Viramgam: નળકાંઠાના ઢાબામાંથી શિકાર કરેલા ત્રણ પક્ષી સાથે ત્રણ શખ્સોને વન સંરક્ષકની ટીમે દબોચ્યા
નળસરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં અંતરિયાળ ગામ સાંકર જવાના માર્ગ પર ચલાવવામાં આવતા ઢાબા(હોટેલમા શિકાર કરેલા પક્ષી તેમજ તેનાં માંસનું વેચાણ કરવામાં આવતુ હોવાની માહિતી વન્ય જીવ સંરક્ષક વિભાગને પ્રાપ્ત થઈ હતી. જેથી તપાસ ગોઠવીને ગત તા. 19મી જાન્યુઆરીએ વિસ્તારના સંરક્ષક અધિકારી વી.પી.વણસોલા, એ. પી. ગોહિલ, એ. એન. ઝાલા એસઆરપી પોલીસ જવાનોની ટીમ સાથે ઢાબા પર બપોરના સમયે દરોડો પાડયો હતો. જે દરમ્યાન શિકાર કરેલા સિંગપર નામના ત્રણ પક્ષીઓ મૃત પામેલા મળી આવ્યા હતા. ટીમે ત્રણ મૃત પક્ષી સાથે કાંતી ગોવિંદભાઈ કહેડિયા રહેવાસી નાની કઠેચી, રાજેશ અભાભાઈ પઢાર રહેવાસી ધરજી(દુર્ગી) અને વિજય ભરતભાઈ પઢાર રહેવાસી દુર્ગીના ત્રણ યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તેમજ નંબર પ્લેટ વગરના બે મોટર સાયકલ પણ કબજે કરાયા હતા. વિભાગ દ્વારા જાણવા મળ્યા મુજબ ઝડપાયેલો રાજેશ પઢાર અગાઉ ફ્લેમિંગના શિકાર બનાવમાં પકડાયો હતો. વર્ષ 2018 અને 2019ના શિકાર બનાવમાં શકના દાયરામાં મુક્ત કરાયો હતો. વધુમાં પ્રાપ્તમાહિતી મુજબ શિકાર કરેલા ત્રણ સીંગપર પક્ષી ધરજીમાંથી લાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે શિકાર પ્રવૃત્તિમાં હજુ વધુ વ્યક્તિઓની સંડોવણી સામે તપાસના ચક્રોગતિમાન કરાયા છે. ઝડપાયેલા ત્રણેય યુવાનોને વધુ તપાસ અર્થે ગુરુવારે કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીર હાથ ધરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward