android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot મનપાની કડક ચેતવણી, મિલકત વેરો ભરો, નહીં તો...
calendar_today January 24, 2026

Rajkot મનપાની કડક ચેતવણી, મિલકત વેરો ભરો, નહીં તો...

'પહેલા પ્રેમથી અને પછી નોટિસ પણ ન સુધર્યા તો હવે સીધી કડક કાર્યવાહી' - આ ફિલ્મની લાઈનો નથી, પણ રાજકોટ મનપાની કામગીરી કરવાની સ્ટાઈલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા ભરવાનો બાકી હોય તેવા 5000 રૂપિયાથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા એકમો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.મિલકત વેરો વસૂલવા માટે ઝૂંબેશ આવા બાકીદારો સામે રાજકોટ મનપા હવે કડક કાર્યવાહીનું મન બનાવી લીધું હોય તેમ જણાઈ રહ્યું છે. બે દિવસ પહેલા એટલે કે 22 જાન્યુઆરીના રોજ રાજકોટ મનપા દ્વારા મિલકત વેરો બાકી હોય તેવા 47 મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી હતી. રાજકોટ મનપા દ્વારા માર્ચ પહેલા બાકી મિલકત વેરો વસૂલવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.ખાલી થયેલી તિજોરી ભરવા માટે તંત્રના આકરા તેવર આર્થિક વર્ષના અંતિમ મહિનાઓ નજીક આવતા જ રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ મનપાની ખાલી થયેલી તિજોરી ભરવા માટે હવે તંત્રએ બાકીદારો સામે આકરા તેવર અપનાવ્યા છે. રાજકોટ શહેરમાં કરોડો રૂપિયાનો મિલકત વેરો બાકી હોવાથી રાજકોટ મનપા દ્વારા હવે જાહેરમાં હોર્ડિંગ્સ લગાવીને મિલકત ધારકોને કડક ચેતવણી આપવામાં આવી રહી છે. જાહેરમાં હોર્ડિંગ્સ અને ચેતવણી રાજકોટના મુખ્ય વિસ્તારો જેવા કે બાલ ભવન ચોક, રેસકોર્સ અને ખુદ રાજકોટ મનપા કચેરીની બહાર મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે, જો બાકી વેરો ભરવામાં નહીં આવે, તો મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે. એટલું જ નહીં, મિલકત જપ્તી, સીલિંગ અને જરૂર પડ્યે હરરાજી સુધીના કડક પગલાં લેવાની તૈયારી પણ રાજકોટ મનપાએ કરી લીધી છે. 22 જાન્યુઆરીની મોટી કાર્યવાહી રાજકોટ મનપાના ટેક્સ વિભાગ દ્વારા 22 જાન્યુઆરીના રોજ સપાટો બોલાવવામાં આવ્યો હતો. રૂપિયા 5,000 થી વધુનો વેરો બાકી હોય તેવા ધારકો સામે ઝુંબેશ ચલાવીને 47 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોમર્શિયલ એકમો કે જેમનો વેરો લાંબા સમયથી બાકી છે, તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવાની રણનીતિ ઘડાઈ છે. માર્ચ પહેલા ટાર્ગેટ પૂરો કરવાની તૈયારી માર્ચ એન્ડિંગ પહેલા રૂપિયા 5,000 થી રૂપિયા 1 લાખ સુધીના તમામ બાકીદારો પાસેથી વસૂલાત કરવા માટે વેરા વિભાગે કમર કસી છે. રાજકો઼ટ મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, વારંવારની નોટિસ છતાં વેરો ન ભરનારાઓ સામે હવે કોઈ પણ પ્રકારની રહેમરાહ રાખવામાં આવશે નહીં. રાજકોટના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કાયદાકીય કાર્યવાહી અને અગવડતાથી બચવા માટે વહેલી તકે પોતાનો લેણો વેરો ભરી દે. આ પણ વાંચો - Rajkot News: સિંગતેલમાં ભેળસેળની આશંકાએ 16 વેપારીઓને ત્યાં ચેકિંગ, આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા

Read Full Story arrow_forward
Vande Mataram : વંદેમાતરમ માટે પણ ઉભુ થવુ પડશે..સરકાર બહુ જલ્દી બનાવશે નિયમ
calendar_today January 24, 2026

Vande Mataram : વંદેમાતરમ માટે પણ ઉભુ થવુ પડશે..સરકાર બહુ જલ્દી બનાવશે નિયમ

મોદી સરકાર વંદે માતરમને રાષ્ટ્રગીત જેટલું જ સન્માન મળે તે માટે એક પ્રોટોકોલ વિકસાવવાની યોજના બનાવી રહી છે. એક અહેવાલ મુજબ આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંનેને સમાન સન્માન મળે છે પરંતુ કાનૂની અને ફરજિયાત પ્રોટોકોલની દ્રષ્ટિએ બંને વચ્ચે નોંધપાત્ર તફાવત છે. રાષ્ટ્રગાન અંગે શું છે નિયમ ? જેમ કે રાષ્ટ્રગીત ગાતી વખતે ઊભા રહેવું ફરજિયાત છે, અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ તેનો અનાદર કરવો સજાપાત્ર છે. બીજી બાજુ રાષ્ટ્રગીત વંદે માતરમ ગાતી વખતે ઊભા રહેવા માટે કોઈ કાનૂની આવશ્યકતા કે લેખિત નિયમ નથી. રાષ્ટ્રગીત અંગે કયા નિયમોની ચર્ચા કરવામાં આવી? ધ ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગૃહ મંત્રાલયની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાષ્ટ્રગીત ગાવા માટેના નિયમો અને માર્ગદર્શિકાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સન્માનની રીતનો પણ સમાવેશ થાય છે. બેઠકમાં વંદે માતરમ ગાવાના સમય, સ્થળ અને રીત માટે સ્પષ્ટ નિયમો સ્થાપિત કરવા જોઈએ કે નહીં તે શામેલ હતું. શું રાષ્ટ્રગીત ગાતી વખતે ઉભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ ? જેમ કે રાષ્ટ્રગીતનું અપમાન કરનારાઓને દંડ કે કાર્યવાહી કરવી જોઈએ? આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે મોદી સરકાર વંદેમાતરમને ઉજવી રહી છે. જ્યારે ભાજપે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિને કારણે રાષ્ટ્રગીતનું મહત્વ ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. વિવાદનું કારણ શું ? 1937ના કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમના કેટલાક શ્લોકો દૂર કરવામાં આવ્યા હતા ભાજપનો આરોપ છે કે આ નીતિએ ભાગલાનો પાયો નાખ્યો હતો જ્યારે કોંગ્રેસ કહે છે કે ભાજપ ઇતિહાસને વિકૃત કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, વંદે માતરમને રાષ્ટ્રગીત જેવું માળખું આપવાની માંગ કરતી અનેક અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકારે 2022માં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત માટે હજુ સુધી આવી કોઈ દંડાત્મક જોગવાઈઓ કરવામાં આવી નથી. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલ વંદે માતરમ સ્વદેશી ચળવળ (1905-08 ) દરમિયાન સ્વતંત્રતાના સૌથી મુખ્ય સૂત્ર તરીકે ઉભરી આવ્યું હતું. સરકાર તેને તેના ભૂતપૂર્વ ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

Read Full Story arrow_forward
કાશ્મીર બન્યુ જન્નત, બરફની સફેદ ચાદર છવાઇ, જુઓ તસવીરો
calendar_today January 24, 2026

કાશ્મીર બન્યુ જન્નત, બરફની સફેદ ચાદર છવાઇ, જુઓ તસવીરો

જમ્મુ વિભાગના ડોડા જિલ્લાના ભાલેસા વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત બીજા દિવસે ભારે હિમવર્ષા ચાલુ રહી. હિમવર્ષાને કારણે રસ્તાઓ અને સેવાઓ ખોરવાઈ ગઈ છે તેથી ડોડા જિલ્લા વહીવટીતંત્ર વતી ભાલેસાના એસડીએમ ગાંડોહએ લોકોને સલામતી માટે ઘરમાં રહેવાની સલાહ આપી છે. તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે.

Read Full Story arrow_forward