android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: તાલુકા ગ્રામ્યમાં હાંસલપુર પીકઅપ બસ સ્ટેશનમાં કચરો ઠલવાતાં સ્થિતિ નર્કાગારની
calendar_today February 4, 2026

Mandal: તાલુકા ગ્રામ્યમાં હાંસલપુર પીકઅપ બસ સ્ટેશનમાં કચરો ઠલવાતાં સ્થિતિ નર્કાગારની

માંડલ તાલુકાના હાંસલપુર ગામ મોટર પ્લાન્ટથી વિખ્યાત બન્યું છે અને ઔદ્યોગિક ઝોન વિસ્તારમાં આવતાં હાંસલપુર ગામમાં તંત્ર દ્વારા એસટી બસનું પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક તંત્રની જાળવણીના અભાવે બસ સ્ટેન્ડમાં કચરાના ઢગ ખડકાયા છે અને ગંદકીથી ખદબદી રહ્યું છે. રાહદારી, મુસાફરો બસ સેવાનો લાભ લેવા બહાર તડકામાં ઉભાં રહેવા મજબુર બન્યાં છે. બસ સ્ટેન્ડની હાલત નર્કાગાર જેવી ઉભી થતાં સ્થાનિક રહીશો, મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે ત્યારે આ બસ સ્ટેન્ડમાં ગંદકી સત્વરે દુર કરવા સ્થાનિકોની માંગ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: કતલખાને ધકેલાતા ત્રણ પશુનો જીવ બચાવાયો
calendar_today February 4, 2026

Surendranagar: કતલખાને ધકેલાતા ત્રણ પશુનો જીવ બચાવાયો

સુરેન્દ્રનગરના ગૌરક્ષકને હળવદથી અમદાવાદ તરફ પીકઅપમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા હરીપર ગામ પાસે વોચ રખાઈ હતી. જેમાં વાહનચાલક હળવદના શખ્સને ઝડપી લઈ પોલીસના હવાલે કરાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ગુનો નોંધાયો છે.સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ પરશુરામનગરમાં રહેતા બીજલભાઈ જેઠાભાઈ રબારી રાષ્ટ્રીય બજરંગદળમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છે. તેઓને હળવદથી અમદાવાદ તરફ જતી પીકઅપમાં પશુઓ હોવાની તથા તેઓને કતલખાને લઈ જવાતા હોવાની માહીતી મળતા હરીપર ગામ પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી પીકઅપ આવતા તેને રોકવામાં આવી હતી. અને તેમાં પાછળ 3 ભેંસ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતા પુર્વક બાંધેલી હાલતમાં હતી. આ અંગે પીકઅપના ચાલકને પશુઓ વિશે પુછતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં પોલીસે આવી પીકઅપ ચાલક સુરેન્દ્રનગરના હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા રપ વર્ષીય વિશાલ રમેશભાઈ બાંભાને ઝડપી લીધો હતો. અને તેની સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ એસ.એ.ખાંભલા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Lakhtar: ઉમાધામમાં ત્રિ-દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ
calendar_today February 4, 2026

Lakhtar: ઉમાધામમાં ત્રિ-દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

લખતરના વણા રોડ પર આવેલ ઉમાધામ ખાતે પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસિય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તા.4થી શુભારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે સવારે ધર્મધજા સ્થાપના, ગણેશ પૂજન, જળયાત્રા સહિતના શુભ કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે રાત્રે ભક્તિ સંધ્યા અને રાસ ગરબાની રમઝટનું આયોજન કરાયું હતું. બીજા દિવસે એટલે કે આજે તા. 5મીએ વાસ્તુ પૂજન, ભવ્ય શોભાયાત્રા તેમજ મૂર્તિ ધાન્યાધીવાસના કાર્યક્રમો યોજાશે. આ દિવસે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા લોકગાયક બિરજુ બારોટ અને જીગ્નેશ કવિરાજ ઉપસ્થિત રહેશે. જ્યારે મહોત્સવના અંતિમ દિવસે એટલે કે તા. 6ઠ્ઠી ફેબ્રુઆરીએ મહાભિષેક, કળશ પૂજન, ધજારોપણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના મુખ્ય ધાર્મિક કાર્યક્રમો વિધિવત રીતે સંપન્ન થશે. આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર મહોત્સવ પૂર્ણ થશે. સમગ્ર કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા માટે પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર તેમજ સમાજના આગેવાનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward