android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sunetra Pawar Oath Ceremony: સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, જુઓ Video
calendar_today January 31, 2026

Sunetra Pawar Oath Ceremony: સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, જુઓ Video

એનસીપી (અજિત જૂથ) ના ધારાસભ્ય પક્ષની બેઠકમાં એક મોટા નિર્ણયમાં, સુનેત્રા પવારને પાર્ટીના નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. આ નિર્ણયથી આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો થયો. અજિત પવારના પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ શપથ સમારોહમાં કાકા શરદ પવાર હાજર રહ્યા નથી. જ્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હાજર છે.મહારાષ્ટ્રના પહેલા નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારે શનિવારે મુંબઈના લોકભવન ખાતે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અચાનક અવસાન થયું હતું. શપથ ગ્રહણ પહેલાં, પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા હતા કેટલા શિક્ષિત છે સુનેત્રા પવાર ? સુનેત્રા પવારને ઉચ્ચ શિક્ષિત નેતા માનવામાં આવે છે. તેમણે એપ્રિલ 1983માં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી બી.કોમ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ઔરંગાબાદની એસ.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે. તેમણે કોમર્સમાં સ્નાતક અને વધુ અભ્યાસથી તેમને આર્થિક, વ્યવસ્થાપન અને વહીવટી વિષયોની મજબૂત સમજ મળી. પર્યાવરણ સંબંધિત અભ્યાસક્રમો અને સામાજિક કાર્યકર રાજકારણ ઉપરાંત, સુનેત્રા પવારે અનેક સામાજિક અને પર્યાવરણીય અભ્યાસક્રમો પણ કર્યા છે. તેઓ પર્યાવરણીય ફોરમ ઓફ ઈન્ડિયાના સ્થાપક છે, જે એક સંસ્થા છે જે ટકાઉપણું, જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે. પર્યાવરણીય સંરક્ષણ પર તેમનું ધ્યાન લાંબા સમયથી અગ્રણી રહ્યું છે. રાજકારણમાં પ્રવેશ અને વર્તમાન ભૂમિકા સુનેત્રા પવારનો જન્મ 18 ઓક્ટોબર, 1963ના રોજ મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં થયો હતો. તેઓ વરિષ્ઠ એનસીપી નેતા પદ્મસિંહ પાટીલના પુત્રી છે. સુનેત્રા પવારે પોતે વારંવાર કહ્યું છે કે તેમના પિતા માત્ર રાજકારણી જ નહીં પરંતુ સ્વતંત્રતા સેનાની પણ હતા અને ગામડાના પાટીલ તરીકે જવાબદારીઓ નિભાવતા હતા. આ કૌટુંબિક મૂલ્યોએ તેમના વ્યક્તિત્વ અને જાહેર જીવનનો પાયો નાખ્યો હતો. સુનેત્રા પવારે 2024ની લોકસભા ચૂંટણી બારામતી બેઠક પરથી તેમની ભાભી સુપ્રિયા સુલે સામે લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યારબાદ, NCPએ તેમને રાજ્યસભામાં ચૂંટ્યા. તેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપે છે અને સંસદમાં સક્રિય ભૂમિકા ભજવે છે.બારામતીથી લડશે પેટાચૂંટણી તેઓ હવે અજિત પવારના મૃત્યુથી ખાલી પડેલી બારામતી બેઠક પરથી પેટાચૂંટણી લડશે. શપથ ગ્રહણ પહેલાં, પવારે તેમની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. સૂત્રો સૂચવે છે કે NCP તેમના મોટા પુત્ર પાર્થ પવારને તેમના સ્થાને રાજ્યસભામાં મોકલી શકે છે.   રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ, સુનેત્રા પવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન દેવગીરી બંગલો ખાતે તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારના ફોટોગ્રાફને શ્રદ્ધાંજલિ આપી હતી. Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આર્થિક સંકડામણને કારણે સુરેન્દ્રનગરના યુવકે કરી આત્મહત્યા
calendar_today January 31, 2026

Gujarat Latest News Live : આર્થિક સંકડામણને કારણે સુરેન્દ્રનગરના યુવકે કરી આત્મહત્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : આ આંદોલન સરકાર સામે નહોતું, અસ્મિતા માટે હતું, કેસ પરત ખેંચાતા જયરાજસિંહનું મોટું નિવેદન
calendar_today January 31, 2026

Ahmedabad News : આ આંદોલન સરકાર સામે નહોતું, અસ્મિતા માટે હતું, કેસ પરત ખેંચાતા જયરાજસિંહનું મોટું નિવેદન

વર્ષો અગાઉ 'પદ્માવત' ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો સામે નોંધાયેલા પોલીસ કેસો રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે ક્ષત્રિય સમાજમાં આનંદની લહેર જોવા મળી રહી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી જયરાજસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે સમયે ફિલ્મમાં રજૂ કરવામાં આવેલી કાલ્પનિક વાર્તા અને ઇતિહાસ સાથેની છેડછાડ સામે સમાજમાં ભારે રોષ હતો. ક્ષત્રિય અસ્મિતા અને ગૌરવની રક્ષા માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું, જે કોઈ પણ રીતે સરકાર વિરુદ્ધનું આંદોલન નહોતું.જયરાજસિંહ જાડેજાનો હુંકાર જયરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજની રજૂઆતોને અત્યંત સંવેદનશીલતા પૂર્વક સાંભળી હતી. સરકારના હકારાત્મક અભિગમને કારણે જ આજે આ કેસો પરત ખેંચવાનું શક્ય બન્યું છે. તેમણે આ નિર્ણય બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કેસો પરત ખેંચાતા અનેક યુવાનો જે કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલા હતા તેમને મોટી રાહત મળી છે અને સમાજમાં એકતાનો સંદેશ વધુ પ્રબળ બન્યો છે. આ પણ વાંચો : Vadodara News : SMC ની મોટી કાર્યવાહી, ડ્રગ્સના દૂષણને ડામવા કરશે કંઇક આવું...!

Read Full Story arrow_forward