android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 62.84 કરોડના ખર્ચે તૈયાર રત્નમાલા બ્રિજનું લોકાર્પણ કરાયું
calendar_today January 22, 2026

Surat: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 62.84 કરોડના ખર્ચે તૈયાર રત્નમાલા બ્રિજનું લોકાર્પણ કરાયું

સુરત મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત કતારગામ વિસ્તારના રત્નમાલા બ્રિજનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ શરૂ થવાથી કતારગામ અને અમરોલી વિસ્તારના લાખો રહીશો માટે ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બની જશે. નોંધનીય છે કે, બ્રિજની કામગીરી અને ઉદ્ઘાટનમાં થઈ રહેલા વિલંબ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પગલે સુરત મનપા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે લોકાર્પણની તૈયારીઓ આરંભી દીધી હતી. સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં બ્રિજને વિધિવત રીતે ખૂલ્લો મૂકાયો મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામના વિસ્તારના રત્નમાલા બ્રિજને આજે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે રૂપિયા 62.84 કરોડ થયો છે. આ બ્રિજ કાર્યરત થવાથી સુરતના સૌથી ગીચ વિસ્તારોમાં ગણાતા કતારગામ અને અમરોલી વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો આવશે. પીક અવર્સ દરમિયાન જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને વાહનચાલકોનો જે કિંમતી સમય વેડફાતો હતો, તેમાંથી હવે મોટી રાહત મળશે. મીડિયાના હકારાત્મક હસ્તક્ષેપ બાદ ત્વરિત કામગીરી કરાઇ આ પ્રોજેક્ટ અગાઉ તેના ધીમી ગતિના નિર્માણ કાર્યને કારણે વિવાદમાં રહ્યો હતો. સ્થાનિક લોકોમાં પણ કામગીરીની ગોકળગાય ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે, મીડિયાના હકારાત્મક હસ્તક્ષેપ અને તંત્રની ત્વરિત કાર્યવાહી બાદ હવે આ સુવિધા લોકસેવા માટે ઉપલબ્ધ બની છે. લોકાર્પણ પ્રસંગે મનપાના પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્રિજને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ બ્રિજ માત્ર એક રસ્તો નથી, પરંતુ સુરતના રત્નકલાકારો અને સામાન્ય નાગરિકો માટે સુવિધા અને સમયની બચતનું નવું માધ્યમ બનશે. આ પણ વાંચોઃ વેજલપુરમાં 7 લાખના ઉપરાંતના એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને પુરુષ ઝડપાયા, પોલીસ તપાસ શરુ

Read Full Story arrow_forward
Ahmedabad News : બોડકદેવ દંપતી મૃત્યુ કેસ, પોસ્ટમોર્ટમ પૂર્ણ, વતન લીમડા ગામે થશે દંપતીના અંતિમ સંસ્કાર!
calendar_today January 22, 2026

Ahmedabad News : બોડકદેવ દંપતી મૃત્યુ કેસ, પોસ્ટમોર્ટમ પૂર્ણ, વતન લીમડા ગામે થશે દંપતીના અંતિમ સંસ્કાર!

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં બનેલી કાળજું કંપાવતી ઘટનામાં દંપતીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, વર્ગ-1 ના અધિકારી એવા યશરાજસિંહ ગોહિલે અગમ્ય કારણોસર પ્રથમ પોતાની પત્નીની ગોળી મારીને ઘાતકી હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ બિલ્ડિંગ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા પોલીસે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમને તેમના વતન લીમડા ગામે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.NRI ટાવર દુર્ઘટના સમગ્ર ઘટનાને પગલે મૃતક યશરાજસિંહ ગોહિલના વતન લીમડા ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ હાઈપ્રોફાઈલ દંપતીના અંતિમ સંસ્કાર આજે તેમના વતનમાં જ કરવામાં આવશે, જ્યાં પરિવારના સભ્યો અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે યશરાજસિંહ કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજા હોવાથી આ કિસ્સાએ રાજકીય આલમમાં પણ ખળભળાટ મચાવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે વર્ગ-1 ના અધિકારી એવા યશરાજસિંહે પત્નીની હત્યા માટે કયા હથિયારનો ઉપયોગ કર્યો હતો અને આટલા મોટા પગલાં પાછળનું મુખ્ય કારણ શું હતું. આ પણ વાંચો : Gandhinagar માં શિક્ષણજગત સ્તબ્ધ, સેક્ટર-7 ની કોલેજમાં વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ
calendar_today January 22, 2026

Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ

અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઉપરથી પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર, આપઘાત કરનાર યુવક કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના સગા ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘરકંકાસ કે અંગત કારણોસર બનેલી ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.NRI ટાવર હત્યા-આપઘાત કેસ આ કરુણ દુર્ઘટના બાદ બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવના સમાચાર મળતા જ કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ ગમગીનીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે એફએસએલ (FSL) ની મદદ પણ લઈ રહી છે જેથી હત્યા અને આપઘાત પાછળના સચોટ કારણો જાણી શકાય. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પડોશીઓ અને પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad માં ગંદકી કરનારાઓ પર AMCની તવાઈ, નારણપુરામાં કે.બી. શાહ દવાનું ગોડાઉન સીલ

Read Full Story arrow_forward