android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાળ બનીને આવી ટ્રક, કારમાં સવાર 6 લોકોએ જીવ ગુમાવ્યા
calendar_today January 24, 2026

Banaskantha: ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાળ બનીને આવી ટ્રક, કારમાં સવાર 6 લોકોએ જીવ ગુમાવ્યા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઈકબાલગઢ નેશનલ હાઈવે પર આજે કાળમુખો અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. રોંગ સાઈડથી આવતા એક બેફામ ટ્રકે કારને અડફેટે લેતા આ ભયાનક દુર્ઘટના ઘટી હતી.બનાસકાંઠા- ઈકબાલગઢ હાઈવે પર મોતનું તાંડવપ્રાપ્ત વિગતો અનુસાર, અમીરગઢના ઈકબાલગઢ નજીક હાઈવે પર એક આઈસર ટ્રક અને ઈનોવા ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રોંગ સાઈડથી આવતો ટ્રક સીધો જ ગાડી પર ચડી ગયો હતો, જેના કારણે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર ૬ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.3 લોકોની હાલત ગંભીરઆ અકસ્માતમાં અન્ય ૩ લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બનતા જ આસપાસના લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસ કાર્યવાહી અને ટ્રાફિકઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જેસીબીની મદદથી ગાડીના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાઈવે પર અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.આ પણ વાંચો: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી

Read Full Story arrow_forward
Vadodara: બુલેટ સવાર વિદ્યાર્થી પાસે ‘તોડ’ કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલ અને TRB જવાન સામે લાલ આંખ
calendar_today January 24, 2026

Vadodara: બુલેટ સવાર વિદ્યાર્થી પાસે ‘તોડ’ કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલ અને TRB જવાન સામે લાલ આંખ

ગઈ તારીખ 22 ના રોજ વડોદરાની પ્રસિદ્ધ એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જગદીશ તિવારી પોતાનું બુલેટ લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ફરજ પર તૈનાત ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણ જોગદિયા અને TRB જવાન યશપાલ સિંધાએ તેને અટકાવ્યો હતો. પોલીસકર્મીઓએ બુલેટના સાયલેન્સર બાબતે નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાવી વિદ્યાર્થીને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી હતી.3000 પડાવ્યા અને ખોટો મેમો આપ્યોવિદ્યાર્થીને ડરાવી-ધમકાવીને આ બંને પોલીસકર્મીઓએ તેની પાસેથી ₹3,000 ની રોકડ રકમ પડાવી લીધી હતી. આટલેથી ન અટકતા, પોતાની કામગીરી કાયદેસર બતાવવા માટે તેમણે વિદ્યાર્થીના નામે ₹500 નો ખોટો મેમો પણ જનરેટ કરી આપ્યો હતો. આ પ્રકારની ખુલ્લેઆમ ઉઘાડી લૂંટથી હેબતાઈ ગયેલા વિદ્યાર્થીએ હિંમત દાખવીને આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું.ઉચ્ચ અધિકારીઓની ત્વરિત તપાસજગદીશ તિવારીએ આ સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. મામલાની ગંભીરતા જોતા DCP ટ્રાફિક ઋષિકેશ ઉપાધ્યાયએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં પોલીસકર્મીઓ દોષિત જણાતા પોલીસ કમિશનરે શિસ્તભંગના કડક પગલાં લીધા છે.કોન્સ્ટેબલ કિરણ જોગદિયા તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર ખાતે બદલી (લાઈન હાજર).TRB જવાન યશપાલ સિંધા સેવામાંથી કાયમી ધોરણે ફરજમુક્ત.આ પણ વાંચો: ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાળ બનીને આવી ટ્રક, કારમાં સવાર 5 લોકોએ જીવ ગુમાવ્યા

Read Full Story arrow_forward
Bhavnagar: જયરાજ આહીરની ધરપકડ બાદ ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા, ગમે તેવો ચમરબંધી હોય, સજા મળવી જ જોઈએ
calendar_today January 24, 2026

Bhavnagar: જયરાજ આહીરની ધરપકડ બાદ ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા, ગમે તેવો ચમરબંધી હોય, સજા મળવી જ જોઈએ

નવનીત બાલધિયા મારપીટ કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ બાદ આખરે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે ભાવનગરના સંત ઋષિ ભારતી બાપુએ હર્ષની લાગણી વ્યક્ત કરતા પોલીસ અને SIT (Special Investigation Team) ની કામગીરીને બિરદાવી છે.ન્યાયની જીત અને SITનો આભારઋષિ ભારતી બાપુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે SITની ટીમે જે મહેનત કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે, "હું SITની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે સત્યનો સાથ આપ્યો અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું.ચમરબંધીને સજા મળવી જ જોઈએબાપુએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સમાજમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. SIT એ સાબિત કરી દીધું છે કે જો મજબૂત પુરાવાઓ હાથ લાગે, તો સામે ગમે તેવો વગદાર કે ‘ચમરબંધી’ વ્યક્તિ કેમ ન હોય, કાયદો તેને છોડતો નથી. કોઈપણ ચમરબંધી ગુનો કરે તો તેને સજા મળવી જ જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.પોલીસ પ્રશાસન પર વધ્યો વિશ્વાસઆ ધરપકડ બાદ ઋષિ ભારતી બાપુએ પોલીસ વિભાગની નિષ્પક્ષતાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ આટલી ઈમાનદારીથી કામ કરે છે ત્યારે સામાન્ય જનતાનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે. નવનીત બાલધિયાને થયેલા અન્યાય સામે આ એક મોટો વિજય ગણાવવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો: બુલેટ સવાર વિદ્યાર્થી પાસે ‘તોડ’ કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલ અને TRB જવાન સામે લાલ આંખ

Read Full Story arrow_forward