android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ભરૂચમાં 2.82 કરોડનું કોર્પોરેટ કૌભાંડ, ડમી ફર્મ બનાવી છેતરપિંડી આચરનાર શર્મા પરિવારના 3 સભ્યોની CID ક્રાઈમે કરી ધરપકડ
calendar_today January 31, 2026

Gandhinagar: ભરૂચમાં 2.82 કરોડનું કોર્પોરેટ કૌભાંડ, ડમી ફર્મ બનાવી છેતરપિંડી આચરનાર શર્મા પરિવારના 3 સભ્યોની CID ક્રાઈમે કરી ધરપકડ

ભરૂચની એક ખાનગી કંપનીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરનાર આરોપીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમે લાલ આંખ કરી છે. કંપનીના ભંડોળનો પર્સનલ મોજશોખ અને અંગત ફાયદા માટે દુરુપયોગ કરનાર નીરવ શર્મા, જ્યોતિ શર્મા અને જયશ્રી શર્માની ધરપકડ કરવામાં આવી છે.છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની ઉચાપતઆ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓએ કંપનીના માલિકને અંધારામાં રાખીને તરકટ રચ્યા હતા.કંપનીના માલિકને વાર્ષિક રૂપિયા 120 કરોડનું રેવેન્યુ પ્રોજેક્શન (આવકનો અંદાજ) આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો.આરોપીઓએ પોતાના મળતિયાઓના નામે જુદી-જુદી ડમી ફર્મ (ખોટી કંપનીઓ) બનાવી હતી. આ ડમી ફર્મ પાસેથી ઊંચા ભાવે રો મટીરિયલ (કાચો માલ) ખરીદવાનું નાટક કરી કંપનીના નાણાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ કુલ રૂ. 2,82,00,794/- ની માતબર રકમની છેતરપિંડી આચરી હતી.CID ક્રાઈમની કાર્યવાહીઆ મામલે કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઈમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની તપાસના આધારે ભરૂચ ખાતેથી 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ કંપનીના ભંડોળનો ઉપયોગ કઈ રીતે કર્યો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Morbi: ડબલ મર્ડર કેસમાં પૂર્વ ઉપપ્રમુખ અને પુત્રની હત્યામાં 4 આરોપીઓને 'આજીવન કેદ'ની સજા

Read Full Story arrow_forward
Rajula: નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે સિંહણનું મોત, એક મહિનામાં 6 વન્ય પ્રાણીઓના વાહનની અડફેટે લીધા
calendar_today January 31, 2026

Rajula: નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે સિંહણનું મોત, એક મહિનામાં 6 વન્ય પ્રાણીઓના વાહનની અડફેટે લીધા

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં વન્યપ્રાણીઓના મોતના સિલસિલામાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાયું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર નાગેશ્રી ટોલનાકા નજીક એક અજાણ્યા ફોર-વ્હીલર વાહનની અડફેટે આવતા એક સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.વાહનની અડફેટે સિંહણનું મોત મળતી માહિતી મુજબ, મોડી રાત્રે અથવા વહેલી સવારે સિંહણ રોડ ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન ઉના તરફ પૂરપાટ ઝડપે જતી એક કારના ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ટોલનાકા પરથી પસાર થઈને ઉના તરફ ફરાર થઈ ગયો હતો.વન વિભાગની તપાસ અને CCTV ફૂટેજઘટનાની જાણ થતા જ જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગે સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ફરાર કાર ચાલકને પકડવા માટે નાગેશ્રી ટોલનાકાના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વાહનના નંબરના આધારે આરોપી ચાલક સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Gandhinagar: ભરૂચમાં 2.82 કરોડનું કોર્પોરેટ કૌભાંડ, ડમી ફર્મ બનાવી છેતરપિંડી આચરનાર શર્મા પરિવારના 3 સભ્યોની CID ક્રાઈમે કરી ધરપકડ

Read Full Story arrow_forward
Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ
calendar_today January 31, 2026

Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ

અજિત પવારના નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સુનેત્રા પવારને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ, રાજ્ય આબકારી અને લઘુમતી બાબતો વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, અજિત પવાર જે નાણાં વિભાગ સંભાળતા હતા તે તેમને આપવામાં આવ્યો નથી.એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ વિભાગ જાળવી રાખશે. જોકે, એવું પણ સામે આવ્યું છે કે NCP નેતાઓ આ વિભાગ તેમની પાર્ટીને સોંપવાની માગ કરી રહ્યા છે. હાલમાં બંને પક્ષોના ટોચના નેતાઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે સુનેત્રાને અજિત પવાર પાસે રહેલા તમામ વિભાગો મળશે. આ વખતે કોણ બજેટ રજૂ કરશે? મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને મંત્રાલયની જાણકારી આપી છે. સુનેત્રા પવાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે, નાણા મંત્રાલયની સાથે આયોજન વિભાગ પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેશે. તેઓ આ વર્ષે એટલે કે, 2026નું બજેટ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે તેમના અનુભવને કારણે, ફડણવીસ હાલમાં આ મંત્રાલય જાળવી રાખશે, કારણ કે તેઓ આ વર્ષના બજેટની તૈયારી માટે જવાબદાર રહેશે. નોંધનીય છે કે ફડણવીસે 2023માં નાણા મંત્રાલય પણ સંભાળ્યું હતું. ભત્રીજા રોહિત પવારે પ્રતિક્રિયા આપી સુનેત્રા પવારની નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક બાદ તેમના ભત્રીજા રોહિત પવારે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સુનેત્રા કાકી રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી છે તે આનંદની વાત છે. સત્ય એ છે કે, અજિત દાદાનું સ્થાન કોઈ લઈ શકે નહીં, પરંતુ ઓછામાં ઓછું સુનેત્રા કાકીના રૂપમાં આપણે ત્યાં અજિત દાદાની એક ઝલક જોઈ શકીશું. અપાર દુઃખ અને આપણે બધા શોકમાં છીએ તે હકીકત હોવા છતાં આપણે તેમને કેવી રીતે શુભેચ્છા પાઠવીએ તે સમજમાં આવતું નથી. વડાપ્રધાન મોદીએ સુનેત્રા પવારને અભિનંદન પાઠવ્યા વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "સુનેત્રા પવારજીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ શરૂ કરવા બદલ અભિનંદન, આ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા. મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરશે અને સ્વર્ગસ્થ અજિત દાદા પવારના વિઝનને પૂર્ણ કરશે."આ પણ વાંચો : Sunetra Pawar બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન, PM મોદીએ કહ્યું 'અજિત દાદાના સપનાને પુરા કરશે'

Read Full Story arrow_forward