android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prayagraj : શંકરાચાર્યની લડતમાં જોડાયા દેશભરના સાધુ-સંત, દેવકીનંદન ઠાકુર, અનિરૂદ્ધાચાર્ય અને બાબા રામદેવ શું બોલ્યા?
calendar_today January 23, 2026

Prayagraj : શંકરાચાર્યની લડતમાં જોડાયા દેશભરના સાધુ-સંત, દેવકીનંદન ઠાકુર, અનિરૂદ્ધાચાર્ય અને બાબા રામદેવ શું બોલ્યા?

આ લડતમાં અનેક પ્રમુખ સાધુ અને આધ્યાત્મિક ગુરુ સામે આવ્યા અને પોતાના વિચારો શેર કર્યા. તેમણે આ મામલાને ધાર્મિક શિસ્ત અને સંસ્કૃતિની રક્ષાના દૃષ્ટિકોણથી જોયું.બાબા રામદેવે જણાવ્યું કે સમાજમાં ધાર્મિક નેતાઓની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ  યોગ ગુરુ અને સોશિયલ મીડિયા પર ચર્ચિત બાબા રામદેવે જણાવ્યું કે સમાજમાં ધાર્મિક નેતાઓની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. તેમણે બધા સાધુઓ અને અનુયાયીઓને વિનંતી કરી કે તેઓ શાંતિ અને સંયમ જાળવે અને વિવાદને ધાર્મિક સદાચાર અને અહિંસાના દાયરા માં ઉકેલવામાં લાવે. બાબા રામદેવે કહ્યું કે સાધુ-સંતોએ મળીને સમાજમાં ધર્મ અને આધ્યાત્મિક મૂલ્યોની રક્ષા કરવી જોઈએ.અનિરૂદ્ધાચાર્યે આ મામલાને ધાર્મિક શિસ્ત અને સાંસ્કૃતિક મર્યાદા સાથે જોડ્યુ અનિરૂદ્ધાચાર્યે આ મામલાને ધાર્મિક શિસ્ત અને સાંસ્કૃતિક મર્યાદા સાથે જોડીને જોયું. તેમના અનુસાર, શંકરાચાર્યના પદ અને તેમના આચાર-વિવેકનું માન રાખવું દરેક ધર્મજ્ઞાની જવાબદારી છે. તેમણે સાધુઓ અને જનતા સાથે વિનંતી કરી કે વિવાદ વધારવાને બદલે સંવાદ અને શાંતિના માધ્યમથી ઉકેલ કાઢો. ધાર્મિક સંસ્થાઓમાં પારદર્શિતા જરૂરી : દેવકીનંદન ઠાકુર તે જ સમયે દેવકીનંદન ઠાકુરે સાધુ-સંતો સામે આવતા અન્ય મુદ્દાઓ અને વિવાદો પર વિચાર વ્યકત કરતા જણાવ્યું કે ધાર્મિક સંસ્થાઓમાં પારદર્શિતા અને શિસ્ત જાળવવી આવશ્યક છે. તેમણે કહ્યું કે સાધુ-સંતોની ભૂમિકા માત્ર ધાર્મિક નથી, પરંતુ સામાજિક અને નૈતિક દિશા પ્રદાન કરતી પણ છે. દેશભરના સાધુ-સંતો આ વિવાદને લઈને સક્રિય છે અને અનેક સ્થળોએ બેઠક યોજાઈ રહી છે. તેમનું લક્ષ્ય છે કે ધાર્મિક માન્યતાઓ અને સામાજિક સદાચાર જાળવી રાખીને ઉકેલ લાવવામાં આવે. તેમણે તમામ અનુયાયીઓને વિનંતી કરી છે કે અફવાઓથી દૂર રહેવું અને સમાજમાં શાંતિ જાળવવામાં સહયોગ કરવો. આ રીતે, શંકરાચાર્ય વિવાદ સમગ્ર દેશમાં સાધુ-સંતોની એકજૂટતા અને ધાર્મિક શિસ્ત પર ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં બાબા રામદેવ, અનિરૂદ્ધાચાર્ય અને દેવકીનંદન ઠાકુર જેવા પ્રમુખ નેતાઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.આ પણ વાંચો: Vastu Shastra: કાચબાની અંગૂઠી બદલી શકે છે ભાગ્ય, પરંતુ આ રાશિના જાતકોએ પહેરવી નહી(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ઊંઝા નાગરિક સહકારી બેંકમાં ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂંક
calendar_today January 23, 2026

Gujarat Latest News Live : ઊંઝા નાગરિક સહકારી બેંકમાં ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂંક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kapadvanj: ચીખલોડમાં ભાજપ મહિલા મોરચાનો ખેસ ત્યાગ,મહિલાઓ દ્વારા કરાયો હલ્લાબોલ
calendar_today January 23, 2026

Kapadvanj: ચીખલોડમાં ભાજપ મહિલા મોરચાનો ખેસ ત્યાગ,મહિલાઓ દ્વારા કરાયો હલ્લાબોલ

કપડવંજ તાલુકાના ચીખલોડ ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સીમાંકનનો વિવાદ હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ચીખલોડ ગામને કપડવંજમાંથી હટાવીને નવનિર્મિત ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચીખલોડમાં ભાજપ મહિલાઓ દ્વારા હલ્લાબોલ કપડવંજ તાલુકાના ચીખલોડ ગામમાં છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહેલો સીમાંકનનો વિવાદ હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ચીખલોડ ગામને કપડવંજમાંથી હટાવીને નવર્નિમિત ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યે છે.આ નિર્ણયના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીની જ મહિલા કાર્યકરોએ પક્ષ સામે હલ્લાબોલ કરીને ચોંકાવનારો વિરોધ પ્રદર્શન કર્યો હતો. મહિલાઓ કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી છેલ્લા 10 દિવસથી ગામના લોકો શાંતિપૂર્વક ધરણાં કરી રહ્યા હતા, પરંતુ તંત્ર કે પક્ષના કોઇ નેતા દ્વારા તેમની માંગણીની નોંધ લેવામાં ન આવતા આજે મહિલાઓની ધીરજ ખૂટી ગઇ હતી. મોટી સંખ્યામાં મહિલાઓ કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી અને પ્રમુખની ચેમ્બરમાં ધસી ગઇ હતી. રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની ગરદન પરથી ભાજપનો કેસરીયો ખેસ ઉતારીને સીધો જ તાલુકા પંચાયત પ્રમુખના ટેબલ પર મૂકી દીધો હતો. પક્ષ ન સમજી શકતો હોય તો પ્રતીક ધારણ ન કરવાની કરી વાત મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, જો પક્ષ તેમની લાગણી અને ગામના હિતને સમજી શકતો નહોય તો તેમને આવા પક્ષના પ્રતીકો ધારણ કરવાની કોઇ જરૂર નથી. ભાજપ શાસિત પંચાયતમાં જ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા આ ખેસ ત્યાગને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે ચીખલોડને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે. જો આગામી દિવસોમાં આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmdedabad: 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, DEO એ આપ્યું નિવેદન

Read Full Story arrow_forward