android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BasantPanchami 2026 : વસંતપંચમી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો
calendar_today January 23, 2026

BasantPanchami 2026 : વસંતપંચમી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીવિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી નિમિત્તે તા.23-01-2026ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા ગુલાબ અને ઓર્કિડના ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાને સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા છે. શિક્ષાપત્રી ધરાવવામાં આવી છે. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. અહિંસા આદિક સદાચાર, તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહા સુખિયા થાય છે.હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે શિક્ષાપત્રી જયંતી એવં વસંત પંચમીની શા. હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી તરફથી હાર્દિક શુભકામનાઓ. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે. ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર 2 સંતો, પાર્ષદ અને ભક્તોને કરતાં અંદાજે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો.આ પણ વાંચો : Ahmedabad News : AMCએ બુદ્ધીનું કર્યુ પ્રદર્શન, અમદાવાદમાં 100 કરોડના ખર્ચે તૈયાર થતા રોડ પ્રોજેક્ટ પર બ્રેક લગાવી

Read Full Story arrow_forward
Ahmedabad Breaking News : અમદાવાદની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, BDDS અને પોલીસ દ્વારા તપાસ શરુ
calendar_today January 23, 2026

Ahmedabad Breaking News : અમદાવાદની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, BDDS અને પોલીસ દ્વારા તપાસ શરુ

અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે. હાલ તમામ સ્કૂલોના ઇમેલ તપાસવામાં આવશે અને ધમકી મળી હોય તો પોલીસને જાણ કરાશે. એક મહિના અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી એક મહિના અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરની અલગ-અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી.બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલોમાં પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બોમ્બ ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને વાલીઓ બાળકોને લેવા પહોંચ્યા છે, સમગ્ર ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પણ આ ઈમેલ મામલે તપાસ કરી રહી છે. સંત કબીરની 3 બ્રાંચને મળી ધમકી, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા, સ્વંયમ સ્કૂલને ધમકી મળી છે, ધમકી મળતા BDDS અને પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે અને સ્કૂલો ખાલી કરી વિદ્યાર્થીઓને રજા અપાઇ છે.

Read Full Story arrow_forward
Weather Update: ઠંડી અને ધુમ્મસના કહેર વચ્ચે હવે રાજધાનીમાં કમોસમી વરસાદ, જનજીવન પર માઠી અસર
calendar_today January 23, 2026

Weather Update: ઠંડી અને ધુમ્મસના કહેર વચ્ચે હવે રાજધાનીમાં કમોસમી વરસાદ, જનજીવન પર માઠી અસર

વરસાદ સાથે ચાલી રહેલા તેજ પવનોએ ઠંડી વધુ વધારી દીધી છે, જેના કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાથી રાજધાની અને આસપાસના વિસ્તારોમાં આગામી 24થી 48 કલાક સુધી હવામાનમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો નોંધાયો છે, જેને રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં સવારના સમયે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. તેના કારણે રસ્તાઓ પર સામાન્ય જનજીવન પ્રભાવિત થયું અને ઓફિસ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ, જેના કારણે વાહનવ્યવહાર ધીમો રહ્યો. જોકે, પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો નોંધાયો છે, જેને રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.શ્રીનગર સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજા હિમપાતના કારણે જનજીવન પર અસર પડી બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાનો દોર ચાલુ છે. શ્રીનગર સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજા હિમપાતના કારણે જનજીવન પર અસર પડી છે. શ્રીનગર એરપોર્ટ પર ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા હોવાના કારણે લેન્ડિંગ અને ટેકઓફમાં વિક્ષેપ આવ્યો. અનેક ફ્લાઇટ્સ રદ કે ડાયવર્ટ કરવી પડી, જેના કારણે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી. પ્રશાસને મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની અપીલ કરી છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાના કારણે તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. રસ્તાઓ પર લપસણ વધતા કેટલાક માર્ગો તાત્કાલિક રીતે બંધ કરાયા છે. સાથે જ, પર્યટકો માટે બરફવર્ષા આકર્ષણનું કેન્દ્ર બની છે, પરંતુ પ્રશાસને સાવચેતી રાખવાની સલાહ આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ઠંડી વધુ વધી શકે છે. લોકોને ગરમ કપડાં પહેરવા, અનાવશ્યક મુસાફરીથી બચવા અને હવામાન સંબંધિત ચેતવણીઓ પર ધ્યાન આપવા સલાહ આપવામાં આવી છે. શ્રીનગર: હિમવર્ષાને કારણે વિમાની સેવા ખોરવાઈ કાશ્મીર ખીણમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શ્રીનગર સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉડાન પ્રભાવિત: ઓછી વિઝિબિલિટી (દ્રશ્યતા) અને રનવે પર બરફ જમા થવાને કારણે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનોનું લેન્ડિંગ અને ટેક-ઓફ ખોરવાયું છે. માર્ગ વ્યવહાર: હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અને અન્ય રસ્તાઓ પર લપસણ વધી ગઈ છે, જેના માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છેઆ પણ વાંચો: Weather Update: ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો, કાશ્મીરથી હિમાચલ સુધી ભારે હિમવર્ષા, 2 રાજ્યમાં વરસાદની શક્યતા ભર ઉનાળે માવઠાની શક્યતા

Read Full Story arrow_forward