android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કોર્ટમાં ખોટી જુબાની આપવી ભારે પડી, હત્યા કેસમાં ફરી ગયેલા 6 સાક્ષીઓને જેલની સજા
calendar_today February 3, 2026

Surat News: કોર્ટમાં ખોટી જુબાની આપવી ભારે પડી, હત્યા કેસમાં ફરી ગયેલા 6 સાક્ષીઓને જેલની સજા

ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરનારા સાક્ષીઓ માટે સુરત કોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. હત્યાના એક ગંભીર કેસમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યા બાદ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી જનારા 6 સાક્ષીઓને કોર્ટે 6 માસની કેદ અને દંડની સજા ફટકારી છે.પોલીસમાં જુબાની આપીને કોર્ટ સમક્ષ ફરી ગયા હતા સુરતમાં બનેલી એક હત્યાની ઘટનામાં આ છ વ્યક્તિઓ મુખ્ય સાક્ષી હતા. તપાસ દરમિયાન તેમણે પોલીસ સમક્ષ આરોપી વિરુદ્ધ સ્પષ્ટ જુબાની આપી હતી, પરંતુ જ્યારે કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારે આ સાક્ષીઓ 'હોસ્ટાઈલ' (ફરી ગયા) થયા હતા અને આરોપીને ઓળખવાનો કે ઘટના વિશે જાણવાનો ઇનકાર કર્યો હતો. સાક્ષીઓના ફરી જવાથી આરોપી છૂટી જવાની ભીતિ હતી. આરોપીની ફરી ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલાયા સરકારી વકીલ અને પોલીસની સતર્કતાને કારણે આ કેસને ફરીથી રીઓપન કરવામાં આવ્યો હતો. તમામ સાક્ષીઓને ફરીથી સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા અને તેમના નિવેદનો ફરી લેવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે સાક્ષીઓએ જાણીજોઈને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઊભો કર્યો હતો અને ખોટી જુબાની આપી હતી. કોર્ટે તમામ 6 સાક્ષીઓને 6 માસની કેદ અને રૂ.300નો દંડ ફટકાર્યો છે. સાક્ષીઓની ફેર-તપાસ બાદ મુખ્ય આરોપીની ફરી ધરપકડ કરી તેને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Agriculture News: પ્રાકૃતિક કૃષિમાં  જળચક્ર ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા
calendar_today February 3, 2026

Agriculture News: પ્રાકૃતિક કૃષિમાં જળચક્ર ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા

પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે, આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે, બોનસના રૂપમાં મુખ્ય પાક મળે છે, જેનાથી ખેડૂતોને ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. મહત્વનું છે કે, પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે-જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ થાય છે. જળચક્ર જમીન તથા સમુદ્રમાં રહેલું પાણી બાષ્પીભવનથી વરાળ રૂપે આકાશમાં જાય છે. વાતાવરણ ઠંડુ થતા આ વરાળ હવામાં રહેલા રજકણો ફરતે પાણીનાં બુંદ બનાવે છે. જે વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે. પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિના કારણે જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થાય છે. જમીન છિદ્રાળુ અને ભરભરી બને છે. આ કારણે વરસાદના પાણીનો મોટો જથ્થો જમીનમાં ઊંડે સુધી ઉતરે અને સંગ્રહ થાય, સંગ્રહિત પાણીમાં જમીનમાં રહેલ પોષક તત્વો અને ખનીજો દ્રાવ્ય થાય છે. ઉનાળામાં અથવા જ્યારે ઉપરની જમીનમાં પાણીની અછત સર્જાય ત્યારે નીચેનું સંગ્રહિત પાણી કેશાકર્ષણ દ્વારા દ્રાવ્ય થયેલ પોષક તત્વો સાથે મૂળ પ્રદેશમાં આવે છે અને છોડને જરૂરી ભેજ અને પોષકતત્વો પૂરાં પાડે છે. આમ, જળ વ્યવસ્થાપનના કારણે અતિવૃષ્ટિમાં પાકને નુકનાન નથી થતું, અછતના સમયે છોડને જરુરી ભેજ મળી રહે છે. ખાદ્યચક્ર છોડના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન (કાર્બોદિત પદાર્થો)નો હિસ્સો ૯૫ થી ૯૬ ટકા જેટલો છે. જેનું નિર્માણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા છોડના પર્ણમાં પાણી અને હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી થાય છે. આથી, પાણી, હવા અને સૂર્યપ્રકાશનું જરુરીયાત મુજબનું વ્યવસ્થાપન થાય તો છોડની ૯૫ ટકા જરુરિયાત સંતોષાય છે. પ્રાકૃતિક કૃષિમાં વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક પદ્ધતિના આયામોથી આવું જરુરી વ્યવસ્થાપન થાય છે. નાઇટ્રોજનચક્ર પાકની વૃદ્ધિ માટે નાઇટ્રોજન તત્વ આવશ્યક છે. હવામાં ૭૮ ટકા નાઇટ્રોજન રહેલો છે. છોડને નાઇટ્રોજન બે પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે ટનબંધ નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય થઇ વરસાદના પાણી દ્વારા જમીનને મળે છે. જમીનમાં સૂક્ષ્મ જીવાણું દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન તથા છોડને જરુરી સ્વરુપમાં પરિવર્તન થાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં નાઇટ્રોજન ચક્રના કારણે પાકને બહારથી અન્ય કોઈ ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી. આ પણ વાંચોઃ Agriculture News: જમીન વધુ ફળદ્રુપ ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન એટલે પ્રાકૃતિક કૃષિ

Read Full Story arrow_forward
India News : મુંબઈ એરપોર્ટના રન-વે પર વિમાનો ટકરાયા, એર ઇન્ડિયા અને ઇન્ડિગોના પાંખીયા એકબીજા સાથે અથડાયા
calendar_today February 3, 2026

India News : મુંબઈ એરપોર્ટના રન-વે પર વિમાનો ટકરાયા, એર ઇન્ડિયા અને ઇન્ડિગોના પાંખીયા એકબીજા સાથે અથડાયા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. એરપોર્ટના રન-વે પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનોના પાંખિયા (વિંગ્સ) એકબીજા સાથે ટકરાયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન મુંબઈથી કોઈમ્બતૂર જવા માટે રવાના થઈ રહ્યું હતું. ટેક્સીઈંગ દરમિયાન બંને વિમાનોના પાંખિયાના છેડા એકબીજા સાથે ઘસાતા જોરદાર અવાજ થયો હતો, જેના કારણે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને વિમાનમાં સવાર મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, આ ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. Mumbai Airport | While Air India AI2732 was taxiing from C1 towards M4 for departure, and the IndiGo arrival flight was taxing joining B1, the right wing tips of both the aircraft touched each other. Both aircraft were taxiing at the time of the incident. Both aircraft returned… pic.twitter.com/hZXxlrrx9l— ANI (@ANI) February 3, 2026 એરપોર્ટ પર ગંભીર બેદરકારી? આ ગંભીર ઘટનાની જાણ થતા જ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હરકતમાં આવ્યું છે. DGCA દ્વારા આ અકસ્માત મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને બંને એરલાઇન્સ પાસે આ ગંભીર ભૂલ બદલ વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગ્રાઉન્ડ કંટ્રોલ અથવા પાયલટની સમજણમાં થયેલી ભૂલને કારણે આ ઘટના બની હોવાનું મનાય છે. અકસ્માત બાદ બંને વિમાનોને રન-વે પરથી હટાવીને ટેકનિકલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પણ વાંચો : Kolkata Earthquake : કોલકાત્તામાં ભૂકંપનો મોટો ઝટકો, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા નોંધાઈ

Read Full Story arrow_forward