસ ભારત ટેક્સી વપરાશકર્તાઓને ત્રણેય સેવાઓના લાભો પ્રદાન કરશે: કેબ, બાઇક અને ઓટો. આ ટૂંકા અંતરથી લાંબા અંતરની મુસાફરી સુધીની બધી જરૂરિયાતો માટે એક જ પ્લેટફોર્મ પૂરું પાડશે. આનો અર્થ એ છે કે ગ્રાહકો તેમના બજેટ અને જરૂરિયાતોના આધારે કાર, ઓટો અને બાઇક સવારી વચ્ચે પસંદગી કરી શકશે.દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે કરશે ઉદ્ધાટન અમિત શાહે ગયા માર્ચમાં લોકસભામાં પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં ઓલા અને ઉબેર જેવા સહકારી ટેક્સી પ્લેટફોર્મ શરૂ કરીશું. આ સહકારી ટેક્સી પ્લેટફોર્મનો નફો કોઈપણ શ્રીમંત વ્યક્તિને નહીં જાય; આ નફો ટેક્સી ડ્રાઇવરોને જશે." આજે, ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારત ટેક્સીનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે. એ નોંધવું જોઇએ કે ભારત ટેક્સી માટેનો પાયલોટ પ્રોજેક્ટ પહેલાથી જ શરૂ થઈ ગયો છે. દિલ્હી-એનસીઆરમાં ઘણા કેબ ડ્રાઇવરો આ એપ-આધારિત સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત ટેક્સીના સોફ્ટ લોન્ચ પછી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ડ્રાઇવરોને કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવશે. પ્રમાણપત્રો ઉપરાંત ડ્રાઇવરોને ₹5 લાખનો વ્યક્તિગત અકસ્માત વીમો અને ₹5 લાખનો કૌટુંબિક આરોગ્ય વીમો આપવામાં આવશે. સરકાર માને છે કે સહકાર સે સમૃદ્ધિ ના વિઝનથી પ્રેરિત ભારત ટેક્સી નાગરિક-કેન્દ્રિત ગતિશીલતાને પ્રોત્સાહન આપવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

Read Full Story arrow_forward