android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aadhaar Card : કેન્દ્ર સરકારે 2.5 કરોડ આધારકાર્ડ કર્યા બંધ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
calendar_today February 4, 2026

Aadhaar Card : કેન્દ્ર સરકારે 2.5 કરોડ આધારકાર્ડ કર્યા બંધ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

કેન્દ્ર સરકારે વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ આધારની વિશ્વસનીયતા જાળવવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે અત્યાર સુધીમાં મૃત વ્યક્તિઓ દ્વારા રાખવામાં આવેલા 2.5 કરોડથી વધુ આધાર કાર્ડને નિષ્ક્રિય કર્યા છે. આનો હેતુ આધાર ડેટાબેઝને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો છે, છેતરપિંડી અથવા દુરુપયોગને રોકવાનો છે.મૃત વ્યક્તિના આધારકાર્ડનો ખોટો ઉપયોગ થવાનું જોખમ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે બુધવારે લોકસભામાં માહિતી આપી હતી કે આ પ્રક્રિયા સમગ્ર દેશમાં ચાલી રહી છે અને તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ફક્ત સાચા અને જીવંત લાભાર્થીઓ સુધી જ પહોંચે. સરકારના મતે વ્યક્તિના મૃત્યુ પછી આધાર નંબર એક્ટિવ રાખવાથી ઓળખની છેતરપિંડી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં મૃતક વ્યક્તિના આધારનો ઉપયોગ બેન્ક ખાતું, સિમ કાર્ડ ખોલવા અથવા સરકારી યોજનાઓનો દુરુપયોગ કરવા માટે થઈ શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને મૃતક વ્યક્તિઓના આધાર નંબરોને નિષ્ક્રિય કરવા જરૂરી માનવામાં આવ્યું છે. હાલમાં કેટલા કરોડ આધારકાર્ડ છે એક્ટિવ હાલમાં દેશમાં આશરે 134 કરોડ સક્રિય આધારકાર્ડ છે. આટલી મોટી સિસ્ટમને અપડેટ અને સચોટ રાખવી એ એક મોટો પડકાર છે. સરકારે જણાવ્યું છે કે કેટલીકવાર મૃત્યુની નોંધણી અલગ શહેર કે રાજ્યમાં થાય છે, જ્યારે આધાર કાર્ડ પર સૂચિબદ્ધ સરનામું અલગ હોય છે. આનાથી વિવિધ ડેટાબેઝને એકીકૃત કરવા અને આધાર નંબરોને સમયસર બંધ કરવાની ખાતરી કરવી વધુ મહત્વપૂર્ણ બને છે. સરકારે આધાર સિસ્ટમની સુરક્ષા વધારવા માટે અનેક ટેકનિકલ પગલાં પણ અમલમાં મૂક્યા છે. લોકોને બાયોમેટ્રિક લોક અને અનલોક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જેનાથી તેઓ તેમની ફિંગરપ્રિન્ટ અને આઈરિસ માહિતીને લોક કરી શકે છે અને અનધિકૃત ઍક્સેસને અટકાવી શકે છે. વધુમાં ફેસ ઓથેન્ટિકેશનમાં લાઈવનેસ ડિટેક્શન ઉમેરવામાં આવ્યું છે, જે હાજર વ્યક્તિની અધિકૃતતા સુનિશ્ચિત કરે છે. આધાર સિસ્ટમને પારદર્શક, સુરક્ષિત રાખવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બધી સંસ્થાઓને ડેટા વોલ્ટમાં આધાર નંબરોને એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સંગ્રહિત કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારે એક નવી આધાર એપ પણ લોન્ચ કરી છે, જેના દ્વારા પરિવારના સભ્યો સરળતાથી મૃત્યુની જાણ કરી શકે છે. સરકાર કહે છે કે આ સમગ્ર કવાયત આધાર સિસ્ટમને પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય રાખવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.આ પણ વાંચો : Pune-Mumbai એક્સપ્રેસ વે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો થયા પરેશાન

Read Full Story arrow_forward
Ahmedabad News: સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં જેલમાં બંધ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે જામીન માંગ્યા
calendar_today February 4, 2026

Ahmedabad News: સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં જેલમાં બંધ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે જામીન માંગ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના બહુચર્ચિત જમીન કૌભાંડમાં 10 કરોડ રૂપિયાની લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલ કસ્ટડીમાં મોકલાયા હતાં. હવે તેમણે જામીન માટે અરજી કરી છે.પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે કરી જામીન અરજી સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં ઈડી દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં રહેલા રાજેન્દ્ર પટેલે હવે જેલની બહાર આવવા માટે જામીન અરજી કરી છે. આવતીકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. તેમણે કેસની તપાસમાં સહકાર આપવાની બાંહેધરી પણ આપી છે. રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે તેમના કાયદાકીય પ્રતિનિધિઓ દ્વારા આગામી દિવસોમાં જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે.ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયાને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે.  આ પણ વાંચોઃ Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

Read Full Story arrow_forward
Valsad માં ભ્રષ્ટાચારનો ‘બ્રિજ’ ખખડ્યો, વારોલી બ્રિજમાં મોટી તિરાડો પડતા લોકોમાં ફફડાટ
calendar_today February 4, 2026

Valsad માં ભ્રષ્ટાચારનો ‘બ્રિજ’ ખખડ્યો, વારોલી બ્રિજમાં મોટી તિરાડો પડતા લોકોમાં ફફડાટ

વલસાડ જિલ્લાના નારગોલ અને ઉમરગામને જોડતા અત્યંત મહત્વના વારોલી બ્રિજની હાલત જોખમી બની ગઈ છે. ખાડી પર નિર્મિત આ બ્રિજમાં મોટી તિરાડો જોવા મળતા સ્થાનિક વાહનચાલકો અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બ્રિજ તાજેતરમાં જ તૈયાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, છતાં ટૂંકા ગાળામાં જ તેમાં ગાબડાં અને તિરાડો પડતા તેની નિર્માણ ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો આ મામલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.મોટી હોનારતની રાહ જોવાય છે? આ માર્ગ ઉમરગામ GIDC (GIDC) તરફ જતો મુખ્ય રસ્તો હોવાથી અહીં ચોવીસ કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. બ્રિજની જર્જરિત હાલતને કારણે કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકોએ બ્રિજની તિરાડોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જો ત્વરિત ધોરણે આ બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ પણ વાંચો : Junagadh માં જીવદયા પ્રેમીઓમાં રોષ, ઇવનગર ડમ્પિંગ સાઇટ પરથી ગાયોના મૃતદેહ મળતા ખળભળાટ

Read Full Story arrow_forward