android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
US India trade deal : ટ્રેડ ડીલની જાહેરાત બાદ અમેરિકી વિદેશ મંત્રી અને રુબિયોની મુલાકાત, જાણો ક્યા મુદ્દે થઇ ચર્ચા ?
calendar_today February 4, 2026

US India trade deal : ટ્રેડ ડીલની જાહેરાત બાદ અમેરિકી વિદેશ મંત્રી અને રુબિયોની મુલાકાત, જાણો ક્યા મુદ્દે થઇ ચર્ચા ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સીમાચિહ્નરૂપ વેપાર કરાર પર મહોર લગાવ્યાના થોડા સમય પછી, ગઈકાલે (૩ ફેબ્રુઆરી) વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની એક ઉચ્ચ-પ્રોફાઇલ મુલાકાત શરૂ કરી. આ મુલાકાત પાછળનો સંદેશ સ્પષ્ટ છે: બંને લોકશાહી દેશો વચ્ચે આર્થિક ભાગીદારી એક નવા તબક્કામાં પ્રવેશી રહી છે, જેમાં હવે એક મહત્વપૂર્ણ ખનિજ એજન્ડાનો પણ સમાવેશ થાય છે.3 દિવસ અમેરિકાની મુલાકાતે  વિદેશ મંત્રી જયશંકરે 2 થી 4 ફેબ્રુઆરી સુધી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે અલગ-અલગ બેઠકો કરી. નવી દિલ્હી અને વોશિંગ્ટન વેપાર, ઉર્જા, પરમાણુ ઉર્જા, સંરક્ષણ, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સુરક્ષામાં સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, તે જોતાં આ બેઠકો મહત્વપૂર્ણ બની રહી છે. ટ્રેડ ડીલનું કર્યુ સ્વાગત જયશંકરની મુલાકાત રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પીએમ મોદી સાથેની વાતચીત બાદ બંને દેશો વચ્ચે એક મોટા વેપાર સોદાની જાહેરાત કર્યાના એક દિવસ પછી આવી. કરાર હેઠળ અમેરિકાએ ભારતીય માલ પર પરસ્પર ટેરિફ 25% થી ઘટાડીને 18 ટકા કર્યો, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. મંગળવારે વોશિંગ્ટનમાં તેમની મુલાકાત દરમિયાન જયશંકરે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલા વેપાર કરારનું "સ્વાગત" કર્યું. બંનેએ મહત્વપૂર્ણ ખનિજોના સંશોધન અને ખાણકામ પર દ્વિપક્ષીય સહયોગને "ઔપચારિક" બનાવવા પર પણ ચર્ચા કરી. બુધવારે (4 ફેબ્રુઆરી) અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ ક્રિટિકલ મિનરલ્સ મંત્રીસ્તરીય બેઠક પહેલા રુબિયોએ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બેઠક પર વિદેશ મંત્રીની પોસ્ટ મીટિંગ બાદ, વિદેશ મંત્રી જયશંકરે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, "આજે બપોરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે મુલાકાત કરવાનો આનંદ થયો. અમે અમારા દ્વિપક્ષીય સહયોગ એજન્ડા અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક વાતચીત કરી." તેમણે આગળ લખ્યું, "ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના પાસાઓમાં વેપાર, પરમાણુ, ઊર્જા, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અમે અમારા સહિયારા હિતોને આગળ વધારવા માટે વિવિધ પદ્ધતિઓ હેઠળ ટૂંક સમયમાં બેઠકો યોજવા માટે પણ સંમત થયા છીએ." આ બેઠક અંગે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે રુબિયો અને જયશંકરે "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલા વેપાર કરારનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ નવી આર્થિક તકો ખોલવા અને આપણા સહિયારા ઉર્જા સુરક્ષા લક્ષ્યોને આગળ વધારવા માટે આપણા લોકશાહી દેશોના સાથે મળીને કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો." તેમની X પોસ્ટમાં, રુબિયોએ કહ્યું કે તેઓ જયશંકર સાથે "મહત્વપૂર્ણ ખનિજોના સંશોધન પર આપણા દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરવા અને આપણા બંને દેશો વચ્ચે નવી આર્થિક તકો ખોલવા માટે સાથે મળીને કામ કરવા" માટે મળ્યા હતા. તેમણે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા વેપાર કરારની પણ પ્રશંસા કરી. જયશંકર અને રુબિયો વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથસોશિયલ પર જાહેરાત કર્યાના એક દિવસ પછી આવી હતી જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઇ. 

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશનનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, બજેટનું કદ 16,000 કરોડથી વધુનું હોવાની શકયતા
calendar_today February 4, 2026

Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશનનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, બજેટનું કદ 16,000 કરોડથી વધુનું હોવાની શકયતા

AMC કમિશનર બંછાનિધિ પાની દ્વારા સૌ પ્રથમવાર રજૂ કરવામાં આવનાર ૨૦૨૬-૨૭ના વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટનું કદ આશરે રૂ. ૧૫,૫૦૦થી રૂ.૧૬,૦૦૦ કરોડ જેટલું રાખવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન તથા ૨૦૩૬માં ઓલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ઇનડોર અને આઉટડોર રમતોને પ્રોત્સાહન આપવા માટે વધુને વધુ સ્પોર્ટ્સ ફેસિલિટી ઉભી કરવા પર ભાર મૂકવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય ટેક્સના દરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા નહિવત કોમનવેલ્થ ગેમ્સને ખાનમાં લઈને વિદેશોના અગ્રણી શહેરો જેવા રોડ રસ્તા બનાવવા, ઓવરબ્રિજ બનાવવા સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર મૂકવામાં આવશે. અમદાવાદમાં વધુ ટકાઉ અને મજબૂત એવા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા તેમજ આસ્ફાલ્ટના ક્રસ્ટ રોડ બનાવવા. મુખ્ય રસ્તાઓને ડસ્ટ ફી રોડ બનાવવા પર ભાર મૂકવામાં આવશે અને જાહેર પરિવહનની સુવિધા સુદ્રઢ બનાવાશે. આગામી મહીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂરી થતી હોવાને પગલે નજીકના ભવિષ્યમાં AMCની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય ટેક્સના દરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા નહિવત છે. આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા સ્તરનું શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પર ભાર મૂકવામાં આવશે આમ છતાં AMC કમિશનર બંછાનિધિ પાની દ્વારા ટેક્સના દરમાં વધારો સૂચવવામાં આવે તો AMCની ચૂંટણીને ધ્યાનમાં લઈને BJPના સત્તાધીશો સૂચિત ટેક્સ દર વધારાને મંજૂર કરશે નહીં. સામાન્ય રીતે ગત વર્ષના બજેટ કદમાં ૧૦થી ૧૫ ટકા જેટલો વધારો કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, AMCની પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય સ્ત્રોતમાંથી થતી આવકને ધ્યાનમાં લેતાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કરોડોની ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા સ્તરનું શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પર ભાર મૂકવામાં આવશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરને રખડતા ઢોરોના ત્રાસથી મુકત કરવાની કવાયત, શહેરના 13 વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરાયા 

Read Full Story arrow_forward
Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ભારે રોષ વચ્ચે સમાજના આગેવાનો લેશે જાબડીયાની મુલાકાત
calendar_today February 4, 2026

Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ભારે રોષ વચ્ચે સમાજના આગેવાનો લેશે જાબડીયાની મુલાકાત

બનાસકાંઠા જિલ્લાના જાબડીયા ગામમાં ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન થવાનો મામલો સામે આવ્યા બાદ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમાજના નક્કી કરાયેલા નિયમોનો ભંગ થતાં ઠાકોર સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના લગ્ન પ્રસંગે ડી.જે સાથે ગામમાં વરઘોડો નિકળ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ, જાબડીયા ગામમાં સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના લગ્ન પ્રસંગે ડી.જે સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે, સમાજના નવા બંધારણ મુજબ ડી.જે અને ભવ્ય વરઘોડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઠાકોર સમાજના આગેવાનો જાબડીયાની મુલાકાત લેશે આ ઘટનાને પગલે ઠાકોર સમાજના આગેવાનો જાબડીયાની મુલાકાત લેવાના છે. આ દરમિયાન બેઠક યોજી સમગ્ર મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેમજ નિયમ ભંગ કરનાર સામે સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી છે. બંધારણ સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે બનાવવામાં આવ્યું સમાજમાં ચર્ચા ચાલી રહી છે કે આ બંધારણ સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે બનાવવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારનો ભંગ સહન કરવામાં નહીં આવે. નિયમ તોડતા આગેવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ચર્ચાનો માહોલ ગરમાયો હાલ આ સમગ્ર મુદ્દે સમાજમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં લેવાતા નિર્ણય પર સૌની નજર ટકી છે..આ પણ વાંચો----     Banaskantha: ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, જાબડીયામાં ડી.જે લઈને ગામમાં વરઘોડો કાઢ્યો, DJને લઈ વરઘોડો કાઢતા ઠાકોર સમાજે બહિષ્કાર કર્યો

Read Full Story arrow_forward