Banaskantha: ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાળ બનીને આવી ટ્રક, કારમાં સવાર 5 લોકોએ જીવ ગુમાવ્યા
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાસકાંઠા- ઈકબાલગઢ હાઈવે પર કાળમુખો અકસ્માતપ્રાપ્ત વિગતો અનુસાર, ઈકબાલગઢ હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચેકુરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં કારમાં સવાર ૫ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ચીસિયારીઓ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.ઘાયલોની સ્થિતિ અને પોલીસ કાર્યવાહીઆ અકસ્માતમાં અન્ય ૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોની હાલત અત્યંત ગંભીર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી
Read Full Story arrow_forward