android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Baramati plane crash :  દૃશ્યતા માત્ર 800 મીટર… અને પછી જે બન્યું તે અવિશ્વસનીય! અજિત પવાર માટે હવામાન કેમ બન્યું ઘાતક?
calendar_today January 28, 2026

Baramati plane crash : દૃશ્યતા માત્ર 800 મીટર… અને પછી જે બન્યું તે અવિશ્વસનીય! અજિત પવાર માટે હવામાન કેમ બન્યું ઘાતક?

મહારાષ્ટ્રના રાજકારણ માટે બુધવારનો દિવસ અત્યંત દુઃખદ સાબિત થયો. બુધવારે સવારે બારામતી નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું. આ અકસ્માતમાં વિમાનના બંને પાઇલટ સહિત કુલ 5 લોકોના મોત થયા છે. અજિત પવાર મુંબઈથી બારામતીમાં યોજાનારી જાહેર સભા અને ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દુર્ઘટના સવારે લગભગ 8:45 વાગ્યે લેન્ડિંગ પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 8:45 વાગ્યે લેન્ડિંગ દરમિયાન થઈ હતી. તે સમયે બારામતી વિસ્તારમાં ભારે ધુમ્મસ છવાયેલું હતું અને દૃશ્યતા માત્ર 800 મીટર જેટલી રહી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં વિમાન ઉતારવું પાઇલટ માટે અત્યંત પડકારજનક બની ગયું હતું. આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી અહેવાલોમાં જણાવ્યા મુજબ, બારામતીની હવાઈ પટ્ટી પર રાત્રિ અથવા ઓછી દૃશ્યતામાં ઉતરાણ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. ધુમ્મસ અને નબળી દૃશ્યતા વચ્ચે જ્યારે વિમાને લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે કાબુ ગુમાવી બેઠું. વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ પરથી લપસી ગયું અને નજીકના ખેતરમાં ક્રેશ થયું. વિમાન ઉતરાણ દરમિયાન લથડી પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન ઉતરાણ દરમિયાન લથડી રહ્યું હતું અને થોડા સેકન્ડોમાં જ જોરદાર અવાજ સાથે જમીન પર પટકાયું. જમીન પર પડતાની સાથે જ વિમાનમાં આગ લાગી ગઈ. અકસ્માત બાદ સતત 5 જેટલા વિસ્ફોટના અવાજ સંભળાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભયના માહોલમાં આવી ગયો હતો. ઘટનાસ્થળે દોડી આવ્યા સ્થાનિક લોકો ધુમાડો ઉઠતો જોઈ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કાર્યમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ એટલી ભયાનક હતી કે વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું. આ દુર્ઘટનાની ગંભીરતા એટલી વધારે હતી કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ. કપડાં અને અન્ય ચિન્હોના આધારે ઓળખ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બારામતીની એક હોસ્પિટલમાં અજિત પવારનો મૃતદેહ બારામતીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હોસ્પિટલની બહાર તેમના પરિવારજનો, સમર્થકો અને કાર્યકરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં સમગ્ર રાજ્યમાં શોકની લહેર ફરી વળી છે. રાજકીય નેતાઓ અને સામાન્ય લોકોએ સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. ખરાબ હવામાન, ગાઢ ધુમ્મસ પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ખરાબ હવામાન, ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતા આ વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. જોકે, સંપૂર્ણ સત્ય બહાર લાવવા માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર નાના એરસ્ટ્રીપ પર સુરક્ષા અને આધુનિક સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.આ પણ વાંચો : Baramati plane crash : 'મને રનવે દેખાતો નથી…’ બારામતી વિમાન દુર્ઘટના પહેલા ATC-પાઇલટ વચ્ચે શું વાતચીત થઈ?

Read Full Story arrow_forward
Baramati plane crash: પ્લેન ક્રેશ દુર્ધટના પર આખરે કંપનીના માલિકનું આવ્યું નિવેદન, કહ્યુઃ આ હોઇ શકે છે ખરૂં કારણ
calendar_today January 28, 2026

Baramati plane crash: પ્લેન ક્રેશ દુર્ધટના પર આખરે કંપનીના માલિકનું આવ્યું નિવેદન, કહ્યુઃ આ હોઇ શકે છે ખરૂં કારણ

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ અકસ્માતમાં રાજ્યના ઉપમુખમંત્રી અજિત પવાર સહિત કુલ 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના બાદ એવિએશન સેફ્ટી અને વિમાનના મેન્ટેનન્સ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે વિમાનનું સંચાલન કરતી કંપની VSR વેન્ચર્સના માલિક વિજય કુમાર સિંહે મૌન તોડ્યું છે. લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યું મળતી માહિતી અનુસાર, ચાર્ટર વિમાન જ્યારે લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યું હતું. વિજય સિંહે જણાવ્યું કે, લેન્ડિંગનો અંતિમ નિર્ણય પાઈલટનો જ હોય છે. પાઈલટે પ્રથમ રન-વે 29 પરથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેમણે ફરી પ્રયાસ કર્યો અને રન-વે 11 પરથી એપ્રોચ લીધો હતો. આ પ્રક્રિયા દરમિયાન કંઈક અઘટિત બન્યું અને વિમાન ક્રેશ થઈ ગયું. કંપનીના માલિકના મતે, શક્ય છે કે ખરાબ હવામાન કે અન્ય કારણોસર પાઈલટને રન-વે સ્પષ્ટ દેખાયો ન હોય. જીવ ગુમાવનાર પાઈલટો અત્યંત કુશળ અને અનુભવી હતા અકસ્માતમાં જીવ ગુમાવનાર પાઈલટો અત્યંત કુશળ અને અનુભવી હતા. કેપ્ટન સુમિત કપૂર પાસે 16,000 કલાકથી વધુનો ઉડાન અનુભવ હતો અને તેઓ જેટ એરવેઝ જેવી મોટી કંપનીઓમાં સેવા આપી ચૂક્યા હતા. જ્યારે કો-પાઈલટ શાંભવી પાઠક પાસે પણ 1,500 કલાકનો અનુભવ હતો. વિજય સિંહે પાઈલટો સાથેના પોતાના અંગત સંબંધો યાદ કરતા ભાવુક થઈને કહ્યું કે, તેઓ મારા પરિવાર સમાન હતા. તેમણે મક્કમતાથી જણાવ્યું કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી અને તેનું મેન્ટેનન્સ નિયમિત થતું હતું. 'વિમાન ગ્રાઉન્ડ કેમ કરું?' – માલિકનો બચાવ જ્યારે કંપનીના વિમાનોની સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા, ત્યારે વિજય સિંહે સ્પષ્ટ કર્યું કે, અમારા બધા વિમાનો સુરક્ષિત છે, તો પછી હું તેમને ગ્રાઉન્ડ (ઉડાન બંધ) કેમ કરું?" તેમણે 2023માં મુંબઈમાં થયેલા અગાઉના અકસ્માતને વર્તમાન ઘટના સાથે જોડવાનો ઈનકાર કર્યો હતો. તેમના મતે, તે ઘટના વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે થયેલું 'રન-વે એક્સકર્ઝન' હતું, જે આજના કિસ્સાથી અલગ છે. નેતાઓએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી આ દુર્ઘટનામાં અજિત પવાર ઉપરાંત તેમના PSO વિદિપ જાધવ, અટેન્ડન્ટ પિંકી માલી અને બંને પાઈલટોએ જીવ ગુમાવ્યો છે. મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. હાલમાં DGCA અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. બ્લેક બોક્સ મળ્યા બાદ જ ખબર પડશે કે અંતિમ ક્ષણોમાં વિમાનમાં શું ખામી સર્જાઈ હતી અથવા કઈ પરિસ્થિતિને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનાએ ફરી એકવાર નાના ચાર્ટર પ્લેન્સની સુરક્ષા અને પ્રાદેશિક એરપોર્ટ્સ પર લેન્ડિંગની સુવિધાઓ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આ પણ વાંચોઃ Ajit Pawar Family Tree: શૂન્યમાંથી સર્જન કરનાર અજીત પવારના પરિવારમાં કોણ કોણ છે? જાણો કોની સાથે સૌથી નજીક રહ્યા

Read Full Story arrow_forward
Ajit Pawar Plane Crash : અજીત પવારના આવતીકાલે સવારે 11 કલાકે થશે અંતિમ સંસ્કાર
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : અજીત પવારના આવતીકાલે સવારે 11 કલાકે થશે અંતિમ સંસ્કાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward