android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : નવજાત બાળકોના સોદાગર પર સકંજો, 7 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે યુનુસ સિંધી
calendar_today February 4, 2026

Ahmedabad News : નવજાત બાળકોના સોદાગર પર સકંજો, 7 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે યુનુસ સિંધી

આંતરરાજ્ય નવજાત બાળ તસ્કરી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી યુનુસખાન ઉર્ફે યુનુસ સિંધીને પોલીસ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આ રેકેટના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે અને હજુ પણ અનેક બાળકોની તસ્કરી થઈ હોવાની આશંકા છે. કોર્ટે તમામ દલીલોને ધ્યાને રાખીને આરોપી યુનુસખાનના તારીખ 07/02/2026 સુધીના એટલે કે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન પોલીસ આરોપીની કડક પૂછપરછ કરશે, જેમાં બાળકો ક્યાંથી લાવવામાં આવતા અને કોને વેચવામાં આવતા તે અંગેના ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.બાળ તસ્કરી કેસમાં મોટી સફળતા બીજી તરફ, આ જ કેસમાં અગાઉ પકડાયેલા અન્ય ત્રણ આરોપીઓના રિમાન્ડની મુદત પૂર્ણ થતા તેમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અદાલતે આ ત્રણેય આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. પોલીસ હવે યુનુસ સિંધીના રિમાન્ડ દરમિયાન તેની મોડસ ઓપરેન્ડી અને આ નેટવર્કમાં સામેલ અન્ય સફેદપોશ લોકો કે એજન્ટો વિશે માહિતી એકત્રિત કરશે. આગામી દિવસોમાં આ મામલે અન્ય રાજ્યોમાં પણ પોલીસની તપાસ લંબાઈ શકે છે. આ પણ વાંચો : Valsad માં ભ્રષ્ટાચારનો ‘બ્રિજ’ ખખડ્યો, વારોલી બ્રિજમાં મોટી તિરાડો પડતા લોકોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Gir Somnath News: ગેરકાયદે દબાણો કરનારાને કલેક્ટરનો સ્પષ્ટ સંદેશ, સરકારી જમીન પર દબાણ ચલાવી લેવાશે નહીં
calendar_today February 4, 2026

Gir Somnath News: ગેરકાયદે દબાણો કરનારાને કલેક્ટરનો સ્પષ્ટ સંદેશ, સરકારી જમીન પર દબાણ ચલાવી લેવાશે નહીં

ગીર સોમનાથમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સરકારી અને ગૌચર જમીન પર થયેલા દબાણના મામલે આ બેઠકમાં વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે દબાણ કરી જમીન પચાવી પાડવા મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં જિલ્લામાં સરકારી જમીન પર દબાણના કૂલ 11 કેસ સામે આવ્યા છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા 11 સુઓમોટો અરજીઓ રજૂ કરવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં આ બેઠકમાં એવી વિગતો પણ રજૂ કરવામાં આવી હતી કે, લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી બાદ 11 દબાણકારોમાંથી આઠ જણાએ સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કર્યું હતું. કૂલ 1.37 ચો.મી સરકારી ગૌચરની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. દબાણ મુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત 9 કરોડ રૂપિયા જેટલી થાય છે. દબાણ નહીં ખસેડનાર ત્રણ દબાણકારો સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય કરાયો છે. કલેક્ટરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, સરકારી જમીન પર દબાણ ચલાવી લેવાશે નહીં. ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. લેન્ડ ગ્રેબિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં છે. આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં 13994 મિલિયન ઘનફૂટ પાણીનો કરાયો સંગ્રહ

Read Full Story arrow_forward
Gandhinagar News: ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પડતર કામ પૂરા કરો, મુખ્યમંત્રીની સચિવોને ટકોર
calendar_today February 4, 2026

Gandhinagar News: ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પડતર કામ પૂરા કરો, મુખ્યમંત્રીની સચિવોને ટકોર

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓ પહેલા સરકાર એક્શનમાં આવી છે. રાજ્યમાં પ્રાથમિક સુવિધાઓ અને પાયાના કામોને પૂર્ણ કરવા માટે અધિકારીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે. અધિકારીઓ સાંભળતા નથી તેવી બૂમો વચ્ચે સરકાર વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સક્રિય થઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યના જિલ્લાઓના પ્રભારી સચિવો સાથે બેઠક કરી હતી. તેમણે સચિવો સાથે જિલ્લાની મુલાકાતો બાદની સ્થિતિ પર સમીક્ષા હાથ ધરી હતી. સચિવોને જિલ્લા પ્રભારી તરીકે નિમવામાં આવ્યા ગુજરાતના જિલ્લાઓમાં થઈ રહેલા સરકારી પ્રોજેક્ટોના કામની સમીક્ષ માટે સચિવોને જિલ્લા પ્રભારી તરીકે નિમવામાં આવ્યા હતાં. આ સચિવો જિલ્લામાં જઈને વિકાસ કામોની સમીક્ષા હાથ ધરી હતી. હવે પ્રભારી સચિવોની જિલ્લાની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. આ જિલ્લાઓમાં થયેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવા સચિવોને સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમિક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચાઓ કરાઈ હતી. જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો હતો.મુખ્યમંત્રીએ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવા સૂચના આપી હતી. આ પણ વાંચોઃ Manipur માંથી હટ્યું રાષ્ટ્રપતિ શાસન, યુમનામ ખેમચંદે લીધા મુખ્યમંત્રી પદના શપથ

Read Full Story arrow_forward