android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: લોકાર્પણના મુહૂર્ત પહેલા જ વાવોલ અંડરપાસ શરૂ, લાઈટિંગ વગર રાત્રિના સમયે અકસ્માતનો ભય
calendar_today February 3, 2026

Gandhinagar News: લોકાર્પણના મુહૂર્ત પહેલા જ વાવોલ અંડરપાસ શરૂ, લાઈટિંગ વગર રાત્રિના સમયે અકસ્માતનો ભય

ગાંધીનગર શહેર અને વાવોલને જોડતા રેલવે લાઈન પરના નવનિર્મિત અંડરપાસને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અંડરપાસનું હજુ સુધી સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું નથી, તેમ છતાં વાહનચાલકોએ પોતાની સુવિધા ખાતર આ અંડરપાસનો ઉપયોગ શરૂ કરી દીધો છે.ગાંધીનગર અને વાવોલને જોડતો અંડરપાસ ગાંધીનગર અને વાવોલ વચ્ચેના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ અંડરપાસ અત્યંત મહત્વનો છે, પરંતુ ઉતાવળમાં તેને શરૂ કરી દેવો જોખમી સાબિત થઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અંડરપાસમાં હજુ ફિનિશિંગ અને લાઈટિંગની કામગીરી પૂર્ણ થઈ નથી. અંડરપાસની અંદર પૂરતી રોશની ન હોવાને કારણે રાત્રિના સમયે વાહનચાલકો માટે ગંભીર અકસ્માત થવાનો ભય સતત મંતરાઈ રહ્યો છે. અંડરપાસમાં હજુ લાઇટિંગ કામગીરી પણ બાકી કોર્પોરેશન દ્વારા હજુ પ્રોટોકોલ મુજબ લોકાર્પણની તૈયારીઓ બાકી હોવા છતાં, બેરિકેડ્સ હટાવીને લોકોએ અવરજવર શરૂ કરી દીધી છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લાઈટિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂર્ણ કરી સત્તાવાર રીતે માર્ગ ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યાં સુધી રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahalના શહેરામાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા, ધો-12ના વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી દીધો લાફો
calendar_today February 3, 2026

Panchmahalના શહેરામાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા, ધો-12ના વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી દીધો લાફો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. શાળામાં મોડા આવવાનું કારણ પૂછવા જેવી સામાન્ય બાબતે એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની જ મહિલા શિક્ષિકા પર હાથ ઉપાડીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના શૈક્ષણિક આલમમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શહેરાની એક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને શાળાએ મોડા આવવા બદલ ઠપકો આપ્યો હતો અને મોડા આવવાનું કારણ પૂછ્યું હતું.શિક્ષિકાને થપ્પડ મારતા વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદઆ સામાન્ય શિસ્તની બાબતથી ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે ગેરવર્તન કર્યું હતું અને જાહેરમાં તેમને થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થીએ શિક્ષિકાને ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, "તમારે અહીં એકલા રહેવાનું છે", જેનો ઈશારો તેમના પર ભવિષ્યમાં હુમલો કરવા તરફ હતો. શિક્ષિકાએ આ અપમાન અને સુરક્ષાના જોખમ સામે અવાજ ઉઠાવતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીપોલીસે આ મામલે વિદ્યાર્થી અને તેના વાલી સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. શારીરિક હુમલો અને ધમકી આપવા બદલ વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. શાળાના અન્ય સ્ટાફ અને સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાવતી આ ઘટના બાદ શાળાઓમાં શિક્ષકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
India-US Trade Deal : શું ભારત રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે? ટ્રમ્પના દાવા પર મોસ્કોએ આપ્યો જવાબ
calendar_today February 3, 2026

India-US Trade Deal : શું ભારત રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે? ટ્રમ્પના દાવા પર મોસ્કોએ આપ્યો જવાબ

રશિયાએ અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરાર અંગે સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી છે. રશિયાએ ટ્રમ્પના દાવા અંગે કોઈ જાણકારી ના હોવાનું કહ્યું છે કે ભારત હવે મોસ્કો પાસેથી ઓઈલ ખરીદશે નહીં. રશિયાએ જણાવ્યું હતું કે નવી દિલ્હી દ્વારા તેને આ અંગે જાણ કરવામાં આવી નથી.વેપાર સોદા પર ટ્રમ્પે શું કહ્યું? રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન મુજબ ભારત દ્વારા ઓઈલની ખરીદી બંધ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. ક્રેમલિને કહ્યું કે તેને ભારત તરફથી કોઈ સંદેશ મળ્યો નથી જે દર્શાવે છે કે ભારત તેની તેલ ખરીદી વ્યૂહરચના બદલી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર સોદા પર એક નિવેદન બહાર પાડતા કહ્યું, "મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. મોદીએ મને કહ્યું કે અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદીશું નહીં, ત્યારબાદ અમે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ ભારત પર 18 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. 2025માં રશિયા પાસેથી ઓઈલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો." ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું કે અત્યાર સુધી અમને આ બાબતે નવી દિલ્હી તરફથી કોઈ નિવેદન મળ્યું નથી. ટ્રમ્પના દાવા પર ભારતે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, સૂત્રો કહે છે કે ભારત એવા બધા દેશો પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે જેમના પર વૈશ્વિક સ્તરે પ્રતિબંધ નથી. ભારત રશિયા પાસેથી કેટલું ઓઈલ ખરીદે છે? ભારત રશિયા પાસેથી સૌથી વધુ ઓઈલ ખરીદે છે. 2024-2025માં ભારતે રશિયા પાસેથી આશરે 88 મિલિયન મેટ્રિક ટન તેલ ખરીદ્યું. ડિસેમ્બર 2025થી ઓઈલ ખરીદીમાં ઘટાડો થયો છે. ડિસેમ્બર 2025માં ભારતે રશિયા પાસેથી માત્ર 1.38 મિલિયન બેરલ ઓઈલ ખરીદ્યું, જે 2025ના બાકીના સમયની તુલનામાં 22 ટકાનો ઘટાડો દર્શાવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના મતે ભારત હવે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. જોકે, આ ખરીદી ક્યારે શરૂ થશે અથવા ભારત વેનેઝુએલા પાસેથી કેટલું ઓઈલ ખરીદશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.આ પણ વાંચો : World News: 'ગાઝા પીસ ઓફ બોર્ડ'ની રચના વચ્ચે પેલેસ્ટાઇનમાં રાજકીય જાહેરાત, 1 નવેમ્બરે યોજાશે ચૂંટણી

Read Full Story arrow_forward