android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જુગારના 5 સ્થળે દરોડા : 17 પકડાયા, 4 ફરાર
calendar_today January 23, 2026

Surendranagar: જુગારના 5 સ્થળે દરોડા : 17 પકડાયા, 4 ફરાર

સુરેન્દ્રનગર શહેરના પાર્શ્વનાથ ફલેટ, મેલડી પરા, સરકીટ હાઉસ સામે, દસાડાના ખારાઘોડા અને લીંબડીના ભથાણમાં પોલીસે જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 17 શખ્સો રોકડ, મોબાઈલ, કાર, બાઈક મળી રૂ. 5,76,860ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. ભથાથમાં 3 અને ખારાઘોડામાં 1 જુગારી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો.સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર, મહાવીરસિંહ બારડ સહિતનાઓને કુંથુનાથ દેરાસર પાસે આવેલ પાર્શ્વનાથ ફલેટમાં આવેલ ઓરડીમાં જુગારની બાતમી મળતા બુધવારે મોડી સાંજે રેડ કરાઈ હતી. જેમાં આતીશ પ્રવીણચંદ્ર ઠક્કર, મુકેશ જીવણભાઈ મોરી, હીરેન ભરતકુમાર વોરા, મનસુખ સોમાભાઈ લોરીયા અને અશોક ધીરજલાલ ઘેલાણી રોકડા રૂ. 83,470, 5 મોબાઈલ ફોન, કાર-બાઈક મળી કુલ રૂ. 4,43,470નો મુદ્દામાલ કબજે કરી એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જયારે પાટડી પીઆઈ બી.સી.છત્રાલીયા, જયેશભાઈ મકવાણા સહિતનાઓને તા. 21મીએ મોડી સાંજે ખારાઘોડા ગામે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઈનાયત હસનભાઈ સૈયદ, અશોક છનાભાઈ ડોડવાડીયા અને નારાયણ ખોડીદાસભાઈ પટેલ રોકડા રૂ. 25,350 સાથે પકડાયા હતા. આ દરોડામાં મુના ભીખાભાઈ ઠાકોર ફરાર થઈ ગયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધવલસિંહ સીસોદીયા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન સુરેન્દ્રનગરના મેલડી પરામાં આવેલ હનુમાનજીના મંદિર પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગોવિંદ દેવશીભાઈ જખવાડીયા, સવજી રઘુભાઈ સીતાપરા, અજય મહાદેવભાઈ વીકાણી, બીપીન કરશનભાઈ કઠેકીયા અને રાજુ બાબુભાઈ વાઘરોડીયા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂ. 1620 સાથે પકડાયા હતા. આ ઉપરાંત લીંબડી ડીવાયએસપી સ્કવોડને લીંબડી તાલુકાના ભથાણ ગામે કેનાલ પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અબ્બાસ અલ્લાઉદ્દીનભાઈ ભથાણીયા, સલમાન અલજીભાઈ મુળીયા, ડાયા મોતીભાઈ પરમાર રોકડા રૂ. 10,070, રૂ. 90 હજારના 3 બાઈક મળી રૂ. 1,00,070ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં મીયા ઉર્ફે મનો જીણાભાઈ ભથાણીયા, આરીફ અહેમદભાઈ ભથાણીયા અને અમીર આસમભાઈ મુળીયા ફરાર થઈ ગયા હતા. અને સુરેન્દ્રનગરના નવા સરકીટ હાઉસ સામે આવેલ ઝમઝમ પાનના ગલ્લા પાસેથી મહમદસલીમ રહીમભાઈ માણેક મોબાઈલમાં વરલી-મટકાનો જુગાર રમતા રોકડા રૂ. 3250 અને રૂ. 3 હજારના મોબાઈલ ફોન સહિત રૂ. 6250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: થાનગઢમાં રૂ.210 કરોડની સરકારી જમીન પરના દબાણો તોડી પડાયા
calendar_today January 23, 2026

Surendranagar: થાનગઢમાં રૂ.210 કરોડની સરકારી જમીન પરના દબાણો તોડી પડાયા

થાનગઢમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર પોલીસ બંદોબસ્ત વગર મામલતદાર સહિતના સ્ટાફની ટીમો લઇને તરણેતર રોડ ઉપર સર્વે નં 79, 81 અને 89માં મોડી રાત્રે 1 વાગે સરકારી જમીનો ઉપર કરાયેલા ગેરકાયદે દબાણો ઉપર તવાઇ બોલાવતા સવાર સુધીમાં તો વેરવિખેર કરી સફાયો કરી નાખી 210 કરોડની કિમતની સરકારી જમીન ખુલ્લી કરાતા આવા દબાણકર્તાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. ડેપ્યુટી કલેકટર એચ. ટી.મકવાણાએ તાજેતરમાં ચોટીલા ચામુંડા માતાજી મંદિરના ડુંગર તળેટી વિસ્તારના માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે પાકા દબાણો દૂર કર્યા બાદ હવે થાનગઢમાં મેગા ડિમોલેશન શરૂ કર્યુ છે. ડેપ્યુટી કલેકટર મામલતદાર થાન અને ચોટીલાની ટીમ સાથે મોડી રાત્રે તરણેતર રોડ ઉપર પોલીસ બંદોબસ્ત વગર પહોંચ્યા હતા. જ્યાં નોટીસો આપવાની કામગીરી પુર્ણ કરાઇ છે. એવી સરકારી જમીનો ઉપર બનેલી 231 દુકાનો, સેનેટરીવેરના કારખાનાઓ અને હોસ્પિટલો સહિતના 260 દબાણો ચાર જેસીબી મશીન અને સ્ટાફ સાથે તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. આ કામગીરી ગુરુવારે બપોર સુધી જારી રખાઇ હતી. મોટાભાગના દબાણો દૂર કર્યા બાદ અમુક મકાનોના દબાણકર્તાઓને નોટીસ આપવાની કામગીરી પણ કરાઇ હતી. આમ 210 કરોડની સરકારી જમીન ઉપર દબાણનો સફાયો બોલાવતા તંત્ર અને અધિકારી ધારે તો બધુ જ શકય છે એ જોઇ શકાયુ હતુ. બીજી તરફ નોટીસ અપાઇ છે અને બાંધકામ તોડવાના બાકી છે એવા મોટા માથા સહિતના દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla: અયોધ્યા રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠાની વર્ષગાંઠ સાયલામાં ઊજવાઈ
calendar_today January 23, 2026

Sayla: અયોધ્યા રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠાની વર્ષગાંઠ સાયલામાં ઊજવાઈ

સંતભૂમિ સાયલામાં સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય ભગવાન રામલલ્લાના ભવ્ય મંદિરની અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તિથી નિમીતે મહા પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું.પ્રભાતફેરીનો પરોઢે સાયલા લાલજી મહારાજની જગ્યા મંદિરથી પ્રારંભ થયો હતો તેમજ શ્રી રામ જય રામ, જય જય રામની ધૂન બોલાવતા ગામની મુખ્ય બજારો, શેરી મહોલ્લામાં ફરતા સમયે લોકો સ્વયંભૂ આ ધાર્મિક કાર્યમાં સામેલ થયા હતા. કાર્યક્રમમાં વિવિધ હિંદુ સંગઠનો સાથે ગામના 7 ધાર્મિક અને સામાજિક મંડળો જોડાયા હતા. યુવાનો દ્વારા ઉતરાયણના દિવસથી પ્રભાતફેરી કાઢી પક્ષીઓ માટે સેવાકીય અને જીવદયાની ભાવના સાથે ઘરે ઘરેથી ચણ એકત્ર કરવામાં આવી રહ્યું છે ત્યારે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તીથી નિમીતે તે તમામ મંડળો આ પ્રભાતફેરીમાં સામેલ થતા રામ નામના જયકાર સાથે સવારે ધાર્મિક માહોલ સર્જાયો હતો. ગામના દરેક શેરી, મહોલ્લાઓમાં લોકોએ પોતાના ઘર બહાર દીવડા પ્રગટાવી ઉજવણી કરતા દિવાળીની અનુભૂતિ કરાવી હતી. મહા પ્રભાતફેરીમાં ગામના તમામ હિન્દુ સમાજના લોકો, આગેવાનો સહિતના જોડાતા વાતાવરણ ભગવામય બન્યું હતું. ધર્મ સાથે અબોલ પક્ષીઓની સેવાના ઉત્તમ ભાવ સાથે આયોજિત પ્રભાતફેરીમાં યુવાનો દ્વારા ગામમાંથી પક્ષીઓ માટે 70 મણથી વધુ ચણ એકઠું કર્યું હતું.ગામના લગભગ તમામ વિસ્તારોમાં નીકળેલી પ્રભાતફેરીમાં લોકોએ દીવડા પ્રગટાવી ફ્ટાકડા ફેડી ઉજવણી કરી હતી તેમજ ગોરડીયા હનુમાનજીની જગ્યાએ સામૂહિક મહા આરતી બાદ વિરાટ હિન્દુ સંમેલનમાં સંતગણની ઉપસ્થિતિમાં રામભક્તો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward