android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar : ખનીજ માફિયાઓની દાદાગીરી, રણજીતપર ગામે ગેરકાયદે રેતી ખનન રોકનાર ખેડૂતો પર લોહીયાળ હુમલો!
calendar_today January 28, 2026

Jamnagar : ખનીજ માફિયાઓની દાદાગીરી, રણજીતપર ગામે ગેરકાયદે રેતી ખનન રોકનાર ખેડૂતો પર લોહીયાળ હુમલો!

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ખનીજ માફિયાઓનો ગ્રાફ એટલો ઉંચો ગયો છે કે હવે તેઓ કાયદા અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા છે. જોડિયાના રણજીતપર ગામે ગેરકાયદેસર રીતે નદી નાળામાંથી રેતીની ચોરી કરતા માફિયાઓને રોકવા જવું ગ્રામજનોને ભારે પડ્યું છે.રેતી ભરેલા ડમ્પર અટકાવતા ઉશ્કેરાયેલા માફિયાઓએ સ્થાનિક ખેડૂતો પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોડીયામાં ખનીજ માફિયાનો ગ્રામજનો પર હુમલો મળતી માહિતી પ્રમાણે જામનગરમના રણજીતપરના ગામના 33 વર્ષીય એક જાગૃત ખેડૂત રમેશભાઇ રણછોડભાઇ રાઠોડ, અન્ય ગ્રામજનો ભૂમિતભાઈ ગાંગાણી અને જયંતીભાઈ રાઠોડ સાથે મળીને ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનને રોકવા ગયા હતા. જ્યારે આ લોકોએ રેતી ભરેલા ડમ્પરને અટકાવી પૂછપરછ કરી, ત્યારે બાલંભા ગામના કુખ્યાત શખ્સો નિલેશ માલવીયા, રૈનિસ પટેલ અને તેમના એક અજાણ્યા સાગરીતે કાયદો હાથમાં લીધો હતો. આ ત્રણેય ઈસમોએ લાકડાના ધોકા વડે ગ્રામજનો પર તૂટી પડીને 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસ કાર્યવાહી અને તપાસ આ હુમલા બાદ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોડિયા પોલીસે આ મામલે નિલેશ માલવીયા અને રૈનિસ પટેલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં ખનીજ ચોરીનું દૂષણ એટલું વકર્યું છે કે ગ્રામજનોએ આ મામલે સીધી મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ફરિયાદ મોકલી છે.આ પણ વાંચોઃ Navsari: લોન વુલ્ફ એટેકનું આતંકી ષડયંત્ર નિષ્ફળ,ATSની તપાસમાં ફૈઝાનના ખતરનાક ઈરાદાઓનો પર્દાફાશ!

Read Full Story arrow_forward
Rajkot News : સ્યૂસાઈડ નોટ લખી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા, CCTV ફૂટેજ સામે આવ્યા
calendar_today January 28, 2026

Rajkot News : સ્યૂસાઈડ નોટ લખી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા, CCTV ફૂટેજ સામે આવ્યા

રાજકોટમાં એક ચકચારી ઘટના સામે આવી છે. શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળતા જોવા મળ્યા હતાં. તેઓ હોસ્ટેલમાંથી નીકળતા હતાં તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. AIIMSના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમાર ગાયબ રાજકોટ શહેરની AIIMSના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમાર ગાયબ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. MBBSનો અભ્યાસ કરનારા ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેઓ એક સ્યુસાઈડ લખીને નીકળ્યા હતાં જેને એઈમ્સ દ્વારા ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ડોક્ટરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે કે કેમ આ ઉપરાંત ડોક્ટરે આપઘાત કર્યો કે તેઓ ગુમ થયાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Navsari: લોન વુલ્ફ એટેકનું આતંકી ષડયંત્ર નિષ્ફળ,ATSની તપાસમાં ફૈઝાનના ખતરનાક ઈરાદાઓનો પર્દાફાશ!

Read Full Story arrow_forward
Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું
calendar_today January 28, 2026

Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું આજે બારામતીમાં પ્લેન ક્રેશમાં મોત થયું છે. તેમના અવસાનના સમાચાર ફરી વળતાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ રાજનેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છેક્રેશ થતાં જ પ્લેન આગનો ગોળો બની ગયું અકસ્માત એટલો ભયંકર હતો કે પ્લેન ક્રેશ થતાં જ પ્લેન આગનો ગોળો બની ગયું હતું અને ચારથી પાંચ મોટા વિસ્ફોટ સંભળાયા હતા. સ્થાનિકોએ કહ્યું હતું કે અમે સમજી પણ શક્યા ન હતા કે અચાનક શું થયું છે. અજિત પવારના નિધનના સમાચાર કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? અજિત પવાર એનસીપી નેતા શરદ પવારના ભત્રીજા હતા અને તેમની આંગળી પકડીને જ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. અજિત પવારના નિધનના સમાચાર કાકા શરદ પવારને કેવી રીતે આપવા તે પરિવારજનો માટે મૂંઝવણભર્યું બની રહ્યું હતું. પરિવારના સભ્યો પણ આ સમાચાર સાંભળી સ્તબ્ધ હતા અને તેવા સમયે વયોવૃદ્ધ શરદ પવારને આ સમાચાર આપવા પરિવારજનો માટે કઠિન હતા પહેલા શરદ પવારને મુંબઇની બ્રિચ કેંડી હોસ્પિટલમાં લઇ જવાયા મીડિયા અહેવાલો મુજબ શરદ પવારને સમાચાર આપતા પહેલા ખુબજ સાવચેતી રાખવામાં આવી હતી કારણ કે આ આઘાતજનક સમાચાર તેમને આપવા પડકારરુપ હતા. અને તેથી શરદ પવારનો પરિવાર તેમને પહેલાં મુંબઇની બ્રિચ કેંડી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર માટે દાખલ કરાયા બાદ તેમને  નિધનના સમાચાર અપાયા હતા હવે તે બારામતી તરફ જવા રવાના થયા તેમની ઉંમર અને સ્વાસ્થ્યના કારણોને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી જ અજિત પવારના નિધનના સમાચાર અપાયા હતા. ત્યારબાદ થોડા કલાકો પછી તેમને ઘેર લવાયા હતા અને હવે તે બારામતી તરફ જવા રવાના થયા છે.આ પણ વાંચો-----    Baramati Plane Crash : 6 વર્ષ પહેલાં ભારતીય રાજકારણમાં અજિત પવારે એવો ખળભળાટ મચાવેલો કે રાજકીય પંડિતો પણ ગોથું ખાઇ ગયેલા, વાંચો રસપ્રદ કિસ્સો

Read Full Story arrow_forward