android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ઉધના આગ દુર્ઘટના, બે કામદારોના મોત, 5 દાઝ્યા
calendar_today January 23, 2026

Surat News: ઉધના આગ દુર્ઘટના, બે કામદારોના મોત, 5 દાઝ્યા

દક્ષિણ ગુજરાતના મોટા ગણાતા સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉધનામાં આવેલા એક પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ કામદારો પૈકી બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બ્લાસ્ટ સાથે લાગી હતી આગ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાના અને સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં કામ કરી રહેલા પાંચ કામદારોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. સારવાર દરમિયાન બેના મોત આ ઘટનામાં પાંચેય કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક અસરથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જિંદગી અને મરણ વચ્ચેની જંગ લડતા બે કામદારોએ અંતે દમ તોડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ કામદારો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તપાસ શરૂ બે કામદારોના મોત થતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉધના પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શનને કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ગોડાઉનના માલિક અને સુરક્ષાના સાધનો અંગે પણ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Surat News: મેફેડ્રોન ડ્રગ્સ અને 16 મોબાઈલ સાથે 'કાલુ શેખ' ઝડપાયો

Read Full Story arrow_forward
Ahmedabad News : પોલીસ છાવણીમાં ફેરવાઈ શાળાઓ, BDDS દ્વારા 10 શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન, વાલીઓમાં ફફડાટ
calendar_today January 23, 2026

Ahmedabad News : પોલીસ છાવણીમાં ફેરવાઈ શાળાઓ, BDDS દ્વારા 10 શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન, વાલીઓમાં ફફડાટ

અમદાવાદમાં આજે વહેલી સવારે શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં ત્યારે દોડધામ મચી ગઈ જ્યારે શહેરની 10થી વધુ પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો. આ ધમકીમાં સેટેલાઈટની રેડ બ્રિક્સ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, વિદ્યાનગર સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય અને નરોડાની JD હાઇસ્કૂલ જેવી શાળાઓનો સમાવેશ થાય છે. મેઈલમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે 26મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવા માટે ચેતવણી આપવામાં આવી છે અને તેમાં ખાલિસ્તાન તેમજ બાંગ્લાદેશના સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતા જ ગભરાયેલા વાલીઓને મેસેજ અને મેઈલ દ્વારા જાણ કરી તાત્કાલિક અસરથી શાળાઓ ખાલી કરાવી રજા જાહેર કરી દેવામાં આવી હતી.શિક્ષણ જગતમાં ગભરાટ ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા તમામ શાળાઓમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નથી, જે નાગરિકો માટે રાહતના સમાચાર છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ જણાવ્યું છે કે બપોરની પાળીની શાળાઓ ચાલુ રાખવા અંગેનો નિર્ણય જે-તે શાળાના આચાર્ય અને સંચાલકો પોતાની રીતે લઈ શકશે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ આ ધમકીભર્યો મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તેના લોકેશન ટ્રેસ કરી રહી છે અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બાંધછોડ ન કરવા આદેશો અપાયા છે. આ પણ વાંચો : Gir Somnath માં SMC ની ગાજ, ઉનાના સનખડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી SMC

Read Full Story arrow_forward
Republic Day 2026 : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આકર્ષક
calendar_today January 23, 2026

Republic Day 2026 : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આકર્ષક

૭૭-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! 'વંદે માતરમ' ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે 'વંદે માતરમ' શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ છે. આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા 'વંદે માતરમ' લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, 'ચરખા'ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન 'આત્મનિર્ભર ભારત' અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરે છે. સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ 'વંદે માતરમ' લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત 'વંદે માતરમ' લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા છે. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ ૧૯૦૭માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની 'ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ'મા પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં 'વંદે માતરમ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી છે, જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ 'વંદે માતરમ' લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું છે ત્યારબાદના ક્રમે, ૧૯૦૭મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો. વર્ષ ૧૯૧૭મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જયારે વર્ષ ૧૯૨૧મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો. ૧૯૩૧મા પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જો કે આખરે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 13 ઝાંખીઓ મળીને 30 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે 'ચરખા'ના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે. સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહયા છે. સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત 'કસુંબીનો રંગ'ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા છે. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે.પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા હાજર રહેશે પ્રાપ્ત માહિતી અનુસાર, ૭૭-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશ્નર કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવા યોગદાન આપી રહ્યાં છે. આ પણ વાંચો : Vadodara News : વડોદરાના સાવલીમાં પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપીએ કર્યો આપઘાત, ઉત્તરપ્રદેશથી ઝડપાયો હતો આરોપી

Read Full Story arrow_forward