android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : અમદાવાદ–તિરુચ્ચિરાપલ્લી તથા હાપા–નાહરલગુન સાપ્તાહિક સ્પેશલ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા
calendar_today January 31, 2026

Railway News : અમદાવાદ–તિરુચ્ચિરાપલ્લી તથા હાપા–નાહરલગુન સાપ્તાહિક સ્પેશલ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા

ટ્રેન સંખ્યા 09419 અને 09525 ના વિસ્તારીત ફેરાઓનું બુકિંગ 01 ફેબ્રુઆરી, 2026 થી પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, સ્થળો તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. આ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા 01-ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જેને 26 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે. 02-ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જેને 01 માર્ચ, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 03 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે. 03-ટ્રેન સંખ્યા 09525 હાપા–નાહરલગુન સ્પેશિયલ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 30 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે. 04-ટ્રેન સંખ્યા 09526 નાહરલગુન–હાપા સ્પેશિયલ, જે અગાઉ 28 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 02 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે. આ પણ વાંચો : Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ 

Read Full Story arrow_forward
Kutch : અબડાસામાં હત્યાના પ્રયાસમાં 8ની ધરપકડ, પાળા મામલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી
calendar_today January 31, 2026

Kutch : અબડાસામાં હત્યાના પ્રયાસમાં 8ની ધરપકડ, પાળા મામલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી

 કચ્છના અબડાસા વિસ્તારમાં મિયાણીમાં પાળા મામલે થયેલી મારામારી બાદ યુવાન પર થયેલા હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે આઠ આરોપીઓને ધરપકડ કરી છે.પાળા મામલે મારામારી થઇ હતી જાહેર વિગતો મુજબ, ખનીજ લીઝના માર્ગ પર બે જૂથ વચ્ચે પહેલા પાળા મામલે મારામારી થઇ હતી. ઘટના બાદ કોઠારા પોલીસે બંને પક્ષે 31 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આઠ આરોપીઓની ધરપકડ પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો રચાઇ હતી, અને સઘન તપાસ પછી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો ----   Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

Read Full Story arrow_forward
Ahmedabad News : લોહી સંબંધો પર ભારે પડ્યો મિલકતનો મોહ, આનંદનગરમાં પુત્રએ માતાને પતાવી દીધી
calendar_today January 31, 2026

Ahmedabad News : લોહી સંબંધો પર ભારે પડ્યો મિલકતનો મોહ, આનંદનગરમાં પુત્રએ માતાને પતાવી દીધી

અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં માત્ર 24 કલાકમાં જ હત્યાના બે અલગ-અલગ બનાવોએ શહેરને થથરાવી દીધું છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણધામ ઔડાના મકાન નજીક એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પુત્રએ પોતાની જ સગી માતાની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સામાન્ય તકરારમાં પુત્રએ આવેશમાં આવી જઈને માતા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.કળિયુગનો કિસ્સો પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ જઘન્ય હત્યા પાછળ મકાનનો વિવાદ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક ઝઘડાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનો નોંધી આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે. એક જ દિવસમાં શહેરમાં થયેલી બે હત્યાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો : Ahmedabad ના રિંગરોડના વિસ્તારો તરસ્યા નહીં રહે, નર્મદાનું શુદ્ધ પાણી આપવા સરકારની લીલીઝંડી

Read Full Story arrow_forward