android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : જયપુરમાં થાર કાર ચાલકે બે લોકોને કચડી નાખ્યા, એક યુવતી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
calendar_today January 24, 2026

Gujarat Latest News Live : જયપુરમાં થાર કાર ચાલકે બે લોકોને કચડી નાખ્યા, એક યુવતી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bagdana Case માં નવો વળાંક, જયરાજ આહીર ભાવનગર IG કચેરીએ થયા હાજર, કહ્યું- તપાસમાં પૂરો સહયોગ આપીશ
calendar_today January 24, 2026

Bagdana Case માં નવો વળાંક, જયરાજ આહીર ભાવનગર IG કચેરીએ થયા હાજર, કહ્યું- તપાસમાં પૂરો સહયોગ આપીશ

ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયાને માર મારવાના કેસમાં રાજ્યભરમાં ચર્ચા જાગી છે, ત્યારે આ મામલે જયરાજ આહીર આજે પોતે ભાવનગર IG કચેરી ખાતે હાજર થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તપાસમાં પોલીસને પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે, પોલીસ દ્વારા તપાસ દરમિયાન જ્યારે પણ તેમને બોલાવવામાં આવશે, ત્યારે તેઓ હાજર રહેશે. આ નિવેદન સાથે તેમણે તપાસ પ્રક્રિયા પ્રત્યે પોતાનો સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો છે.જયરાજ આહીર એક્શન મોડમાં જયરાજ આહીરે વધુમાં ઉમેર્યું હતું કે, તેમને દેશના ન્યાયતંત્ર અને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે. આ કેસમાં જે કંઈ પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને અંતે જે નિર્ણય આવશે, તે તેમને શિરોમાન્ય રહેશે. આ કેસમાં સત્ય શું છે તે તપાસ બાદ બહાર આવશે તેવી આશા સાથે તેમણે શાંતિ જાળવવા અને કાયદાને માન આપવાની વાત કરી હતી. હાલમાં IG કચેરી ખાતે તેમની પ્રાથમિક પૂછપરછ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચો : Jasdan માં માનવતા લજાઈ, સાણથલી રોડ પર બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યું નવજાત શિશુ

Read Full Story arrow_forward
Ankleshwar : 50 લાખ સામે રૂ. 1.26 કરોડ રુપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં વેપારીને ધમકી આપનારા ત્રણ વ્યાજખોર ઝડપાયા
calendar_today January 24, 2026

Ankleshwar : 50 લાખ સામે રૂ. 1.26 કરોડ રુપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં વેપારીને ધમકી આપનારા ત્રણ વ્યાજખોર ઝડપાયા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલ રૂ.50 લાખ સામે રૂ. 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં તેમને ત્રાસ આપનારા ત્રણ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેવ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4 ટકા વ્યાજ ઉપર 50 લાખ લીધા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે.તેઓના પતિએ વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4 ટકા વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા.જે માટે સિક્યુરિટી પેટે 25-25 લાખના બે ચેક આપ્યા હતા.અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરવા માટે કહ્યું હતું.  કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા મંગાયા જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા માંગી ધાક ધામકીઓ આપી રહ્યા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ  આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવિણાબેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  અફઝલ પઠાણ પઠાણી ઉઘરાણી કરતો પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ,તૌસિફ શેખ અને ઝુંબેર શેખને નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાંણા આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઇ ચુક્યા છે. આ પણ વાંચો-----     Ahmedabad : વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ, મારી નાખવાના ઇરાદે ગોળી માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

Read Full Story arrow_forward