android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News: ભ્રષ્ટાચારના ગાબડાથી 16 ગામના લોકો પરેશાન
calendar_today January 22, 2026

Kheda News: ભ્રષ્ટાચારના ગાબડાથી 16 ગામના લોકો પરેશાન

ખેડા જિલ્લામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. ડાકોર-અમદાવાદ રોડને જોડતા મહત્વના એવા સ્ટેટ હાઈવે 60 પર મહુધાથી ખાત્રજ વચ્ચેના રસ્તાની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે. નવા બનેલા રોડને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.16 ગામના લોકો ભોગવી રહ્યા છે હાલાકી મહુધાથી ખાત્રજ વચ્ચેના આ સ્ટેટ હાઈવે પર અંદાજે 16 ગામોની 24,000 જેટલી વસ્તી નિર્ભર છે. દૂધ ભરવા જતાં પશુપાલકો હોય, અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ, તમામ લોકો દિવસમાં અનેકવાર આ રોડનો ઉપયોગ કરે છે. માત્ર એક જ વર્ષમાં રસ્તો તૂટી જતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. સ્વયંભૂ ડાયવર્ઝનથી અકસ્માતનો ભય રોડ પર એટલા મસમોટા ખાડા પડ્યા છે કે, વાહનચાલકો રસ્તાની સાઈડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહનચાલકો દ્વારા લેવામાં આવતા આ સ્વયંભૂ ડાયવર્ઝનને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓને કારણે અનેક ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. જવાબદારો સામે કડક પગલાંની માગ સ્થાનિક લોકોનું કહેવું છે કે, સરકારી નાણાંનો વેડફાટ કરીને હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે, આ રોડ બનાવનાર એજન્સી/કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ કરવામાં આવે અને વહેલી તકે રોડનું નવું કાર્પેટિંગ કામ કરવામાં આવે. આ પણ વાંચો - Kheda News: પોલીસ કર્મીએ યુવતી પર આચર્યું અનેકવાર દુષ્કર્મ

Read Full Story arrow_forward
Gir Somnath News: જિલ્લા પંચાયત ભવનમાં કોબ્રા ઘૂસ્યો, તાળવે ચોટ્યાં કર્મચારીઓના જીવ
calendar_today January 22, 2026

Gir Somnath News: જિલ્લા પંચાયત ભવનમાં કોબ્રા ઘૂસ્યો, તાળવે ચોટ્યાં કર્મચારીઓના જીવ

ગીર સોમનાથના મુખ્ય વહીવટી મથક ગણાતા વેરાવળ સ્થિત જિલ્લા પંચાયત ભવનમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક ઝેરી કોબ્રા સાપ ભવનની અંદર ઘૂસી આવ્યો હતો. સરકારી કચેરીમાં સાપ દેખાતા કર્મચારીઓ અને કામકાજ અર્થે આવેલા અરજદારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.મુખ્ય દરવાજા પાસે જ જમાવ્યું સ્થાન ઘટનાની મળતી માહિતી અનુસાર, આ કદાવર કોબ્રા સાપ આરોગ્ય વિભાગ તરફના પાછળના ભાગેથી ભવનની અંદર પ્રવેશ્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે આ ઝેરી સાપે કચેરીના મુખ્ય દરવાજા પાસે જ ફેણ ચડાવીને પોતાનું સ્થાન જમાવી લીધું હતું. કર્મચારીઓની અવરજવર વચ્ચે અચાનક ફેણ ચડાવેલો સાપ જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભયના માર્યા કર્મચારીઓ ઓફિસની બહાર દોડી ગયા હતા. કર્મચારીઓએ હિંમત દાખવી સાપને કાઢ્યો કચેરીમાં સાપ હોવાની જાણ થતા જ કામકાજ થંભી ગયું હતું. અંતે કેટલાક હિંમતવાન કર્મચારીઓએ એકઠા થઈને લાકડીની મદદથી કોબ્રાને સાવચેતીપૂર્વક મુખ્ય ભવનની બહાર કાઢ્યો હતો. ભવનની બહાર નીકળ્યા બાદ કોબ્રા નજીકના જાળી-ઝાંખરા વાળા વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને મોટી દુર્ઘટના ટળી છે. સફાઈ અને સુરક્ષાની માગ જિલ્લા પંચાયત ભવનનું ગ્રાઉન્ડ અત્યંત વિશાળ છે, અને અવાવરું જગ્યામાં ઝાડી-ઝાંખરા વધી ગયા હોવાથી અવારનવાર વન્ય જીવો અને ઝેરી જંતુઓ દેખાતા હોય છે. રોજ હજારો અરજદારો અને સેંકડો કર્મચારીઓ અહીં આવતા હોવાથી લોકોના જીવ જોખમમાં છે. સ્થાનિક કર્મચારીઓએ માગ કરી છે કે, પરિસરમાં તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન સર્જાય. આ પણ વાંચો - Gir Somnath News: શિકારની શોધમાં નીકળ્યો દીપડો, જુઓ Video

Read Full Story arrow_forward
Vadodara News : એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગશે, રોડ રીપેરિંગનું કામ શરૂ કરાયું
calendar_today January 22, 2026

Vadodara News : એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગશે, રોડ રીપેરિંગનું કામ શરૂ કરાયું

અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે પર 39 કિ.મી સુધીના રોડ પર રિસર્ફેસિંગનું કામ શરૂ થવાનું હોવાથી મુસાફરોને સમયસર પોતાના ઠેકાણે પહોંચવામાં વિલંબ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરાથી અમદાવાદ તરફના રોડ પરના 39 કિ.મીના પટ્ટામાં રોડ રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે. આ કામગીરી આગામી એપ્રિલ મહિના સુધી ચાલશે. રિપેરિંગ અને લેન ડાયવર્ઝનને કારણે ટ્રાફિક ધીમો રહેશે. જેથી અમદાવાદ પહોંચવામાં 1 કલાકથી વધુનો સમય લાગી શકે છે. વાહન ચાલકોને અપીલ કરવામાં આવી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 39 કિ.મીના રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરાથી અમદાવાદના પટ્ટા પર રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી આ હાઈવે પર ટ્રાફિકની સ્થિતિ ધીમી રહી શકે છે. મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે, અમદાવાદ જવા માટે વહેલા નીકળવું અને ખાસ ઈમરજન્સી જેવી સ્થિતિ હોય તો જૂનો હાઈવે અથવા તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. જે પટ્ટા પર કામગીરી ચાલી રહી છે. ત્યાં વાહન ધીમું હંકારવા પણ અપીલ કરાઈ છે. એક્સપ્રેસ વે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતાં વર્ષ 2025ના ચોમાસાની સિઝનમાં એક્સપ્રેસ વે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતાં. આ ખાડાને કારણે એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટનાઓ બને તેવી શક્યતાઓ હતી. જેથી ખાડાના પેચ વર્કની કામગીરી અગાઉ કરવામાં આવી હતી. હવે આ રોડ પર સંપૂર્ણ પણે રીસર્ફેસિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી ચોમાસા પહેલા જ આ કામગીરી પૂર્ણ થઈ જશે તેવું સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં એક્સપ્રેસ વે પર વાહનો સિંગલ લાઈનમાંથી પસાર કરાઈ રહ્યાં છે. જેના કારણે હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ છે. ટોલ પ્લાઝા પર વિવિધ માહિતીના બોર્ડ પણ લગાવાયા છે. આ પણ વાંચોઃ Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...

Read Full Story arrow_forward